Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાથી ઉજ્જૈન અને શેરડીની 3 નવી બસ શરૂ:બે બસ ઉજ્જૈન અને એક શિરડી દોડશે, ધારાસભ્યના હસ્તે ફ્લેગ ઓફ; જાણો ભાડુ કેટલું

    6 days ago

    વડોદરાથી શિરડી અને ઉજ્જૈન હવે મુસાફરી કરાવી સરળ બની છે. કારણ કે હવે રેલવે સાથે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન દ્વારા શિરડી અને ઉજ્જૈન માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન ત્રણ બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આજે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને સેન્ટલ બસ ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. વડોદરાથી ઉજ્જૈનના રૂ. 445 અને શિરડીના રૂ. 685 ભાડુ રહેશે. ધારાસભ્યના હસ્તે 3 નવી બસનું ફ્લેગ ઓફ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ વડોદરા ખાતે નવીન બસોના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી, દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખાસ કરીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. આ અંતર્ગત બુધવારે ગાંધીનગર ખાતે લગભગ 182 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાથી ઉજ્જૈન અને શેરડીની 3 નવી બસ શરૂ વધુમાં કહ્યું કે, તેમાંથી વડોદરા શહેરને ત્રણ બસો ફાળવવામાં આવી છે. આજે અમે અહીંથી (વડોદરા) આ ત્રણ બસોનું ફ્લેગ ઓફ કર્યું છે. આ બસોમાંથી બે બસો ઉજ્જૈન જવાની છે અને એક બસ શિરડી જવાની છે. આ વ્યવસ્થા લોકોના સુખ-સુવિધા અને અવર-જવર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મુસાફરોને મુસાફરીમાં વધુ રાહત મળશે વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર દર વર્ષે આવી નાની-મોટી નવી સુવિધાઓ ઉમેરતી રહે છે, જેથી મુસાફરોને મુસાફરીમાં વધુ રાહત મળે છે. છેલ્લા અનેક વર્ષોથી સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે અને આવનારા સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. 'લોકોના સુખ-સુવિધા માટે સતત કાર્યરત રહે તેવી આશા' વધુમાં તેમણે કહ્યું કે, સ્ટાફ મુસાફરોની સુવિધા માટે સ્ટેશનને ખૂબ જ સરસ રીતે ચલાવી રહ્યો છે. આ માટે તેમને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, સ્ટાફ આવનારા સમયમાં પણ આવી જ ઉત્તમ કામગીરી કરતા રહે અને લોકોના સુખ-સુવિધા માટે સતત કાર્યરત રહે તેવી આશા છે.
    Click here to Read More
    Previous Article
    તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોનો મોરચો:મીઠાપુરમાં 150 ફૂટના વહેણ સામે માત્ર 17 ફૂટનો પુલ, સરપંચ સહિત આખી બોડીએ આપી સામૂહિક રાજીનામાની ચીમકી
    Next Article
    'શહેર ભાજપ પ્રમુખે 40 લાખના 1.50 કરોડ પડાવ્યા,કરોડોની જમીન પચાવી':જૂનાગઢમાં 3 બાઈક શોરૂમના માલિક રસ્તા પર આવ્યા, પિતા રડી પડ્યા, રૂપારેલિયાએ કહ્યું-આરોપ સાબિત કરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment