Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોણ બનશે મેયર?:જામ્યુકોના 31મા મેયરપદ માટે મહિલા અનામત, પાંચ મહિલાઓ વચ્ચે પણ રેસ

    1 week ago

    જામ્યુકોના 31માં મેયર માટે સામાન્ય મહિલા અનામત જાહેર કરાઈ છે. જેથી ચુંટાયેલા મહિલાઓ પ્રથમ અઢી વર્ષ મેયર બનવા માટે પાંચ મહિલાઓ વચ્ચે રેસ શરૂ થયો છે. તો બીજી બાજુ ભાજપના નેતાઓ દ્વારા સેન્સ પણ લેવામાં આવી છે. ડે.મેયર પદ માટે ભાનુશાળી, સતવારા અને સોની સમાજમાંથી ચુંટાયેલાઓની શક્યતાઓ છે. સ્ટેન્ડીંગ કમિટી માટે વોર્ડ નં.1માં ભાજપની આખી પેનલ લાવનાર તેમજ અમર મોદી સહિતના 3 દાવેદારો છે. જ્યારે મેયર પદ માટે જ્ઞાતિ તેમજ પક્ષની કામગીરી સહિતની વિગતો સેન્સ પ્રક્રિયામાં લેવાયા છે. જામ્યુકોમાં 31માં મેયર પદ માટે ખાસ કરીને મોનિકાબેન વ્યાસની વાત કરવામાં આવે તો તેઓ 30 વર્ષ થયા સંગઠનનું કામ કરી રહ્યા છે અને તેમનું સંપૂર્ણ બેકગ્રાઉન્ડ સંઘ પરિવારમાંથી આવે છે એટલા માટે તેઓ મેયર બની શકે તેવી સંપૂર્ણ શક્યતા લાગે છે. જ્યારે બીજી તરફ સામાન્ય મહિલામાં તૃપ્તિબેન ખેતિયાની બીજી ટર્મ હોવાથી બ્રહ્મ સમાજમાંથી આપવામાં આવે તો તેમનો પર ચાન્સ લાગી શકે છે. તેમજ પટેલ સમાજમાંથી વાત કરવામાં આવે તો ખ્યાતિ મુંગરા અને જ્યોત્સનાબેન પાંભર અને ક્ષત્રિય સમાજમાંથી હર્ષાબા જાડેજા પ્રથમ વખત ચૂંટણી લડીને જીત્યા છે, અને તેના પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંગઠનમાં કામ કરી રહ્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર પદની વાતમાં કરવામાં આવે તો જ્યારે અમર કનખરા વિપક્ષ નેતા ધવલ નંદાને હરાવીને આવ્યા છે. તેમજ તેમનો પરિવાર વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. અને યુવા ચહેરો છે. તેમજ પૂર્વેશ પરમાર જેવો સથવારા સમાજમાંથી આવે છે અને વર્ષો થયા તેનો વોર્ડ નં-11માં પરિવારનો દબદબો રહ્યો છે અને સતવારા સમાજને સાચવવા માટે તેમને પણ ડેપ્યુટી મેયર પદ આપવામાં આવે તો નવાઈ નહીં. જ્યારે ધીરેનકુમાર મોનાણી સોની સમાજમાંથી આવે છે અને વોર્ડ નં-9માંથી કોર્પોરેટર બન્યા છે, જેથી સુવર્ણ સમાજમાં સોની સમાજને સ્થાન આપવામાં આવે તો ધીરેનકુમાર મોનાણી પણ ડે. મેયર બની શકે છે. સ્ટે. કમિટીના ચેરમેન તરીકે પાર્થ, મોદી, રબારી મોખરે... જામ્યુકોના સ્ટે.કમિટીના ચેરમેન માટે પટેલ સમાજમાંથી આપવામાં આવે તો પાર્થ કોટડીયાનું નામ સૌથી આગળ છે, તેઓ ધારાસભ્યના નજીકના છે. તેમજ આલાભાઇ રબારીની વાત કરીએ તો તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, અને યુવા મોરચાથી લઈને સંગઠનમાં કામ કરી રહ્યા છે. અમર મોદી વોર્ડ નં-1માંથી આખી ભાજપની પેનલને વિજેતા બનાવી છે, તે પણ એક ઐતિહાસિક છે કેમકે સૌથી વધુ મુસ્લિમ વોર્ડ ધરાવતો વોર્ડ નં-1 છે તેમાં અત્યાર સુધી ક્યારેય ભાજપની પેનલ આવી નથી.
    Click here to Read More
    Previous Article
    NEETની પરીક્ષા:જામનગરના 5 કેન્દ્ર પર 1658 છાત્ર આજે નીટની પરીક્ષા આપશે
    Next Article
    અભયમની સુંદર કામગીરી:ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ્ 181’ ટીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment