Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ જાપાનના PMને નાની બહેન કહ્યા:જાપાનની મદદથી દેશમાં ખાતરના 1000 કારખાના લાગશે; કહ્યું- સુઝુકી બે-તૃતીયાંશ કાર ભારતમાં બનાવી રહી છે

    4 days ago

    ભારત અને જાપાને આર્થિક ભાગીદારીને નવી ગતિ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત-જાપાન જોઈન્ટ ઈકોનોમિક ફોરમમાં વડાપ્રધાન મોદીએ જાપાની કંપનીઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે 'જાપાન બિઝનેસ વીક' શરૂ કરવાની જાહેરાત કરી. આ અંતર્ગત PMOના વરિષ્ઠ અધિકારીઓ સીધા જાપાની રોકાણકારો સાથે વાતચીત કરશે. મોદીએ કહ્યું કે આજે દુનિયામાં વેચાતી સુઝુકીની બે તૃતીયાંશ કારો ભારતમાં બની રહી છે અને તેને 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જાપાનના સહયોગથી દેશમાં લગભગ 1000 ખાતર (ફર્ટિલાઇઝર) કારખાના સ્થાપિત કરવામાં આવશે. બંને દેશોએ આગામી 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેનના જાપાની રોકાણનું લક્ષ્ય પણ રાખ્યું છે. પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચીએ હરિયાણાના ખરખોડામાં મારુતિ સુઝુકીના ચોથા વાહન નિર્માણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ સાને તાકાઈચીને પોતાની 'નાની બહેન' કહીને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે ભારત અને જાપાનની ટેકનોલોજી, રોકાણ અને ઉત્પાદન ક્ષમતાનું મિશ્રણ બંને દેશો તેમજ સમગ્ર વિશ્વ માટે પણ ફાયદાકારક સાબિત થશે. મોદીએ જાપાનના વડાપ્રધાનને 'નાની બહેન' કહ્યા જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચી સાથેની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ તેમને પોતાની નાની બહેન તરીકે સંબોધ્યા હતા. બંને નેતાઓ દ્વારા યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં, મોદીએ ભારતની તેમની પ્રથમ મુલાકાત બદલ તાકાઈચીનું સ્વાગત કર્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ભારત અને જાપાન વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. તાકાઈચીની ભારત મુલાકાત વિશેના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    All about conscious quitting, the workplace trend redefining career decisions
    Next Article
    ગુજરાતને ઘમરોળશે મેઘરાજા:એક સાથે પાંચ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય, નાસિરનગર ડિમોલીશન મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો આકરો સવાલ, 30 સેકન્ડમાં યુવકે વૃદ્ધના રામ રમાડ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment