Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજાર પરિવાર જર્જરિત મકાનમાં રહેવા મજબૂર:સોલા, વાડજ, શાસ્ત્રીનગરમાં 7 સોસાયટીનું રિડેવલપમેન્ટ અટક્યું: બિલ્ડરે નિયત ભાડું ન આપતાં, નવા ઘરમાં જગ્યા ઘટાડી દેતાં વિવાદ

    1 week ago

    સોલા, વાડજ, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારની સાત સોસાયટીના રિડેવલપમેન્ટ માટે ટેન્ડર ભરાયાં બાદ પણ કામગીરી અટકી પડી છે, જેથી એક હજારથી વધુ પરિવારો જૂનાં અને જર્જરિત મકાનોનાં રહેવા મજબૂર છે. રિડેવલપમેન્ટના ટેન્ડર થયા તે પહેલાં એપાર્ટમેન્ટ અને હાઉસિંગ બોર્ડની મધ્યસ્થતામાં તમામ સભ્યો સંમત થઈને જોડાયા હતા. ત્યાર બાદ બિલ્ડર અને મકાનમાલિકો વચ્ચે ભાડું, જગ્યા ફાળવણીના થયેલા વિવાદ બાદ રિડેવલપમેન્ટની કામગીરી અટકી પડી હતી. હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હજુ સુધી અંદાજિત 14 રિડેવલપમેન્ટ માટે અરજી થઈ છે, પણ તેની કામગીરી પણ પેન્ડિંગ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ વહીવટી અને ટેક્નિકલ મુદ્દાને કારણે પેન્ડિંગ પ્રોજેક્ટ આગળ વધી શકતા નથી. રહીશોને સમજાવી કામ આગળ વધારીશું: હાઉસિંગ બોર્ડના ચીફ એન્જિનિયર એચ.વી. ઝડફિયાએ જણાવ્યું કે કેટલીક સોસાયટીઓના કેસ ચાલી રહ્યા છે, તો કેટલીક સોસાયટીમાં અંદરોઅંદર વિવાદ હોવાને કારણે કામ આગળ વધતું નથી. જોકે હાઉસિંગ બોર્ડ દ્વારા ઝડપથી લોકોને સમજાવી કામગીરી શરૂ થાય તેવા પ્રયાસો કરાશે. કામ અટકી પડતાં રહીશોને જોખમ અને નુકસાન રિડેવલપમેન્ટ કેમ અટકી પડ્યું? સોલાની 4, વાડજની 2 સોસાયટી ભાસ્કર નોલેજ - અમદાવાદમાં હાલ કુલ 42 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    BRTS બસ શેલ્ટરની સફાઈનો ખર્ચ 10 ગણો થયો:BRTS સ્ટેન્ડની સફાઈનો માસિક ખર્ચ 15 વર્ષમાં રૂ. 3 લાખથી વધી 35 લાખ
    Next Article
    સિદ્ધાર્થ રાવલની સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ:જેલમાં કેદ સિલિકોન વેલ્થના માલિકે રોકાણની લાલચ આપી 6 લોકોના રૂ.2.64 કરોડ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment