Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વિશ્વ સિંહ દિવસ:કુલ 365 હેક્ટરમાં ફેલાયેલા પાર્કમાં આવતા મુલાકાતીઓને ગીરના કુદરતી વાતાવરણનો અનુભવ થાય છે

    1 day ago

    માનવ-વન્યજીવન સંઘર્ષને ઘટાડવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવતા ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક સુરક્ષિત આશ્રયસ્થાન બનાવવામાં આવશે. અહીં માનવો પર હુમલો કરનારા એશિયાઈ સિંહોને રાખવામાં આવશે. દુનિયામાં દર વર્ષે 10 ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ મનાવાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો અને સિંહો વચ્ચે થયેલા સંઘર્ષને કારણે જૂન મહિનામાં ગુજરાતના વિવિધ વન વિસ્તારોમાંથી ઓછામાં ઓછા 30 સિંહને પકડવામાં આવ્યા હતા. તેમનું સુરક્ષિત સ્થળે અથવા ઝૂમાં સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં સ્થાપિત આંબરડી સફારી પાર્કમાં બીમાર પ્રાણીઓની સારવાર કરાય છે‎ આંબરડી સફારી પાર્કની વર્ષ 2017માં સ્થાપના કરવામાં આવી હતી. આશરે 365 હેક્ટરમાં ફેલાયેલા આ પાર્કમાં મુલાકાતીઓને ગીરના કુદરતી વાતાવરણનો અનુભવ થાય છે. એશિયાઈ સિંહો સાથે, દીપડા, ચિત્તલ, નીલગાય, ચિંકારા, મોર અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ પણ અહીં સંરક્ષિત છે. કોઈ વસાહતમાં પ્રવેશી ગયેલા હિંસક પ્રાણીને પકડીને અહીં સુરક્ષિત છોડવામાં આવે છે. આ ઉપરાંત, ઘાયલ અથવા બીમાર પ્રાણીઓની સારવાર, વસ્તી વ્યવસ્થાપન અને યોગ્ય રહેઠાણ પૂરું પાડવા માટે તેમનું અહીં સ્થળાંતર કરવામાં આવે છે. સિંહોને સુરક્ષિત-કુદરતી વાતાવરણ મળશે ‘ગીરમાં અનામત વન વિસ્તાર એવા આંબરડી સફારી પાર્કમાં સુરક્ષિત રહેઠાણ સ્થાપવા માટે જરૂરી સૂચનાઓ જારી કરાઈ છે.અહીં માનવ હુમલામાં સામેલ સિંહોને નક્કી કરેલા વિસ્તારમાં વાડ બનાવીને કુદરતી વાતાવરણમાં રાખવામાં આવશે. શરૂઆતમાં 5થી 6 સિંહને આ વિસ્તારમાં છોડવામાં આવશે. અહીં 30 સિંહ એકસાથે રહી શકે તેટલી જગ્યા છે.’ > ડૉ. જયપાલ સિંહ, અધિક મુખ્ય વન સંરક્ષક
    Click here to Read More
    Previous Article
    CGST બાદ SGSTની પણ નોટિસ, વેપારીઓમાં મૂંઝવણ:માઇનિંગ રોયલ્ટી પર 18 ટકા જીએસટી મુદ્દે સરહદી કચ્છના વેપારીઓને નોટિસ ફટકારાઇ
    Next Article
    સ્વાતંત્રય પર્વ પૂર્વે વોકેથોન યોજાઈ:અમરેલીના વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઊર્જા બચત અને સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment