Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે 18 વર્ષના યુવકનું મોત:હાઈવે પર અકસ્માત સર્જી ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ

    1 week ago

    રાધનપુર હાઈવે રોડ પર શાંતિધામના પુલિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ ચલાવી રહેલા 18 વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની વિગત મુજબ, રવિધામ રાધનપુર ખાતે રહેતા અને મૂળ ગુર્જરવાડા, તા. સમીના વતની જગાભાઈ લાલાભાઈ રાવળના 18 વર્ષીય દીકરા હિંમતભાઈ રાવળ ગત તા. 09/06/2026 ના રોજ બપોરે આશરે પોતાના સંબંધીનું હીરો કંપનીનું મોટરસાયકલ નંબર GJ-24-BH-6682 લઈને રાધનપુર ચાર રસ્તા ખાતે પોતાની પિતરાઈ બહેનને તેડવા જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે રોડ પર શાંતિધામના પુલિયા પાસે સામેથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહને મોટરસાયકલને આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે હિંમતભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મોટરસાયકલનો આગળનો ભાગ કુરચો થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાંથી ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુરની સદારામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલમાં પીએમ કરાવ્યા બાદ અંતિમ વિધિ પતાવીને મૃતકના પિતા જગાભાઈ રાવળે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રાધનપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 281, 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    "ખેડૂતોના ઘઉંના ટેકાના ભાવ કરતાં ભંગારની કિંમત વધુ છે":વંથલી યાર્ડમાં બારદાનની અછતથી ઘઉંની ખરીદી ખોરવાઈ: 48 કલાકથી લાઈનમાં ઊભેલા જગતના તાતનો આક્રોશ, ખેડૂતોએ કહ્યું "અમારે જાવું ક્યાં ?"
    Next Article
    લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ફાયર મોકડ્રિલ યોજાઈ:મહીસાગર ફાયર વિભાગે સુરક્ષા વ્યવસ્થા ચકાસી; ઓછા સમયમાં બચાવકામગીરીની સફળ ચકાસણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment