Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડીનો મામલો સામે આવ્યો:વરાછામાં 31 દિવસની મુદ્દતે ઉધારમાં રૂ. 23 લાખના હીરા લઇ વેપારી ફરાર

    8 hours ago

    વરાછા વિસ્તારમાં CVD રફ હીરાના વેપારમાં 23.47 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી વેપારી હર્ષદ મહેતા પર હીરા ઉધાર લીધા બાદ નાણાં ન ચૂકવી મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો છે. આ મામલે અશ્વિનીકુમાર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ ભાવનગરના વતની અને હાલ વરાછાની કસ્તુરબા સોસાયટીમાં રહેતા રશ્મિનભાઈ જાસોલિયા છેલ્લા ત્રણ વર્ષથી એ.કે. રોડ સ્થિત ‘કર્મ ડીએમ એલએલપી’ ફર્મમાં CVD રફ વિભાગમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે. તેમનું કામ વેપારીઓ અને દલાલોને હીરા બતાવી સોદો કરાવવાનું છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી હર્ષદભાઈ ચીનુભાઈ મહેતા અગાઉ પણ તેમની બીજી ફર્મ ‘કાકા ડીએમ’ પાસેથી દલાલ મયુરભાઈના માધ્યમથી હીરા ખરીદી ચૂક્યો હતો અને સમયસર ચૂકવણી કરતો હતો. 27 નવેમ્બર 2025 ના રોજ તેને 1682.27 કેરેટ CVD રફ હીરા 15.15 ડોલર પ્રતિ કેરેટના ભાવે વેચવામાં આવ્યા હતા. સોદો 25,486.39 ડોલર એટલે કે 23.47 લાખ રૂપિયાનો થયો હતો. આરોપીએ કાચી ચિઠ્ઠી પર સહી કરીને 31 દિવસમાં નાણાં ચૂકવવાનું વચન આપ્યું હતું. સમય પૂરો થતા તેણે પહેલા 10 દિવસની મહોલત માંગી અને બાદમાં સતત બહાના બનાવી સમય પસાર કરતો રહ્યો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, 9 જાન્યુઆરી 2026થી આરોપીનો મોબાઈલ બંધ આવવા લાગ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બે વેપારીઓ સાથે 34.59 લાખની છેતરપિંડી:સારોલીના વેપારીને 16 લાખનો ચૂનો ચોપડ્યો, ચેક પણ બાઉન્સ
    Next Article
    RSS પશ્ચિમ ક્ષેત્રના વિશેષ વર્ગનો પ્રારંભ:સ્વયં સેવકોના અનુશાસન અને રાષ્ટ્ર ભાવના વ્યકત કરતો સંઘનો શિક્ષા વર્ગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment