Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધેડની કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો:વ્યાજે લીધેલા 3.5 લાખ રૂપિયા વ્યાજ સાથે પરત કર્યા બાદ પણ વધુ રકમની માંગણી કરી માનસિક આપ્યો, કંટાળીને આરોપીએ હત્યાનો પ્લાન બનાવ્યો

    10 hours ago

    વડોદરા જિલ્લાના કરજણ પાસે કુરાલીથી કોઠાવ જતી કેનાલ રોડ પર થયેલી આધેડના હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપીએ વ્યાજે લીધેલા 3.5 લાખ રૂપિયા વ્યાજ સાથે પરત કર્યા બાદ પણ કનકસિંહે વધુ રકમની માંગણી કરીને માનસિક આપ્યો હતો, જેથી કંટાળીને આરોપીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપી રતિલાલ વસાવાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે ગત તા. 23/04/2026ના રોજ બપોરના સમયે કેનાલ રોડની નીચે ઝાંડી-ઝાંખરામાં એક અજાણ્યા આધેડની લાશ પ્લાસ્ટિકના કોથળામાં ભરેલી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરી પુરાવા નષ્ટ કરવા લાશ છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હાથ ધરાયું હતું. નાયબ પોલીસ અધિક્ષક પી.એન. પટેલની આગેવાનીમાં એલ.સી.બી., એસ.ઓ.જી. અને કરજણ પોલીસની સંયુક્ત ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. LCB પીઆઇ પી.જે.ખરસાણ, ગ્રામ્ય SOG પીઆઇ પી.કે.સોઢા, અને કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.પટેલ તપાસમાં જોડાયા હતા. પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ કનકસિંહ માનસિંહ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. જે વ્યાજે નાણા આપવાનો ધંધો કરતા હતા. પોલીસે નાણાકીય લેવડદેવડ તથા અંગત અદાવતના દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકની બાઈક ધાવટ ગામ નજીક મળી આવી હતી. હ્યુમન અને ટેક્નિકલ સોર્સની મદદથી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કનકસિંહ પાસેથી ગામના જ રહેવાસી રતિલાલ અમરસંગ વસાવાએ વ્યાજે રૂપિયા લીધા હતા અને ઉઘરાણીને લઈને બંને વચ્ચે મનદુઃખ હતું. પોલીસે રતિલાલ વસાવાને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરતા શરૂઆતમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો. આરોપીએ કબૂલાત કરી કે, વર્ષો પહેલા લીધેલા 3.5 લાખ રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં કનકસિંહ વધુ રકમની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે કંટાળી જઈ આરોપીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તા. 18/04/2026ના રોજ સવારે કુરાલી બસ સ્ટેન્ડ પાસે મળ્યા બાદ આરોપીએ કનકસિંહને બપોરે પૈસા આપવાના બહાને કેનાલ રોડ પર એકાંત જગ્યાએ બોલાવ્યા હતા. ત્યાં ગળામાં દોરી વડે ટૂંપો આપી તેમની હત્યા કરી લાશને કોથળામાં ભરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ મૃતકની બાઈક અન્ય સ્થળે મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી રતિલાલ અમરસંગ વસાવા (રહે. ડુરાલી, તા. કરજણ, જી. વડોદરા)ને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    A cake, a phone call, and three deaths: Inside the deadly birthday party in UP’s Bulandshahr
    Next Article
    1.36 કરોડથી વધુ મતદારો મતદાનથી દૂર રહ્યા:મનપામાં 49.30 લાખ અને જિલ્લા પંચાયતમાં 87.36 લાખ મતદારોની ઉદાસીનતા, રાજ્યમાં 68 ફરિયાદો, ચુડા તાલુકાના જેપર ગામે ફરી મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment