Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરતા મહિલાને ધમકી:અંબાજી કડવા પ્લોટમાં 7 ફૂટ વધારાના બાંધકામની મનપાની નોટિસ મળતા પડોશીએ કહ્યું - "તને જાનથી મારી નાખવી છે"

    1 day ago

    રાજકોટમાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરતા મહિલાને ધમકી મળી છે. શહેરના કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં એક મકાન ધારકે 7 ફૂટનું વધારાનું ગેરકાયદેસર બાંધકામ ચણતર કર્યું હતું. જેની પડોશી મહિલાએ રાજકોટ મહાનગરપાલિકામાં અરજી કરી હતી. જે બાદ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવતા પડોશી પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલા તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે આ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અંબાજી કડવા પ્લોટ શેરી નં. 1 ખાતે રહેતી 29 વર્ષીય પૂજાબેન ઘનશ્યામભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, 23 જુલાઈના રોજ બપોરના સમયે પાડોશમાં રહેતી ભાવનાબેન અભીરામ નથવાણી અને વિજુબેન પરમારે તેમના ઘર બહાર ઊભા રહી ઉશ્કેરણીજનક ભાષામાં ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. અગાઉ બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો તેમજ નથવાણી પરિવારના મકાનનું આશરે સાત ફૂટ જેટલું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાતા ફરિયાદીએ રાજકોટ મહાનગરપાલિકામાં અરજી કરી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ સ્થળ પર જઈ નોટિસ ફટકારતા તેનો ખાર રાખીને આરોપીઓએ ઝઘડો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ બાદમાં ભાવનાબેનનો પુત્ર તેજસ નથવાણી પણ સ્થળ પર આવી ગાળો બોલવા લાગ્યો હતો. મહિલાએ પતિને ફોન કરતાં તેઓ અને પરિવારના અન્ય સભ્યો ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન તેજસ નથવાણીએ ફરિયાદી અને તેના પરિવારને અપશબ્દો બોલી "તને જાનથી મારી નાખવી છે" તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેજસના પિતા અભીરામ નથવાણી પણ સ્થળ પર આવી ઝઘડામાં જોડાયા હતા અને ગુસ્સામાં ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજા સુધી પહોંચી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આસપાસના લોકો અને અન્ય વ્યક્તિઓએ વચ્ચે પડી તેમને સમજાવી પરત મોકલ્યા હતા. પૂજાબેન ઝાલાએ આરોપ મૂક્યો છે કે ભાવનાબેન નથવાણી, તેજસ નથવાણી, અભીરામ નથવાણી અને પાડોશી વિજુબેન પરમારે એકજૂથ થઈ તેમને તથા તેમના પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ચારેય સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના હર્ષનગર પાસેનો રસ્તો બિસ્માર:વાહનચાલકો પરેશાન, તાત્કાલિક સમારકામની માંગ
    Next Article
    મુખ્ય ઈજનેરે ઉનાઈ-માંડવી રોડની મરામત કામગીરીનું નિરીક્ષણ કર્યું:ઉનાઈ-માંડવી માર્ગ પર 'Ecofix' મટીરીયલથી અત્યાધુનિક પેચ વર્ક શરૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment