Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીનું સ્વાગત:નંદ સંતો રચિત 33 રાસ ધરાવતા અલ્બમનું વિમોચન, દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું- સંસ્કૃતિની પુષ્ટિ માટે સંતો સદાય કાર્યરત

    16 hours ago

    સુરત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રાજકોટ સંસ્થાનની દેશ-વિદેશની 67 શાખાઓના અધ્યક્ષ દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી થતા સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, ગુરુકુલ અને તેના સંતો ક્યારેય પોતાના સ્વાર્થપૂર્તિ કે સ્વાર્થ પુષ્ટિ માટે કાર્ય કરતા નથી, પરંતુ તેઓ સદા ભારતીય સંસ્કૃતિની પુષ્ટિ અને રક્ષા માટે જ સતત કાર્યરત રહે છે. યુવાધનને અનીતિ અને ફ્રોડથી દૂર રહેવાની હાકલ યુવા પેઢીને જીવનનો સાચો રાહ ચિંધતા દેવકૃષ્ણદાસજી સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું કે, બાળપણમાં ઉત્તમ વિદ્યા મેળવવી જોઈએ અને યુવાવસ્થામાં પ્રગતિ કરીને ધન કમાવવું જોઈએ. પરંતુ એ ખાસ ધ્યાનમાં રાખવું કે તે ધન કોઈની આંતરડી દુભાવીને, અન્યાય કે અનીતિના માર્ગે મેળવેલું ન હોવું જોઈએ. આજકાલના સમયમાં જલ્દી ધનવાન બની જવા માટે લોકો ટૂંકા રસ્તા અપનાવે છે, પરંતુ યુવાનોએ ક્યારેય પણ ફ્રોડ કરતા શીખવું ન જોઈએ કે આવા કોઈ ખોટા કૃત્યોમાં ફસાવવું જોઈએ નહીં. ભવ્ય સ્વાગત પૂજન અને નૃત્ય મહોત્સવ દેવકૃષ્ણદાસજી સ્વામી સુરત ગુરુકુલમાં પધારતા જ ત્યાંના પૂર્વ વિદ્યાર્થીઓએ તેમનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. રાત્રિના સમયે ગુરુકુલ પરિસરમાં વિશેષ સ્વાગત પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ ઠાકોરજીનું વિધિવત પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે મહંત ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, શ્વેત સ્વામી અને ભક્તિતનય સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વિદ્યાર્થીઓ જેવા કે લાલજીભાઈ પટેલ, ધીરુભાઈ કોટડીયા, Lાલજીભાઈ તોરી અને શિવલાલભાઈ પાંભર વગેરેએ સ્વામીજીને હાર પહેરાવી આશીર્વાદ લીધા હતા. આ સાથે જ નાના બાળકોએ મનમોહક સ્વાગત નૃત્ય રજૂ કરીને સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ ઉત્સવ દરમિયાન પુરાણી અક્ષરપ્રિયદાસજી સ્વામી, પ્રભુ સ્વામી તેમજ મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યા હતા. 200 વર્ષ જૂના રાસ આલ્બમનું વિમોચન સમારોહના પૂર્ણાહુતિના ભાગરૂપે ગુરુકુલના 80 બાળ અને યુવા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ ‘રમે રાસ પિયા ઘનશ્યામ’ ઓડિયો-વીડિયો આલ્બમનું ભવ્ય વિમોચન મહંત સ્વામી ધર્મવલ્લભદાસજીએ દેવકૃષ્ણદાસજી સ્વામીના વરદહસ્તે કરાવ્યું હતું. આ આલ્બમની વિશેષતા એ છે કે તેમાં 200 વર્ષ પહેલાં નંદ સંતો દ્વારા રચાયેલા 33 મનમોહક અને પરંપરાગત રાસ-નૃત્યોનો સમાવેશ કરાયો છે. આ આખો શો એક કલાકનો છે. આ અદ્ભુત આલ્બમને ખૂબ જ મહેનતથી તૈયાર કરનાર વિશ્વરૂપદાસજી સ્વામી તથા વિવેક સ્વામી ઉપર સ્વામીજીએ પ્રસન્ન થઈને દિવ્ય આશીર્વાદ વર્ષાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શિષ્યવૃતિ કૌભાંડનો માસ્ટર માઈન્ટ ઝડપાયો:વડોદરાના યુવકના નામે ગાંધીનગરની કોલેજમાં બોગસ એડમિશન લઈ બારોબાર સ્કોલરશીપ ઓળવી ગયો હતો, સરકારી બાબુઓ સુધી તપાસનો રેલો પહોચશે
    Next Article
    પાલનપુરમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત; અન્ય ગુનાઓમાં પણ સંડોવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment