Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતનો નિર્ણય:રાજ્યભરમાં જ્યોતિષ વર્ગો શરૂ થશે, જ્ઞાનપીઠ દ્વારા હસ્તરેખા, વાસ્તુશાસ્ત્ર, અંકજ્યોતિષ શીખવાશે; પાલનપુરમાં 100થી વધુ તૈયાર

    1 day ago

    ભારતની હજારો વર્ષ જૂની વૈદિક જ્ઞાનપરંપરા, જ્યોતિષ વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત દ્વારા એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે. સમાજના જ્ઞાનપીઠના માધ્યમથી આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં જ્યોતિષ વિજ્ઞાન, હસ્તરેખા શાસ્ત્ર, અંકજ્યોતિષ સહિતના વિવિધ અભ્યાસવર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરાનો અભ્યાસ કરવાની તક નવી પેઢીને ઉપલબ્ધ કરાવવાનો, પરંપરાગત વિદ્યાઓ પ્રત્યે રસ વધારવાનો અને અભ્યાસી યુવાનોને માર્ગદર્શન આપવાનો છે. જ્યોતિષ વિજ્ઞાન ઉપરાંત વાસ્તુ શાસ્ત્રના અભ્યાસને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. જ્ઞાનપીઠ દ્વારા વાસ્તુ શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો તેમજ તેના વ્યવહારુ અભ્યાસ માટે પણ વિશેષ વર્ગોનું આયોજન કરાશે. પાલનપુરમાં અત્યાર સુધી યોજાયેલા બે અભ્યાસવર્ગો દ્વારા 100 થી વધુ તાલીમાર્થીઓએ જ્યોતિષ વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્રીજા વર્ગની શરૂઆત કરવામાં આવી છે. આ સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ આવા વર્ગો શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના યુવા પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારતની વૈદિક જ્ઞાનપરંપરામાં જ્યોતિષ, હસ્તરેખા અને અંકજ્યોતિષ જેવા વિષયોનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. આ જ્ઞાનને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે સુવ્યવસ્થિત તાલીમ, વ્યાખ્યાનો અને અભ્યાસક્રમોનું આયોજન કરાશે. જ્ઞાનપીઠના પરમ ગુરુ ડો. જગદીશચંદ્ર મહેતાએ જણાવ્યું હતું કે, આવા વર્ગો દ્વારા આવનારી પેઢીને જ્ઞાન આપવું છે અને આ વર્ગોમાં નિઃશુલ્ક તાલીમ અપાશે. જ્ઞાનપીઠ દ્વારા અનુભવી માર્ગદર્શકોના સહકારથી નિયમિત વર્ગો યોજાશે, જેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓ, યુવાનો અને સમાજના અન્ય સભ્યોને અભ્યાસની તક મળી શકે. સમાજનો વિશ્વાસ છે કે આ પહેલથી ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યે જાગૃતિ વધશે અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતે રાજ્યભરના યુવાનો, વિદ્યાર્થીઓ અને ભારતીય પરંપરાગત જ્ઞાનમાં રસ ધરાવતા તમામ લોકોને આ અભિયાન સાથે જોડાવા અને ભારતની સમૃદ્ધ વૈદિક જ્ઞાનપરંપરાના સંવર્ધનમાં સહભાગી બનવા અપીલ કરી છે. આ દીક્ષાંત સમારોહમાં જાણીતા જ્યોતિષ શાસ્ત્રી રમેશભાઈ શુક્લ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ અરુણભાઈ જોષી અને જ્ઞાનપીઠના પ્રધાન આચાર્ય દીપકભાઈ ડી. જોષી ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Eye on delimitation Bill, Government puts draft law seeking removal of ‘tainted’ ministers on backburner
    Next Article
    વડોદરામાં પહેલો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો:ભાયલીના 3 વર્ષના બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, આરોગ્ય તંત્ર એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment