Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:વેકેશનમાં સિંહ દર્શનનો ક્રેઝ : ગિરનાર નેચર સફારીમાં 31 મે સુધીની પરમીટ બુક

    5 days ago

    તાજેતરમાં જ શાળાઓમાં વેકેશન જાહેર થયુ છે. જેને કારણે ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફરવાલાયક સ્થળોની સાથે લોકોમાં જંગલનો આનંદ તેમજ સિંહ દર્શનનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે. વેકેશનને લઇને ગિરનાર નેચર સફારી, ગીર જંગલ સફારી, દેવળીયા પાર્ક સફારીની પરમીટો એડવાન્સ બુકીંગ થયુ છે. જૂનાગઢ ગિરનાર નેચર સફારીના અધિકારીએ જણાવ્યુ કે, વેકેશન શરૂ થતા જ સિંહ દર્શન માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેને કારણે લોકો એડવાન્સ બુકીંગ કરાવ્યુ છે. ગિરનાર નેચર સફારીમાં સવારે 4 અને સાંજે 4 મળી કુલ 8 પરમીટ હોય છે. જેમાં હાલ 31 મે સુધીમાં કોઇક દિવસ જ એકલ- દોકલ સ્લોટ ખાલી હોવાની સાથે તમામ પરમીટો એડવાન્સ બુકીંગ થયા છે. સાથે ગીર જંગલ સફારીમાં 17 મે સુધી સવાર-બપોર- સાંજ ત્રણેય સ્લોટ અને 18 થી 27 મે સુધી સવાર અને સાંજ ના ત્રણેય સ્લોટ બુક છે. આમ, લોકો વેકેશનની રજાઓમાં સિંહ દર્શનનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે. અહીં સમજો.... પરમીટ, ગાડી, ગાઇડના ચાર્જ‎ ગીર જંગલ સફારી, દેવડીયા પાર્ક સફારી ગિરનાર નેચર સફારી
    Click here to Read More
    Previous Article
    સોમનાથ અમૃત પર્વ:વેરાવળ રેલવે સ્ટેશન પર એમપીના 1100થી વધુ યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત
    Next Article
    ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ:આજે સવારે 11થી 1 વાગ્યા સુધી પરીક્ષા, અમદાવાદ-રાજકોટ સહિતના કેન્દ્રો પર વિદ્યાર્થીઓ આપશે ટેસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment