Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    36 કલાકમાં 18 ઇંચ વરસાદ, અડધું સુરત ડૂબી ગયું:ગુરુગ્રામમાં 10 કિમી લાંબો જામ, રાજસ્થાનમાં 3 લોકો પર વીજળી પડી; જબલપુરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ

    15 hours ago

    ગુજરાતના કામરેજમાં મંગળવારે 10 કલાકમાં 12 ઈંચ અને સુરતમાં 18 ઈંચ વરસાદ થયો. સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર કારો તણાઈ ગઈ. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 2100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. સુરત અને નવસારીમાં શાળા, કોલેજ અને આંગણવાડી બંધ રાખવામાં આવ્યા છે. લોકોને અત્યંત જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે. ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં બે-બે ફૂટ પાણી ભરાઈ ગયું. નેશનલ NH-48 ધસી પડ્યો છે, જેના કારણે 10 કિમી લાંબો જામ લાગી ગયો. સર્વિસલેનની ગટરમાં એક સ્કૂલ બસ પણ ફસાઈ ગઈ છે. રાજસ્થાનના જાલોરમાં જીપ નદીમાં પલટી ગઈ. ચિત્તોડગઢમાં વીજળી પડવાથી એક જ પરિવારના 3 લોકોના મોત થયા. જ્યારે, મધ્ય પ્રદેશના જબલપુરમાં મંગળવારે સાંજે પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ. યુપીના 50 શહેરોમાં મંગળવારે વરસાદ થયો. મથુરા અને શામલીમાં રસ્તાઓ પર નદીઓ જેવું પાણી વહેતું હતું. કારો અને બાઈકો તણાવા લાગી. અમરોહામાં એક કલાકના વરસાદથી દિલ્હી-લખનૌ હાઈવે પર પાણી ભરાઈ ગયું. દિલ્હી-મુંબઈમાં ભારે વરસાદ, ઘણી ફ્લાઈટ્સ પ્રભાવિત દિલ્હી અને મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદની અસર ફ્લાઈટ્સ પર પણ પડી છે. ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા અને થોડા વહેલા નીકળવાની સલાહ આપી છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં 7 થી 9 જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. અરુણાચલમાં પૂર-ભૂસ્ખલનથી 94 હજાર લોકો પ્રભાવિત અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલને 26 જિલ્લાના 94 હજારથી વધુ લોકોને પ્રભાવિત કર્યા છે. 4 લોકોના મોત થયા છે, 21 ઘાયલ છે અને 2 મહિલાઓ ગુમ છે. અહીં, કર્ણાટકના બેલગાવી અને શિવમોગ્ગામાં આજે શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. દેશભરમાંથી હવામાનની 5 તસવીરો… દેશભરના હવામાન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ સીઝફાયર છતાં ઈરાન પર એરસ્ટ્રાઈક કરી:80થી વધુ ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા; ઈરાને કહ્યું- હુમલાનો જડબાતોડ જવાબ મળશે
    Next Article
    સોલા સિવિલમાં કુસુમબા અન્નક્ષેત્ર દ્વારા નિઃશુલ્ક ભોજન સેવા:દરરોજ હજારો જરૂરિયાતમંદોને પૌષ્ટિક આહારનું વિતરણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment