Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડીપૂરના કાયમી ઉકેલ માટે સરકાર એક્શનમાં:30 મીટર માર્જિન કલિયર કરવા શરૂ કરાશે મેગા ડિમોલિશન, જેસીબી અને બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કરાશે

    16 hours ago

    સુરત શહેરમાં માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ ખાડીપૂરના 2-2 રાઉન્ડ આવતાં લાખો લોકો સીધી અને આડકતરી રીતે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકારે તાત્કાલિક ઉચ્ચ સ્તરે તથા સ્થાનિક સ્તરે વિશેષ કમિટીઓની રચના કરી ખાડીપૂરના કાયમી ઉકેલ માટે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ તંત્ર દ્વારા અત્યંત આક્રમક આયોજન સાથે તાકીદે પગલાં ભરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાડીપૂરની સમસ્યાનું મુખ્ય કારણ ખાડીના વહણ પર થયેલા ગેરકાયદે દબાણો હોવાનું સામે આવતા જ આગામી ટૂંક સમયમાં ખાડી કિનારે થયેલા તમામ ગેરકાયદે બાંધકામો અને દબાણો તોડી પાડવા માટે મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવશે. પાલિકા અને કલેક્ટર તંત્રનું સંયુક્ત ઓપરેશન સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર તંત્રના સંયુક્ત ઉપક્રમે આ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન મશીનરી અને જરૂરી મેન પાવર સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરો પાડવામાં આવશે, જ્યારે કલેક્ટર તંત્ર પણ સાથે રહીને કાયદાકીય કડક કાર્યવાહી સુનિશ્ચિત કરશે. આ વિશેષ કામગીરી અંતર્ગત શહેરની મુખ્ય ખાડીઓ જેવી કે સીમાડા ખાડી, મીઠીખાડી, ભેદવાડ ખાડી, કાંકરાખાડી, ભાઠેના ખાડી અને સોનારી ખાડી સહિતની તમામ ખાડીઓની બંને બાજુ થયેલા તમામ પ્રકારના ગેરકાયદે બાંધકામો, કાચા-પાકા શેડ અને દબાણોને કડક હાથે દૂર કરીને ખાડીના વહણને મોકળું કરવામાં આવશે. 30 મીટર માર્જિનના નિયમનું મોટું ઉલ્લંઘન સરકારી નિયમ મુજબ ખાડીકાંઠે ઓછામાં ઓછું 30 મીટરનું માર્જિન છોડીને જ કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકાય છે, જેથી ભારે વરસાદ વખતે પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે. પરંતુ તંત્ર દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, અનેક સ્થળોએ બિલ્ડરો અને ભુમાફિયાઓ દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ખાડી પર માત્ર 12 મીટર જેટલું જ માર્જિન છોડવામાં આવ્યું છે. આવા ગંભીર અતિક્રમણના કારણે જ ચોમાસામાં વરસાદી પાણીના કુદરતી વહણમાં મોટો અવરોધ ઊભો થાય છે અને પાણી શહેરમાં ફરી વળે છે. જેસીબી અને બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કરાશે ખાડીના વહણમાં નડતરરૂપ બનતા તમામ દબાણો પર મોટા પાયે જેસીબી અને બુલડોઝર ફેરવીને સંપૂર્ણ માર્જિન ક્લિયર કરાવવા તંત્ર દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે. કલેક્ટર અને પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાડી કિનારે થયેલા ગેરકાયદે બાંધકામો સામે કોઈ પણ જાતની શેહશરમ રાખવામાં આવશે નહીં. ખાડીના મૂળ 30 મીટરના માર્જિનને પૂર્વવત કરીને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરાવવામાં આવશે, જેથી કરીને આવનારા સમયમાં સુરત શહેર અને સુરતીઓને ખાડીપૂરના આ ભયાનક સંકટમાંથી કાયમી ધોરણે મુક્તિ અપાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી:માંજલપુરમાં મહાસત્સંગ અને ગુરુપૂજા
    Next Article
    PGVCL બાદ ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ સાથે સાયબર ફ્રોડ:રાજકોટની કંપનીના MDનો ફોટો ડીપીમાં રાખી એકાઉન્ટન્ટને મેસેજ કરી 29 લાખ ટ્રાન્સફર કરાવ્યા વધુ 48.5 લાખ માંગતા ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment