Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પહેલો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો:ભાયલીના 3 વર્ષના બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, આરોગ્ય તંત્ર એલર્ટ

    1 day ago

    વડોદરા સહિત રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (રેત માખી), મચ્છર અને ઇતરડીના કરડવાથી ફેલાય છે, જે ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકો માટે વધુ જોખમી સાબિત થાય છે. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં શહેરનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ સાથે અત્યાર સુધીમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં જિલ્લા બહારના 10 કેસ શંકાસ્પદ સામે આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આજે શહેરમાંથી પહેલો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ ગોત્રી ખાતે આવેલી જીએમઇઆરએસ હોસ્પિટલમાં નોંધાયો છે. આ કેસ વડોદરાના છેવાડે આવેલા ભાયલી વિસ્તારનો છે જેમાં ત્રણ વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ જણાયો છે. આ બાળકના સેમ્પલ હાલમાં પુના અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં સયાજી હોસ્પિટલમાં વડોદરા જિલ્લા બહારના 10 કેસ નોંધાયા છે. જેમાંથી બે બાળકોના મોત થયા છે. જ્યારે ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ છે ત્યારે કહી શકાય કે વડોદરામાં પહેલો કેસ નોંધાયો છે જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સેન્ડફ્લાય (રેત માખી) અને મચ્છરોથી બચાવ ઘર અને આસપાસની સ્વચ્છતા પશુઓ અને કાચા સેડથી અંતર જો ઘરમાં ગાય, ભેંસ કે અન્ય પશુઓ રાખતા હોવ, તો તેમના રહેવાના સ્થાન (કોઢ/ગમાણ) ને ઘરના રહેણાંક વિસ્તારથી દૂર અને એકદમ સ્વચ્છ રાખો, કારણ કે પશુઓના મલમૂત્ર અને ભેજવાળી જગ્યાએ આ માખીઓ ઝડપથી વધે છે. આ લક્ષણો દેખાય તો તરત જ સાવચેત થાઓ જો બાળકને અચાનક તીવ્ર તાવ આવે, ઉલટી થાય, માથું દુખે, ખેંચ (આંચકી) આવે અથવા તે બેભાન જેવું જણાય, તો ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વિના તરત જ નજીકના સરકારી દવાખાના કે બાળરોગ નિષ્ણાત પાસે લઈ જાઓ. આ રોગમાં વહેલું નિદાન અને હોસ્પિટલમાં સારવાર અત્યંત મહત્વની છે.
    Click here to Read More
    Previous Article
    સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતનો નિર્ણય:રાજ્યભરમાં જ્યોતિષ વર્ગો શરૂ થશે, જ્ઞાનપીઠ દ્વારા હસ્તરેખા, વાસ્તુશાસ્ત્ર, અંકજ્યોતિષ શીખવાશે; પાલનપુરમાં 100થી વધુ તૈયાર
    Next Article
    ગુજસીટોક ગેંગના સભ્યોની કરોડોની મિલકતો થઈ જપ્ત:વંથલીના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ ભૂતકાળમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલી રવની ગેંગના આરોપીઓની અઢી કરોડથી વધુની ગેરકાયદેસર મિલકતો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment