Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવ્ય પાટોત્સવનું આયોજન:સંત રોહિદાસ મંદિરે બાબા રામદેવજીનો 33 જ્યોતિ પાટોત્સવની ઉજવણી કરાઈ

    1 day ago

    ઐતિહાસિક વઢવાણ શહેરના સંત રોહિદાસ મંદિર ખાતે બાબા રામદેવજી મહારાજના 33માં જ્યોતિ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહોત્સવ દરમિયાન સંતોના સામૈયા, પાટ જ્યોતિ પ્રાગટ્ય અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ આ 3 જ્યોતિ પાટના આચાર્ય તરીકે સંત શાંતિરામબાપુ અને અલખરામ બાપુએ બિરાજીને ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. રાત્રે યોજાયેલા ભોજન મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે રાત્રિના સમયે ભવ્ય સંતવાણીનું આયોજન થયું હતું, જેમાં મોડી રાત સુધી ચાલેલી સંતવાણીમાં જયેશભાઈ સોલંકી, નરેશભાઇ જોષી, ગૌતમબાપુ, આશાબેન રાબડીયા વગેરે ભજનીકોએ રામદેવપીરના હેલા અને ભજનો પીરસ્યા હતા. મહંત કલ્યાણગીરીબાપુ, ધરમદાસ, ગુલાબદાસ, કનુરામબાપુ, નાથાભગત, ભવાનીશંકરબાપુ, પુષ્પાબેન સાધુ વગેરે સંતો-મહંતોની ઉપસ્થિતિ અને ભક્તિમય સંગીતથી વઢવાણની ધરા પર દિવ્ય માહોલ સર્જાયો હતો. આ મહોત્સવને સફળ બનાવવા માટે નાનકદાસ, રંજનબેન મણીલાલ જોષી, બળવંતભાઈ, દિપકભાઇ, અજયભાઈ, ઉદિતભાઈ તેમજ સમગ્ર જોષી પરિવારે જહેમત ઉઠાવી સેવા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ફૂડ વિભાગની કાર્યવાહી:ફેબ્રુઆરીમાં 42 નમૂના લેવાયા પણ 50 રિપોર્ટ તો હજુ વેઇટિંગમાં
    Next Article
    લીંબડીમાં સ્વદેશી મેળાનો પ્રારંભ:હાથે વણેલા, પરંપરાગત પોશાકો, માટીના વાસણો, ​ખેતીની પેદાશો, કાઠિયાવાડી સહિતના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment