Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની ‘સેન્સ’ પ્રક્રિયા:શાસકોને અહંકાર છે કે, તેઓ જ આવશે, પણ 30 વર્ષના શાસનથી જનતા કંટાળી છે, લોકોની અવગણનાનો અંત આવશેઃ હરિ ભરવાડ

    2 days ago

    આગામી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. આજે 10 માર્ચને મંગળવારે શહેરના વાઘાવાડી રોડ પર આવેલા સર્કિટ હાઉસમાં તમામ 13 વોર્ડના સંભવિત ઉમેદવારોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિ ભરવાડની અધ્યક્ષતામાં 'સેન્સ' લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મેદવારોની પસંદગીની પ્રક્રિયા અત્યંત પારદર્શકઃ​ શહેર કોંગ્રેસ પ્રમુખ ​શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પ્રદેશ સમિતિની સૂચના મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને અત્યંત પારદર્શક રાખવામાં આવી છે, જેમાં મેં પોતે પ્રભારીને વિનંતી કરી છે કે તેઓ દરેક ઉમેદવારને વ્યક્તિગત રીતે સાંભળે. આ પ્રક્રિયા દરમિયાન હું પોતે પણ હાજર રહીશ નહીં, જેથી દરેક દાવેદાર મુક્તપણે પોતાની રજૂઆત કરી શકે. શહેર પ્રમુખે ભાજપના શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, શહેરની જનતા વર્તમાન ભ્રષ્ટાચારી શાસનથી કંટાળી ગઈ છે અને આ વખતે ચૂંટણીમાં ભાજપને જાકારો આપી કોંગ્રેસનો 100 ટકા વિજય થશે, તેવો માહોલ અત્યારથી જ જણાઈ રહ્યો છે. કાર્યકરો અને દાવેદારોની ભારે ભીડ ​સવારથી જ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી. વોર્ડ નંબર 1થી 13 સુધીના તમામ ઉમેદવારો માટે સવારના 10થી રાત્રિના 8:30 સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કે વોર્ડ વાઈઝ કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળ્યો તે જોતા કોંગ્રેસ આ વખતે મનપાની ચૂંટણીમાં મજબૂત દેખાવ કરશે, તેવો આશાવાદ પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. જનરલ મુદ્દાઓમાં રોડ, પાણી, વીજળી અને ગટરનાઃ હરિ ભરવાડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિ ભરવાડે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીના આયોજનના ભાગરૂપે અમે દરેક વોર્ડમાંથી કોણ ઇલેક્શન લડવા માગે છે, એવા મિત્રોને પર્સનલી મળવા માટેનો એક પ્રોસેસ અમે ચાલુ કર્યો છે. અમારી મહેનત અને કાર્યકર્તાનો ઉત્સાહ એવો છે કે, કોર્પોરેશનની કોઈપણ સંજોગોમાં બહુમતી લાવવા માટેના અમારા પ્રયત્નો છે. મુદ્દા તો દરેક વોર્ડમાં જનરલી જુદા-જુદા હશે, પણ જનરલ મુદ્દાઓ જે છે કે રોડ, પાણી, વીજળી, ગટર.. આના તરફ પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. ‘લોકો ભાજપથી ત્રાહિમામ પોકારી ગયા છે’ 30 વર્ષથી શાસન છે એટલે જે અત્યારના શાસનકર્તાઓ જે છે એને તો જાણે એમ છે કે, અમે કઈ કરીએ કે ના કરીએ, પણ આવવાના તો અમે જ છીએ. એટલે લોકોની જે અવગણના થઈ છે તેનાથી લોકો કંટાળ્યા છે અને બધા ત્રાહિમામ પોકારી ગયા છે. વ્યૂહરચના તો અમે નહીં કહી શકીએ ટીવી ઉપર, પણ અમારા પ્રયાસ એ રહેવાના છે કે, આ વખતે અમે 100 ટકા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમને સફળતા મળે એવી... 'વ્યૂહરચના' શબ્દ હું નથી કહેતો પણ એવી અમારી કોશિશ અને અમારી મહેનત રહેશે.
    Click here to Read More
    Previous Article
    સજની હત્યા કેસ, આરોપી પતિના જામીન નકારતી કોર્ટ:15 વર્ષે ઝડપાયો'તો, મિત્રની ખોટી ઓળખ ઉભી કરી વિદેશ જઈ આવ્યો; બીજી પત્ની ને સંતાનો ઓસ્ટ્રેલિયામાં
    Next Article
    કેશોદના મેસવાણ ગામે વીજતાર અથડાતા 6 વીઘા ઘઉં ખાખ.:​કેશોદમાં કુદરતનો પ્રકોપ અને તંત્રની લાપરવાહી: મેસવાણ ગામે વંટોળમાં વીજતાર અથડાતા સ્પાર્કિંગ થયું, ખેડૂતનો લહેરાતો ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment