Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 31મી રથયાત્રા:રૂટ પર સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને બેરિકેડિંગની સઘન વ્યવસ્થા, ઠેર-ઠેર રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાશે

    1 day ago

    વલસાડ શહેરમાં ગુરુવારે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની 31મી રથયાત્રા નીકળશે. આ માટે રથને અંતિમ ઓપ આપી દેવાયો છે અને ભક્તોના સ્વાગત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા આયોજન સમિતિ દ્વારા રથની મરામત, રંગરોગાન અને શણગારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આયોજન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શન અને પૂજા-અર્ચનાનો લાભ લઈ શકે તે માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને બેરિકેડિંગની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ આયોજન કરાયું છે અને રૂટમાં કોઈ અવરોધ ન રહે તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. રથયાત્રાના માર્ગ પર વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. ઠેરઠેર શરબત, પીવાના પાણી અને અન્ય સેવા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. શહેરભરના ભક્તોમાં રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી શક્યતા છે. વહીવટી તંત્રએ ભક્તોને શાંતિ જાળવી રથયાત્રામાં સહયોગ આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી શાળામાં બેંક ખાતા ખોલવાનો કેમ્પ યોજાયો:ગુજરાત ગ્રામીણ બેંકના સહયોગથી 100 વિદ્યાર્થીઓના ખાતા સ્થળ પર ખુલ્યા
    Next Article
    રોજગારની શોધમાં UAE ગયેલા 60 ભારતીયોને ડિપોર્ટ કરાયા:દુબઇથી સુરત એરપોર્ટ પહોંચ્યા, સ્થાનિક કાયદાના ઉલ્લંઘનનો આરોપ; પાસપોર્ટ-મોબાલઈ પણ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment