Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રિપુટીએ સ્કૂલના મેનેજરને મુંબઇ બોલાવી બતાવેલી બસના બદલે બીજી પધરાવી‎:બોરસદની વાત્સલ્ય ઈન્ટરનેશનલ સ્કૂલને બસ વેચાતી આપવાનું કહી 31 લાખની ઠગાઈ

    5 days ago

    બોરસદમાં આવેલી વાત્સલ્ય ઈન્ટરનેશનલ સ્કૂલને બસ વેચાણના નામે મુંબઈના ત્રણ શખસોએ રૂપિયા 31 લાખનો ચુનો ચોપડ્યો હતો. આ મામલે બોરસદ શહેર પોલીસે ત્રણેય શખસ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદના ડભાસી રોડ સ્થિત મૂળ ગીર ગઢડાના વતની વિશાલકુમાર મનસુખભાઈ દોંગા રહે છે. તેઓ વાત્સલ્ય ઈન્ટરનેશનલ સ્કૂલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. નવા સત્ર દરમિયાન તેમને બે સ્કૂલ બસની જરૂર હોઈ તેમના સત્તાધીશોની મંજૂરી મેળવીને તેમણે તેમના એક ઓળખીતા મારફતે મુંબઈના અંધેરી ઈસ્ટ ખાતે રહેતા અબ્દુલખાન બારી મલીકનો સંપર્ક કર્યો હતો. જેથી તેઓએ તેમને મુંબઈ ખાતે બોલાવ્યા હતા. એ સમયે તેઓ અબ્દુલખાન બારી મલીક, મહોમ્મદસાદ આફીક ખાન તેમજ દિલીપ દત્તાને મળ્યા હતા. જ્યાં તેઓએ અન્ય ખાનગી સ્કૂલની બે બસ બતાવી હતી. બસ તેમને પસંદ આવતા બંનેના રૂપિયા 31 લાખ કહ્યા હતા. જે આરટીજીએસ મારફતે સ્કૂલના એકાઉન્ટમાંથી ચૂકવ્યા હતા. જોકે, બીજી તરફ ત્રણેય શખસોએ બસમાં કેમેરા હોય તેને કાઢવાના હોય ત્યારે ડિલીવરી ન આપી, થોડા સમય બાદ ડિલીવરી આપવાનું જણાવ્યું હતું. જોકે, આ ત્રણેય શખસોએ એકબીજાના મેળાપીપણામાં મળી નંબર પ્લેટ બદલીને બસ મોકલી આપી હતી. પરંતુ વિશાલકુમારને નંબરના આધારે શંકા જતાં તેમણે એન્જિન, ચેસીસ તેમજ રજિસ્ટ્રેશન નંબરની ખરાઈ કરી હતી. જેમાં નંબર પ્લેટ સાથે મિસમેચ આવતા હતા. આમ, શખસોએ ખોટી નંબર પ્લેટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વેચાણ કરાર નોટરી કરી આપી છેતરપિંડી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આણંદ જિલ્લાના તલાટીઓની પડતર પ્રશ્નો મુદ્દે આંદોલન છેડવાની ચિમકી:સાડા ત્રણ વર્ષથી જોબ ચાર્ટ અલગ કરવા સહિતના પ્રશ્ન ન ઉકેલતા રોષ‎
    Next Article
    જીટોડીયા, ચાવડાપુરા અને બોરસદ ચોકડી,મોગરી રોડ સહિતના વિસ્તારમાં મોંકાણ:આણંદમાં શોર્ટ સર્કિટથી સ્ટ્રીટ લાઈટો બંધ થતાં 300થી વધુ સોસાયટીમાં અંધારપટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment