Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ બેંક ચૂંટણી, મતગણતરી હોબાળા બાદ ફરી શરૂ:પ્રગતિશીલ, પરિવર્તન પેનલ સહિત 35 ઉમેદવારનું ભવિષ્ય નક્કી થશે

    13 hours ago

    પાટણ નાગરિક સહકારી બેંકના સંચાલક મંડળની 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે ફરી શરૂ કરવામાં આવી છે. રવિવારે રાત્રે થયેલા ભારે હોબાળા બાદ મતગણતરી પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને નવીન ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલ, પરિવર્તન પેનલ અને અપક્ષ સહિત કુલ 35 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 31,187 મતદારોમાંથી 9,170 સભાસદોએ મતદાન કર્યું હતું. રવિવારે સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી, પરંતુ મોડી રાત સુધીમાં 9,170 મતોમાંથી માત્ર 1,453 મતોની જ ગણતરી પૂર્ણ થઈ શકી હતી. આ દરમિયાન, ચૂંટણી અધિકારી દ્વારા અચાનક મતગણતરી બંધ રાખવાનો નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો હતો. અધિકારીએ કારણ આપ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા મોટાભાગના કર્મચારીઓ શિક્ષકો હોવાથી સોમવારે શાળાઓ ચાલુ હોવાને કારણે તેઓ કામગીરી ચાલુ રાખી શકે તેમ નથી. આ નિર્ણયથી ગણતરી સ્થળ પર હાજર ઉમેદવારો અને સમર્થકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને જોરદાર હોબાળો શરૂ થયો હતો. પરિવર્તન પેનલના સભ્યોએ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને મોડી રાત સુધી મતગણતરી ચાલુ રાખવા દબાણ કર્યું હતું. વધતા જતા વિવાદ અને તંગદિલીભર્યા માહોલને જોતા ચૂંટણી અધિકારી દ્વારા પોલીસ પ્રોટેક્શન બોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, પોલીસ બંદોબસ્તની હાજરીમાં તમામ મતપેટીઓને સુરક્ષિત રીતે સીલ કરીને મતગણતરી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી. આ મામલે પ્રાંત અધિકારી સાથે બંને પેનલના ઉમેદવારોએ બેઠક યોજી હતી. આ બેઠક બાદ આજે ફરી પોલીસ બંદોબસ્ત વચ્ચે અને નવીન ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં 7 રૂમમાં મતગણતરી પુનઃ શરૂ કરવામાં આવી છે. મોડી રાત સુધીમાં પ્રગતિશીલ પેનલ કે પરિવર્તન પેનલ વિજયી બને છે તે સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરના ટાંકી ગામે કોઝ-વેમાં સ્કૂલવાનચાલક ગરકાવ:વિદ્યાર્થિનીને ઘરેથી લેવા જતો હતો, પાણીના તેજ પ્રવાહમાં કોઝવેમાં ડૂબ્યો, NDRFની ટીમે શોધખોળ આદરી, મામલતદાર દોડી ગયા
    Next Article
    નરોડાથી વિંઝોલ સુધી ખારીકટ કેનાલના બંને બાજુ થ્રી-લેન રોડ બનશે:વૃક્ષારોપણ અને જંક્શન ડેવલપમેન્ટ થશે, મેયર સહિતના પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment