Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસનાં કામો વધુ ઝડપી બનશે:રાજકોટ મનપામાં સપ્તાહમાં એક અને મહિનામાં ચાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે; મનપામાં જંગલેશ્વરના 300 લોકોનો હોબાળો

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાની નવી બોડી દ્વારા પ્રજાના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવેથી મનપામાં દર સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે. અગાઉ આ બેઠક મહિનામાં માત્ર એક વખત યોજાતી હતી, પરંતુ મહિના દરમિયાન આવતી વિવિધ દરખાસ્તોનો અભ્યાસ કરવામાં ઘણો સમય લાગતો હોવાથી પદાધિકારીઓ દ્વારા મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પ્રજાલક્ષી કાર્યોની દરખાસ્તોનો ઝડપથી નિકાલ થશે અને વહીવટી પ્રક્રિયા વધુ સુદ્રઢ બનશે. ઉપરાંત, સંગઠન માળખામાં પણ મોટો ફેરફાર કરાયો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા જે પક્ષના પ્રમુખ સાથે સંકલન બેઠક યોજાતી હતી, તેમાંથી હવે પ્રમુખની બાદબાકી કરવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, વહીવટને વધુ આસાન બનાવવા આ નિર્ણય લેવાયો છે અને જો ભવિષ્યમાં જરૂર જણાશે તો પ્રમુખનું માર્ગદર્શન ચોક્કસ મેળવવામાં આવશે. હવેથી મનપામાં જનરલ બોર્ડમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન જ સર્વેસર્વા રહેશે. રાજકોટ મનપામાં જંગલેશ્વરના 300 લોકોનો હોબાળો, ‘અમને આવાસ આપો’ની ઉગ્ર માંગ કરાઈ રાજકોટ મહાપાલિકા દ્વારા ફેબ્રુઆરી માસમાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. આ ડિમોલિશન દરમિયાન તંત્ર દ્વારા નિયમાનુસાર લાયકાત ધરાવતા લોકોને આવાસ ફાળવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, આ ઘટનાને 3 માસ કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી આવાસની ફાળવણી કરવામાં આવી નથી કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત પણ થઈ નથી. જેને લઈને અન્યાય સામે આક્રોશ વ્યક્ત કરવા આજે જંગલેશ્વરના અંદાજે 300 જેટલા નાગરિકો મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. વહેલી સવારથી કચેરીએ ઉમટેલા અરજદારોએ મેયરની લાંબી પ્રતીક્ષા કરી હતી. સુરક્ષાના કારણોસર વિજીલન્સ વિભાગ દ્વારા માત્ર 10 થી 15 આગેવાનોને જ મેયરને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. આ આગેવાનોએ મેયર ડો. નેહલ શુક્લને મળીને આવાસની વહેલી તકે ફાળવણી કરવા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. મેયરે આ ગંભીર મુદ્દે સંબંધિત અધિકારીઓ સાથે તાકીદે ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપી હતી. અમીનમાર્ગ પર હિંગળાજનગરના 70 ઝુપડાં હટાવવા મનપાની નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટઝોન વિસ્તારમાં અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક, નવનિર્મિત ટ્વીન્સ ટાવર પાસે આવેલા હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા 70 જેટલાં ઝુપડા ખાલી કરવા માટે મહાપાલિકા દ્વારા આખરી નોટિસ આપવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખા હસ્તકના આ આવાસ યોજનાના હેતુ માટેના ટીપી પ્લોટ અંગે અગાઉ કાનુની વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આવતાં હવે ઝુપડપટ્ટી ખાલી કરાવવાનો માર્ગ મોકળો બન્યો છે. આ પ્લોટ પર પીપીપી ધોરણે આવાસ યોજના આકાર લેનાર છે, જે માટે મહાનગરપાલિકાએ 20 ટકા જગ્યા આપવાની થાય છે. યોજનાને આગળ વધારવા માટે વેસ્ટ ઝોન વિભાગના એટીપી ભાર્ગવ બારેવાડિયા દ્વારા ઝુપડાવાસીઓને 15 દિવસમાં સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા તાકીદ કરવામાં આવી છે. મનપાએ આજે વિજીલન્સ વિભાગને સાથે રાખી આ પ્લોટનું ડીમાર્કેશન કરવાની કામગીરી પણ પૂર્ણ કરી લીધી છે. ટીપી શાખાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો 15 દિવસની સમયમર્યાદામાં આ પ્લોટ પરથી દબાણ સ્વૈચ્છિક રીતે દુર કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા કડક ડિમોલિશન હાથ ધરી જમીન ખુલ્લી કરાવવામાં આવશે. રાજકોટમાં ‘મેગા’ સફાઈ નાટક, ચારેય ધારાસભ્યો અને સાંસદ સહિતનાએ સાવરણાનું ફોટોસેશન કરાવ્યું દેશના વડાપ્રધાન મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટની જનતાને અચાનક સ્વચ્છતાનો મોટો ડોઝ આપવામાં આવ્યો છે. શહેરમાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના નારા સાથે વિવિધ વિધાનસભા વિસ્તારોમાં 'મેગા સફાઈ અભિયાન' યોજાયું હતું. આ સરકારી ઉત્સવમાં સંસદ સભ્ય પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા અને ભાનુબેન બાબરિયા સહિત ભાજપ પ્રમુખ માધવ દવે અને કમિશનર તુષાર સુમેરા પણ રસ્તા પર સાવરણી સાથે ફોટો સેશન કરાવતા નજરે પડ્યા હતા. પારેવડી ચોક, જ્યુબિલી ગાર્ડન અને સોરઠિયા વાડી જેવા વિસ્તારોમાં નેતાઓએ ઉત્સાહભેર પ્લાસ્ટિકની બોટલો અને કચરો એકઠો કર્યો હતો. સવાલ એ થાય છે કે શું રસ્તા પર પડેલો આ પ્લાસ્ટિકનો કચરો વર્ષના બાકીના 364 દિવસ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને દેખાતો નથી? નિયમિત સફાઈના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા પછી પણ જો નેતાઓએ સાવરણી પકડવી પડતી હોય, તો તંત્રની કામગીરી પર મોટા સવાલો ઊભા થાય છે. આજે પણ દર વખતની જેમ કચરાનો વૈજ્ઞાનિક નિકાલ કરવાની ગુલબાંગો ફૂંકવામાં આવી છે. જનતાને જ કચરો અલગ રાખવાની શિખામણ આપીને નેતાઓ આગામી રેલીઓ અને શપથવિધિના નવા તાયફાઓની તૈયારીમાં લાગી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ભાજપના નેતાની જમીન ખાલસા થશે:બક્ષીપંચ મોરચા પ્રમુખે કહ્યું - રૂ.7 કરોડની 9 વિઘા સાંથણીની જમીનનો પ્રીમિયમ ભર્યા વિના દસ્તાવેજ કર્યો તે મારી ભૂલ
    Next Article
    વડોદરા શહેર અને કરજણમાં આગના બે બનાવો:કારેલીબાગના ફ્લેટમાં અને કરજણના બ્યુટી પાર્લરમાં આગ લાગતા સામાન બળીને ખાખ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment