Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના બે બનાવ નોંધાયા:ફોન પર પત્ની સાથે ઝઘડો થયા પછી 35 વર્ષીય યુવાને અને કેન્સરની બીમારી બાદ આર્થિક ભીંસથી કંટાળી આધેડે જીવન ટૂંકાવ્યું

    10 hours ago

    રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સરદાર પાર્કમાં ફોન પર પત્ની સાથે ઝઘડો થયા પછી 35 વર્ષીય અનિલ ચૌહાણએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ ઉત્તરપ્રદેશનો વતની અનિલ ચૌહાણ ગઈકાલે પોતાના ઘરે છતના હૂંકમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અનિલ કલરકામની મજુરી કરતો હોવાનું અને તેને ચાર સંતાન હોવાનું સામે આવ્યું છે. વતનમાં તેની સાળીના લગ્ન હતા જેથી પત્ની અને સંતાનો યુપી ગયા હતા ગઈકાલે રાત્રે પત્નીનો ફોન આવ્યો ત્યારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને બાદમાં ફોન કટ કરી અનિલે પગલું ભરી લીધું હતું. અનિલનો નાનો ભાઈ તેની પત્ની સાથે નીચેના માળે જ રહેતો હોય, પત્નીએ દેરાણીને ફોન કરી અનિલ શું કરે છે તે જોવાનું કહેતા ઘટનાની જાણ થઈ હતી. હાલ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. કેન્સરની સારવાર અને આર્થિક ભીંસથી કંટાળીને પ્રૌઢનો આપઘાત રમેશભાઈ જીવરાજભાઈ આંબલીયા (ઉં.વ.50) આજે સવારે 11.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે છતના હુંકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સિવાયના પરિવારજનો દીકરીના ઘરે જવાની તૈયારી કરતા હતા, ત્યારે જોયું તો રૂમનો દરવાજો અંદરથી લોક હતો. દરવાજો ખખડાવ્યો છતાં રમેશભાઈએ ખોલ્યો ન હતો, જેથી દરવાજો તોડીને જોતા રમેશભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. 108ના ઇએમટીએ તપાસી રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. રમેશભાઈને બે વર્ષથી મોઢાનું કેન્સર હતું. જેનું અગાઉ ઓપરેશન પણ કરાવ્યું હતું. કેન્સરની બીમારી અને ત્યારબાદ આવેલા આર્થિક ભીંસથી કંટાળીને આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે. ભગવતીપરાનો ભયલુ ઉર્ફે ચીકી ગાંજા અને ચલમ સાથે ઝડપાયો બી ડિવિઝન પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ભગવતીપરામાં એક શખ્સ શંકાસ્પદ જણાતા પોલીસે તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રહલાદસિંહ ઉર્ફે ભયલુ ઉર્ફે ચક્કી બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.26) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની અંગ જડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાં એક કાળા કલરના પ્લાસ્ટિકના ઝબલામાંથી શંકાસ્પદ પદાર્થનો જથ્થો મળી આવતા FSLમાં ખરાઇ કરાયા બાદ આ શંકાસ્પદ પદાર્થ ગાંજો હોવાનું સામે આવતા પોલીસે રૂ.4,845ની કિંમતનો 0.969 ગ્રામ ગાંજો અને માટીની ચલમ, માચીશ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી પ્રહલાદસિંહ ઉર્ફે ભયલું સામે NDPS એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગાંજા અને ચલમ સાથે ઝડપાયેલા આ શખ્સની પુછપરછ કરતા તેણે રટણ કર્યું હતું કે, પખવાડિયા પૂર્વે તે જુનાગઢ ગયો હતો. દરમિયાન અહીં કોઈ સાધુ પાસેથી તે આ ગાંજાનો જથ્થો લાવ્યો હોવાની કબુલાત આપી હતી જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં કિશોરે માનસિક અસ્વસ્થ કિશોરી પર દુષ્કર્મ આચર્યું:પાડોશમાં રહેતા સગીર સામે પોક્સો હેઠળ ગુનો દાખલ
    Next Article
    વલસાડમાં નકલી પાસપોર્ટ કૌભાંડ ઝડપાયું:SOGએ માસ્ટરમાઇન્ડ સહિત આરોપીઓને 4 મે સુધી રિમાન્ડ પર લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment