Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર':મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી, 3 વિકલ્પ સાથે આવેદન; મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેઠાં પણ સરકારને દયા ન આવી'

    23 hours ago

    ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિના અસ્વીકાર બાદ 'આંદોલન પાર્ટ-3' હેઠળ આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે. મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200થી 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા. ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરી અને તેમની માંગણી મુજબ વળતરની માગ કરતુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું વળતર આપવામાં આવે. 4/7/26ના પરિપત્રમાં સુધારો કરવા સરકારને ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા મોરબી મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધીની પદયાત્રા યોજીને આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં આંદોલનના મુખ્ય અગ્રણી નેહુલ અમૃતિયાએ જણાવ્યા મુજબ, સરકાર દ્વારા તા. 4/7/2026ના રોજ જે પરિપત્ર નવી વળતર નીતિ માટે જાહેર કરવામાં આવ્યો છે તેમાં સુધારો કરવા માટે તેને કુલ ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ જેમાં પહેલો ઓપ્શન વીજ પોલના ટાવર બેઝ માટે ખેડૂતોને બજાર કિંમતના 400 ટકા વળતર તેમજ કોરીડોર માટે ગ્રામ્ય, શહેર અને મહાપાલિકા વિસ્તારમાં તમામને એક સમાન 260 ટકા વળતર ચૂકવવામાં આવે બીજો ઓપ્શન વર્ષ 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ ખેડૂતોને બજાર કિંમતનું ચારગણું વીજપોલ અને કોરિડોર માટે વળતર આપવામાં આવે અને ત્રીજો ઓપ્શન વર્ષ 2006ના લાયસન્સી રૂલ મુજબ ટાવર અને કોરિડોર માટે ખેડૂત અને કંપની દ્વારા ભાડું નક્કી કરવામાં આવે અને દર મહિને અથવા તો વાર્ષિક ખેડૂતોને ભાડું આપવામાં આવે. આ પ્રકારની મુખ્ય ત્રણ માંગણી નવા પરિપત્રની અંદર સુધારો કરવા માટે કલેક્ટર મારફતે સરકારને આપવામાં આવી છે અને જો તેને સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો આ પરિપત્ર આખા ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે, જેથી ગુજરાતના ખેડૂતો જે નક્કી કરશે તે મુજબ આગામી સમયમાં આંદોલન ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ આંદોલનની શરૂઆત મોરબીના જેતપર ગામે થઈ હતી, જ્યાં ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતા અને સમયસર વળતરની માગ કરી રહ્યા હતા. અગાઉ પ્રતિક ઉપવાસ અને ત્યાર બાદ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરકારે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. 2027માં સરકાર ઉખેડી નાખવાની ચીમકી સાથે આંદોલન પાર્ટ-3 શરૂ સરકારે તાજેતરમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરના વળતર અંગે નવી નીતિ જાહેર કરી છે, પરંતુ જેતપરના ખેડૂતોએ આ પરિપત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કેવા પ્રકારનું આર્થિક નુકસાન થઈ શકે છે તે અંગે ચર્ચા કરવા માટે 8 જૂલાઈની રાત્રે 9:00 વાગ્યે મોરબીના જેતપર ગામે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા વળતરને બદલે પોતાની ઈચ્છા મુજબનું વળતર મેળવવા માંગે છે. જો તેમના ખેતરોમાંથી થાંભલા ઉખેડવામાં નહીં આવે તો આગામી 2027ની ચૂંટણીમાં તેઓ સરકારને ઉખેડી નાખવા પણ તૈયાર છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… પારણાં સાથે જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ-2 પૂર્ણ મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલતાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન-પાર્ટ 2ને 7 જુલાઈએ સમેટી લેવાયું હતું, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ જારી રાખવા નિર્ણય લેવાયો હતો. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે, જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે આંદોલન પાર્ટ-3 શરૂ કરવાનું એલાન કરી દીધું છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી ખેડૂતોની વિશાળ રેલીની પળેપળની અપડેટ્સ માટે વાંચો લાઈવ બ્લોગ
    Click here to Read More
    Previous Article
    18 વર્ષ બાદ 'તારક મહેતા' શો છોડશે જેઠાલાલ?:'દયા' બાદ હવે દિલીપ જોશીની વિદાય નક્કી? ગુજરાતી પરિવારનું રિપ્લેસનમેન્ટ રાજસ્થાની ફેમિલી; જાણો મેકર્સે શું કહ્યું
    Next Article
    ભવનાથ નજીક આધેડની કરપીણ હત્યા,:વાઘેશ્વરી મંદિર પાસે ત્રણ શખ્સોએ આધેડને છરીના ઘા ઝીંકી પતાવી દીધા, પોલીસે હાથ ધરી તપાસ,ત્રણ શખ્સો પોલીસ સકંજામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment