Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સન્ડે બિગ સ્ટોરી:365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણનો એક્શન પ્લાન

    1 week ago

    ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન પાણી વિતરણ અને ગુણવત્તામાં સુધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં કાપ સાથે અથવા એકાતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું, તે એકપણ પાણી કાપ વગર વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ પણ તેમાં સુધારો કરી 365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણ કરવાનો માસ્ટર ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં અમુક વિસ્તારોની ફરિયાદોને બાદ કરતાં નિયમિત શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ ટેકનોલોજી સાથે સુવિધાઓ પણ વધારવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે નવા ઈ.એસ.આર. અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યા છે. તદુપરાંત વર્ષો જૂના પાણીના નેટવર્ક પણ બદલાવી નવા ઉભા કરવામાં આવી રહ્યા છે. નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીના નેટવર્ક અને કનેક્શનનું કામ ઘણું પ્રગતિમાં છે. પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે, વારંવાર પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ પડતા હોય છે. તેમજ ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જવાની સમસ્યાને નજર અંદાજ કરી શકાય નહીં. જેથી આ સમસ્યાના ઉકેલ માટે પણ ભાવનગર કોર્પોરેશન દ્વારા માસ્ટર ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં સ્વચ્છ અને નિરંતર પાણી પહોંચાડવા માટે જળ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો પહોંચાડવા તેમજ પાણી પુરવઠો ક્યારેય ખોરવાય નહીં તે માટે 17 સ્ટેપ પર કામ કરવામાં આવશે. અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા કોઈપણ જગ્યાએ પાણી વિતરણમાં અવરોધ ઉભો થાય અથવા તો દૂષિત પાણીની ફરિયાદ કરવામાં આવે ત્યારબાદ તંત્ર જાગે અને ભાગે છે. પરંતુ નવા એક્શન પ્લાનમાં ફરિયાદ જ ઊભી ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. ઈસ્યુ પહેલા સોલ્યુશન માટે સતર્ક રહેશે. પરંતુ આ એક્શન પ્લાન માત્ર કાગળ પર ડ્રાફ્ટ તરીકે ન રહે તે માટે પણ તંત્રએ જાગૃત રહેવું પડશે. ભાવનગર શહેર ઉપરાંત 5 તાલુકાના પાણીમાં ખારાશનું પ્રમાણ વધ્યું દર વર્ષે 22 માર્ચ જળ દિવસ તરીકે ઉજવાય છે. આ જળ દિવસ નિમિત્તે આ વર્ષે ભાવનગર જિલ્લામાં ખાસ પાણીને લગતો પ્રશ્ન પાણીમાં વધતી જતી ખારાશનો છે. જમીનમાં ખારાશ વધી છે અને તેનાથી ભૂગર્ભ જળ પણ દૂષિત થયું છે. ભાવનગર જિલ્લાના સાત તાલુકાઓમાં આવેલી ફળદ્રુપ જમીનમાં ખારાશનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. જિલ્લામાં જમીનમાં ખારાશનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે આગામી દાયકાઓમાં જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આ ભૂમિ રણમાં ફેરવાઈ જશે તેમજ ભૂગર્ભ જળ પીવાલાયક રહેશે નહી. આજથી થોડા સમય પહેલા શિક્ષક ડો.દીપક પંડયાએ સેન્ટ્રલ સોલ્ટ અને ઈસરો જેવી ખ્યાતનામ સંસ્થા સાથે મળીને કરેલા સંશોધનમાં ચોંકાવનારૂં તારણ મળ્યું હતું કે ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં દર વર્ષે ત્રણેક કિ.મી.ની સરેરાશે જમીનમાં ક્ષાર ફેલાઈ રહ્યો છે. આમ છતાં ભાવનગર, ઘોઘા, મહુવા, તળાજા જેવા દરિયાઈ પટ્ટીના તાલુકાઓમાં કોઈ અસરકારક પગલાં ન લેવાતા જમીન વધુને વધુ ખારી થતી રહી છે. ક્યાં 17 સ્ટેપ્સનો એક્શન પ્લાન? કોર્પોરેશન દ્વારા જે 17 સ્ટેપનો ડ્રાફ્ટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, તેમાં ગુણવત્તાપૂર્ણ પાણી પુરવઠા માટે અને વિક્ષેપ વગર પાણી આપવા માટે 17 ટેકનિકલ સ્ટેપ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને ટીમ આયોજન, ગેપ વિશ્લેષણ, મૂળ કારણો અને તેનો ઉકેલ, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ, ઓછી કિંમત અને ટકાઉ ઉકેલ, સંસાધન ઉપલબ્ધતા, સાવચેતીના પગલાં, દૈનિક કામમાં ગુણવત્તા, નમુના લેવાની પ્રક્રિયા, પાઇપલાઇન ઇન્સ્પેક્શન, લીકેજ ડિટેકશન, પાઇપલાઇન ભંગાણ દૂર કરવું, પાઇપલાઇન ફ્લશિંગ, ક્લોરીનેશન, યુવી ફિલ્ટ્રેશન એન્ડ ટ્રીટમેન્ટ, ક્રોસ કનેક્શન નિવારણ, પ્રેશર મોનિટરિંગ, પાણી ગુણવત્તા પ્રયોગશાળા ટેસ્ટ સહિતના પગલાં ઉપર કામ કરવામાં આવશે. નિયમિત શુદ્ધ પાણી વિતરણનું પ્લાનિંગ શહેરીજનોને રોજે રોજ નિયમિત શુદ્ધ પાણી મળી રહે તે માટે ડ્રાફ્ટ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી લાગશે તેમાં સુધારો કરી અમલીકરણ તરફ ટીમ આગળ વધી રહી છે. પાણી વિતરણ વ્યવસ્થાને આધુનિક સાથે કાર્યક્ષમ બનાવવાનો હેતુ છે. તદુપરાંત આગામી દિવસોમાં લોકોને નિયમિત 24 કલાક પાણી મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવશે. ભાવનગરના શહેરીજનોને પાણી વિતરણમાં કોઈપણ અવરોધ વગર ગુણવત્તાયુક્ત પાણી મળે તે અમારો ગોલ છે. > મૌલિક પટેલ, એડિશનલ સીટી એન્જિનિયર મ્યુ 20 વર્ષ બાદ ઘોઘાની જમીન ભાલ જેવી થઇ જશે સામાન્ય PHનું પ્રમાણ હોવુ જોઈએ એ કરતા ત્રણ ગણુ વધારે છે એટલે કે 300ને બદલે 1100 PH જેટલુ પાણી અત્યારે પીવાના ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભાવનગરના ઘોઘાથી 35 કિ.મી.ની આજુબાજુના વિસ્તારની જમીન આગામી 20 વર્ષ પછી ભાલ પંથક જેવી કસ વગરની હશે જેને કારણે પાક લઈ શકાય નહીં તેવી પરિસ્થિતિ ઊભી થવાની પણ શકયતા છે.
    Click here to Read More
    Previous Article
    દંડનીય કાર્યવાહી:1691ને મેમા, 70 લાખનો દંડ, સૌથી વધુ કેસ PUCના
    Next Article
    પરીક્ષાના તણાવની અસર:બોર્ડના પરિણામ પહેલાં જ તણાવનો વિસ્ફોટ, બે વિદ્યાર્થીએ ફિનાઇલ પી લીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment