Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમીની શોભાયાત્રાને લઈને પોલીસ સજ્જ:આવતીકાલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે નીકળનારી ભવ્ય શોભાયાત્રાને લઈને પોલીસ તંત્ર સજ્જ, 300થી વધુ જવાનોનો 'લોખંડી બંદોબસ્ત'

    12 hours ago

    આવતીકાલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે નીકળનારી ભવ્ય શોભાયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવાય તે માટે પોલીસ દ્વારા સુરક્ષાના સજ્જડ આયોજન કરવામાં આવ્યા છે, જેમાં આજરોજ ગંગાજળીયા પોલીસ મથકે ​શાંતિ સમિતિની બેઠક અને જનભાગીદારી ​શોભાયાત્રા પૂર્વે આજે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મહત્વની બેઠક યોજવામાં આવી હતી જેમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગેવાનો દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અને વ્યવસ્થાપનને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા, જેને પોલીસે ગંભીરતાથી નોંધી અમલીકરણ કરવાની ખાતરી આપી છે, આ અંગે સિટી ડીવાયએસપી આર.આર.સિંધાલએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે નિકળનારી રામ ભગવાન ની ભવ્ય શોભાયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ​ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ​મુવિંગ બંદોબસ્ત શોભાયાત્રાની સાથે સતત ગતિશીલ રહેતી પોલીસ ટુકડીઓ, ​સ્ટેટિક બંદોબસ્ત નિયત કરાયેલા ચોક્કસ સ્થળો પર તૈનાત પોલીસ જવાનો તથા ​સંવેદનશીલ પોઈન્ટ્સ શહેરના ડી-પોઈન્ટ અને કોમ્યુનલ રીતે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ ડિપ્લોયમેન્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ સહિત 300 થી પણ વધુ પોલીસ જવાનો સુરક્ષામાં જોડાશે તેમજ શોભાયાત્રાના રૂટ પર અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા ઘોડા પર સવાર થઈને પેટ્રોલિંગ કરવામાં આવશે, જેથી ભીડ પર નજર રાખી શકાય. ​પોલીસ પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉત્સાહપૂર્વક અને શાંતિ જાળવીને આ પર્વની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'તંદુરસ્ત' સફાઈ કામદારો કાગળ પર 'અનફિટ' !:રાજકોટ મનપા દ્વારા અનફિટ જાહેર સફાઈ કામદારનાં ડાન્સિંગ વિડીયો વાયરલ, કામદાર યુનિયને બોગસ સર્ટીનાં આધારે રાજીનામાં મંજુર થયાનો ગંભીર આરોપ લગાવ્યો
    Next Article
    PM મોદી 31 માર્ચે ગુજરાત પ્રવાસે:ગાંધીનગરના કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે, ડીસામાં જાહેરસભાને સંબોધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment