Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજી શક્તિપીઠમાં કાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ:સોની પરિવાર દ્વારા માતાજીની સવારીઓનું પ્રક્ષાલન કરાયું; 31 માર્ચથી પૂનમનો ભવ્ય મેળો ભરાશે

    2 days ago

    ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન બહુચરાજી મંદિરમાં આવતીકાલથી ચૈત્રી નવરાત્રી મહોત્સવનો અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર મહોત્સવ પૂર્વે આજે ફાગણ વદ અમાસના દિવસે મંદિરમાં પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિ એટલે કે શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માતાજીની વિવિધ સવારીઓનું વિધિવત રીતે શુદ્ધિકરણ કરાયું વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સ્થાનિક સોની પરિવાર દ્વારા માતાજીની વિવિધ સવારીઓનું વિધિવત રીતે શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ સાફ-સફાઈ અને યંત્ર પૂજા પણ સંપન્ન કરવામાં આવી હતી. સામાન્ય રીતે અન્ય ધાર્મિક સ્થળોએ આસો નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ બહુચરાજી શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીનો ઉત્સવ અનેરો મહિમા ધરાવે છે. પ્રથમ નોરતે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ઘટસ્થાપન કરાશે આવતીકાલે નવરાત્રીના પ્રથમ નોરતે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ઘટસ્થાપન કરવામાં આવશે, જેની સાથે જ 10 દિવસીય નવરાત્રી મહોત્સવનો વિધિવત આરંભ થશે. આ મહોત્સવ દરમિયાન છઠ, સાતમ અને આઠમના પવિત્ર દિવસોએ મંદિરમાં વિશેષ યજ્ઞોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ચૈત્રી પૂનમનો ભવ્ય મેળો ભરાશે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના અધિકારીઓ અને પૂજારીના જણાવ્યા અનુસાર આ 10 દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ લેવા ઉમટી પડશે. નવરાત્રી બાદ 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ત્રણ દિવસ માટે ચૈત્રી પૂનમનો ભવ્ય મેળો પણ ભરાશે. મેળા અને નવરાત્રી દરમિયાન આવતા માઈભક્તોને દર્શનમાં કોઈ અગવડ ન પડે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ સુવિધાઓ અને વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર નવરાત્રી દરમિયાન માતાજીને વિવિધ આભૂષણો અને પુષ્પોના વિશેષ શણગાર પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100ટકાનો વધારો:હોટલ ઉદ્યોગ પર સંકટ, મેનૂમાં 10ટકા ભાવવધારાની શક્યતા
    Next Article
    સમા હરણી રોડ પર ગેસ લાઇનમાં આગ:ચેતકબ્રિજ પાસે કચરામાં લાગેલી આગ ગેસલાઇન સુધી પહોચી, અડધો કલાક આગની જ્વાળાઓ 15 ફીટ સુધી પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment