Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહિયારો પુરુષાર્થ:પુરુષોત્તમ ભગવાનની ભક્તિની સાથે 100થી વધુ ગોપીની સફાઈ ઝુંબેશ

    10 hours ago

    મોરબીમાં હાલ ચાલી રહેલા પુરુસોત્તમ માસમાં ગોપીઓએએ ભગવાનની ખરા અંતઃકરણથી આરાધના કરવાની સાથે સ્વચ્છતા ઝુંબેશ ચલાવીને દરેક ગોપી મંડળોને તેમના આસપાસના સ્થળોને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો છે. જેમાં શહેરને સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવતી ક્લLનઅપ મોરબીની ટlમના અગ્રણીઓ ધનજીભાઈ કુંડારીયા અને નવનીતભાઈ કાસુન્દ્રાએ લોટસ સોસાયટીના મેદાનમાં પુરુષોત્તમ ભગવાનની આરાધના કરતી બહેનોને સ્વંય સ્વચ્છતા રાખવા અને જયાં ત્યાં કચરો ફેંકી ગંદકી ન ફેલાવવા તેમજ જોખમી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. એના બીજા જ દિવસે લોટસ સોસાયટીની ગોપી મંડળની 100 જેટલી બહેનોએ પાવડા, તગારા અને કોદાડી લઈને તેમના આસપાસના વિસ્તારને સ્વચ્છ કરવા રીતસરનો શ્રમયજ્ઞ આદર્યો હતો. આ સોસાયટીની સામે આવેલા કોમન પ્લોટ અને પ્રાઇવેટ પ્લોટ જેવા મોટા ગ્રાઉન્ડમાં વર્ષોથી કચરાના ગંજ પડ્યા હતા. લાંબા સમયથી આ કચરાના ગંજ કોઈ ઉપાડતું ન હોવાથી ભયંકર ગંદકીને કારણે રોગચાળાનું જોખમ હતું. તેથી 100 ગોપી મંડળની બહેનોએ એક જ દિવસમાં કલાકો સુધી કાળઝાળ ગરમી વચ્ચે પણ કઠિન પરિશ્રમ કરી બે ટ્રેક્ટરો ભરાઈ તેટલા કચરાનો નિકાલ કરીને આ મોટા પ્લોટ વિસ્તારોને એકદમ સ્વચ્છ કરી નાખ્યા હતા. અમે 100 જેટલી ગોપીઓ સોસાયટીના નીચે ખુલ્લા મેદાનમાં બેસીને હાલ ચાલી રહેલા ભગવાન પુરુસોત્તમ માસમાં ભગવાનની ભક્તિ કરીએ છીએ. પણ અમારી સામેના જ વિશાળ ગ્રાઉન્ડમાં મગજ ચકરાય જાય તેવી ભયાનક ગંદકી હતી. જો કે આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે, સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, અર્થાત જ્યાં શુદ્ધ વાતાવરણ હશે ત્યાંજ પ્રભુનો વાસ હશે. પણ અમારી સામે અશુદ્ધ વાતાવરણ હોય તો અમારી પ્રભુ ભક્તિ કેવી રીતે યોગ્ય ઠરે ? આ બાબતનું અમે બધી ગોપીઓને ભાન થતા આસપાસના વાતાવરણને શુદ્ધ કર્યા બાદ હવે લાગે છે કે પ્રભુની ભક્તિ લેખે લાગી ગણાશે. - હિનાબેન સંતોકી, સ્થાનિક ગોપી મંડળના બહેન અમે બધી ગોપીઓએ સફાઈ કરી છે. પણ હવે આપણે એવા ખતરનાક ઝોન ઉપર આવી ગયા છીએ કે,આપણને ગંદકી કરવી જરાય પોસાય એમ જ નથી. તેમજ પ્લાસ્ટિકનો કચરો તો સમગ્ર જીવ સૃષ્ટિ માટે ખતરનાક છે. એટલે તંત્ર કે સરકાર ઉપર દોષારોપણ કરવાને બદલે હવે આપણે જ પ્રકૃતિ વિરુદ્ધ કાર્ય બંધ કરવાનો સમય આવી ગયો છે. - કંચનબેન ડઢાણીયા, સ્થાનિક ગોપી મંડળ
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:મોરબીમાં પરવાના વગર ફેલ્સ્પારનો જથ્થો રાખનાર યુનિટને 21 ટકા પેનલ્ટી સાથે રૂ. 2.63 કરોડનો દંડ
    Next Article
    નિર્ણય:ઉત્પાદન ખર્ચ 40 ટકા સુધી વધતાં સિરામિક ઉદ્યોગ‎ટાઇલ્સનો ભાવ વધારશે, કાલથી જ નવા દર અમલી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment