Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની જનતા આગામી 30 વર્ષ સુધી તેમને સત્તાથી દૂર રાખશે:કોંગ્રેસ માત્ર ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનું પાપ કરી રહી છે, જનતા જડબાતોડ જવાબ આપશે - જગદીશ વિશ્વકર્મા

    4 days ago

    શેખચલ્લી જેવા સપના જોતી કોંગ્રેસને વિકાસ દેખાતો નથી, માત્ર જૂઠા આક્ષેપોમાં કરે છે 26મી તારીખે ભાવનગરના તમામ 52 ઉમેદવારોને વિજયી બનાવી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા આહવાન ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સંમેલન યોજાયું હતું, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરી ભાજપે જીતનો દાવો કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકામાં સાતમી વખત જીત હાંસલ કરવા ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી છે, આ વચ્ચે ઉમેદવારો અને કાર્યકર્તાઓનો વિશ્વાસ બુલંદ કરવા ભાવનગર ખાતે વિકાસ સંકલ્પ સંમેલન યોજાયું હતું, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સેવા અને સમર્પણના ભાવથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે, જે ભાજપ પર લોકોના વિશ્વાસને દર્શાવે છે.તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી વિકાસ અને સ્થિરતાનું પ્રતિક છે, જે ભાજપે ગુજરાતને આપ્યું છે. કાર્યકર્તાઓની મહેનતના કારણે કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં એન.ડી.એ.ની સરકાર કાર્યરત છે. આકરા ઉકળાટમાં પણ કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા છે, જે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.પ્રદેશ અધ્યક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાવનગર મનપાની તમામ 52 બેઠકો પર કમળ ખીલશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ માત્ર જુઠાણું અને આરોપોની રાજનીતિ કરે છે. ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ આગામી સમયમાં પણ લોકોના આશીર્વાદથી સત્તા જાળવી રાખશે તેવી આશા વ્યક્ત કરી હતી, તેમણે ભાજપના વિકાસકાર્યો અને જનકલ્યાણની યોજનાઓને મતદારો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના 10,000 કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની આ સેવા સમર્પણના ભાવથી એ પ્રજાની વચ્ચે સેવા કરવા માટે 5 વર્ષનો મોકો આપે છે, ​કોંગ્રેસ પાસે આજે આખા રાજ્યમાં પૂરતા ઉમેદવારો નથી, કે અન્ય બીજી પાર્ટીઓ પાસે આટલા ઉમેદવાર 10 હજાર જેટલા ઉમેદવાર નથી, નથી ને નથી અને એમાંથી 700 જેટલા ઉમેદવારો મિત્રો બિનહરીફ થયા, સૌ પ્રથમવાર ઇતિહાસમાં, ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, કોંગ્રેસ- દરેક વખતે કોંગ્રેસને વિકાસ દેખાય નહીં. કોંગ્રેસ માત્ર જૂઠાણાં ફેલાવે, માત્ર જૂઠા આક્ષેપો કરે, માત્ર ભ્રષ્ટાચાર કરે. અને ગુજરાત હોય કે ગુજરાતીઓને માત્ર બદનામ કરવાનું કામ કરે. પોતે કેન્દ્રમાં હતા ત્યારે ગુજરાતને જે જબરો અન્યાય કર્યો છે, રમખાણો હોય તો કે ગુજરાતીઓ કરે, આતંકવાદ હોય તો ગુજરાતમાં આ બધી વસ્તુ થાય, ડ્રગ્સની હેરાફેરી હોય તો ગુજરાતમાં થાય. ​પણ આ બધું કરે છે કોણ? તમે ક્યારેય એમને કોસતા નથી. ડ્રગ્સ કોણ વેચે છે, આતંકવાદ કોણ ફેલાવે છે, ધમાલ કોણ કરે છે, કર્ફ્યુ કોણ કરે છે? આના માટે જવાબદાર માત્ર આપણી સામે બેઠેલા લોકો ખાલી ગુજરાતીઓ જ જવાબદાર છે ?​કોંગ્રેસે અત્યાર સુધી માત્ર આક્ષેપો કર્યા છે અને અત્યારે એમના નેતાઓ માત્ર ને માત્ર ગુજરાતને બદનામ કરવાનું કામ, ગુજરાતનું જબરો અપમાન કરવાનું કામ કરતા હોય તો આ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે, શેખચલ્લી જેવા સપનાઓ જોતી આ કોંગ્રેસ, એ કોંગ્રેસના નેતાઓ ભૂલી જાય કે આ ગુજરાતની જનતા ભોળી જરૂર છે, પણ ગુજરાતની જનતા શાણી છે, 30 વર્ષ સુધી તમને સત્તાથી દૂર રાખ્યા છે, આવનારા હજી 30 વર્ષ સુધી આ ગુજરાતની જનતા તમારો પંજો સત્તા સુધી નહીં પહોંચવા દે એવો મને ભરોસો છે મિત્રો, 26 મી તારીખે ભાવનગર શહેરની અંદર 50 એ 50 ઉમેદવારને, કોંગ્રેસના મિત્રોને જડબાતોડ જવાબ આપવાનો સમય છે મિત્રો.
    Click here to Read More
    Previous Article
    ભારતને રશિયન તેલ પર અમેરિકાની છૂટ નહીં મળે:US ટ્રેઝરી સેક્રેટરીએ કહ્યું- જનરલ લાઇસન્સ રિન્યુ નહીં થાય; 11 એપ્રિલ સુધી રાહત મળી હતી
    Next Article
    રાજકોટ મનપાની ચૂંટણીને લઈને EVM ની ફાળવણી:26 મી એપ્રિલના મતદાનના 10 દિવસ પૂર્વે EVM સીલ કરી પોલીસ પ્રોટેકશન સાથે 1014 મતદાન મથકો પર મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment