Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીની આયાત પર સરકારે પ્રતિબંધ લગાવ્યો:હવે વિદેશથી મંગાવવા માટે લાઇસન્સ જરૂરી; 3 દિવસ પહેલા ઇમ્પોર્ટ ડ્યુટી વધારી હતી

    9 hours ago

    કેન્દ્ર સરકારે શનિવારે ચાંદીની 3 કેટેગરીની આયાત પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. સરકારી નોટિફિકેશન મુજબ, હવે 99.9% શુદ્ધતાવાળી સિલ્વર બાર, અનરોટ સિલ્વર (ઘડ્યા વગરની ચાંદી) અથવા ચાંદીનો પાવડર વિદેશથી મંગાવવા માટે સરકારની પરવાનગી લેવી પડશે. પહેલાં તેમની આયાત સરળતાથી કરી શકાતી હતી, પરંતુ હવે તેમને 'પ્રતિબંધિત' કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. સરકારે આ નિર્ણય પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે લીધો છે, જેથી સોના-ચાંદીની આયાત પર વધુ સારું નિયંત્રણ રાખી શકાય. આ પહેલાં સરકારે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી પણ 6%થી વધારીને 15% કરી દીધી હતી. આ નિર્ણયની અસર સરળ સવાલ-જવાબમાં સમજીએ… સવાલ 1: સરકારે ચાંદીની આયાતને લઈને કયો નવો આદેશ જારી કર્યો છે? જવાબ: સરકારે નવા નોટિફિકેશન દ્વારા ચાંદીની ઘણી કેટેગરીના આયાત નિયમો કડક કર્યા છે. અત્યાર સુધી ચાંદીની આયાત 'ફ્રી' કેટેગરીમાં હતી, જેને બદલીને 'પ્રતિબંધિત' (રિસ્ટ્રિક્ટેડ) કેટેગરીમાં મૂકવામાં આવી છે. સવાલ 2: આ પ્રતિબંધ હેઠળ ચાંદીના કયા-કયા ઉત્પાદનો આવશે? જવાબ: નવા નિયમો હેઠળ હવે કોઈ પણ કંપની કે વેપારી સિલ્વર બાર, અનરૉટ સિલ્વર (ઘડ્યા વગરની કાચી ચાંદી), ચાંદીનો પાવડર કે સેમી-મેન્યુફેક્ચર્ડ સિલ્વર સીધા ભારત લાવી શકશે નહીં. સવાલ 3: જો કોઈ ચાંદી ભારત મંગાવવા માંગે છે, તો હવે તેની શું રીત હશે? જવાબ: હવે ચાંદીની આયાત કરવા માટે કંપનીઓએ સરકાર પાસેથી લાઇસન્સ લેવું પડશે. આના વિના કસ્ટમ ક્લિયરન્સ મળશે નહીં. સાથે જ, ચાંદીની કેટલીક ખાસ કેટેગરીઝને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની દેખરેખના દાયરામાં પણ લાવવામાં આવી છે. સવાલ 4: સરકારને ચાંદીની આયાત પર અચાનક આ પ્રતિબંધ શા માટે લાદવો પડ્યો? જવાબ: તેનો મુખ્ય ઉદ્દેશ્ય કિંમતી ધાતુઓની ઝડપથી વધતી આયાતને રોકવાનો છે. વધતી આયાતથી દેશનું આયાત બિલ (આયાત ખર્ચ) અને વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) વધી રહી છે. તેને નિયંત્રિત કરવા અને વિદેશી બજારના દબાણ વચ્ચે રૂપિયાને મજબૂતી આપવા માટે સરકારે આ પગલું ભર્યું છે. સવાલ 5: નિકાસકારો માટે 'એડવાન્સ ઓથોરાઇઝેશન' સ્કીમમાં શું ફેરફાર થયો છે? જવાબ: વિદેશ વ્યાપાર મહાનિર્દેશક (DGFT)એ આ સ્કીમ હેઠળ ડ્યુટી-ફ્રી (ટેક્સ વગર) સોનું મંગાવવાના નિયમો કડક કર્યા છે. હવે કોઈ પણ નિકાસકાર એક લાયસન્સ પર વધુમાં વધુ 100 કિલોગ્રામ સુધી જ સોનું આયાત કરી શકશે. આનાથી વધુ સોનું મંગાવવાની પરવાનગી નહીં હોય. સવાલ 6: જે લોકો પહેલીવાર ડ્યુટી-ફ્રી સોના માટે અરજી કરી રહ્યા છે, તેમના માટે શું નિયમ છે? જવાબ: નવા અરજદારો માટે ફિઝિકલ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રથમ વખત અરજી કરનારા નિકાસકારોએ મંજૂરી પહેલાં તેમની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અથવા ફેક્ટરીની ભૌતિક તપાસ કરાવવી પડશે. અધિકારીઓની મંજૂરી પછી જ લાઇસન્સ જારી થશે. સવાલ 7: જૂના નિકાસકારો જેઓ ફરીથી લાઇસન્સ (રિપીટ ઓથોરાઇઝેશન) ઇચ્છે છે, તેમના માટે શું શરત છે? જવાબ: DGFTએ રિપીટ અરજદારો માટે પણ નિયમો કડક કર્યા છે. નવું અથવા ફ્રેશ ઓથોરાઇઝેશન ત્યારે જ જારી થશે, જ્યારે કંપની પાછલા લાઇસન્સ હેઠળ મળેલી કુલ નિકાસ જવાબદારી (જેટલો માલ બહાર મોકલવાનું વચન આપ્યું હતું)નો ઓછામાં ઓછો 50% પૂરો કરી ચૂકી હોય. સવાલ 8: ટેક્સ-ફ્રી સોનું મંગાવતી કંપનીઓની દેખરેખ કેવી રીતે રાખવામાં આવશે? જવાબ: કંપનીઓએ દર 15 દિવસે પોતાના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ટ્રાન્ઝેક્શનનો રિપોર્ટ આપવો પડશે. તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દ્વારા પ્રમાણિત કરાવવું ફરજિયાત રહેશે. પ્રાદેશિક અધિકારી તેની કન્સોલિડેટેડ માસિક રિપોર્ટ બનાવીને DGFT મુખ્યાલયને મોકલશે. સવાલ 9: દેશમાં સોનાની આયાત હાલમાં કયા સ્તરે પહોંચી ગઈ છે? જવાબ: વર્ષ 2025-26માં ભારતની સોનાની આયાત 24%થી વધુ વધીને રેકોર્ડ $71.98 અબજ પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન સોનાના જથ્થા (વોલ્યુમ)માં થોડો ઘટાડો થયો, પરંતુ વૈશ્વિક બજારમાં કિંમતો વધવાથી કુલ બિલ વધી ગયું. ભારત સૌથી વધુ સોનું સ્વિટ્ઝર્લેન્ડથી મંગાવે છે. ત્યારબાદ યુએઈ (UAE) અને દક્ષિણ આફ્રિકાનો નંબર આવે છે. સવાલ 10: સરકારના આ કડક નિર્ણયો પર જ્વેલરી ઉદ્યોગનું શું કહેવું છે? જવાબ: ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ સહિત અનેક ઇન્ડસ્ટ્રી બોડીઝે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ઇમ્પોર્ટ ડ્યુટી 15% કરવાથી અને ચાંદી પર પ્રતિબંધ મૂકવાથી ગ્રે-માર્કેટ (ગેરકાયદેસર વેપાર) સક્રિય થઈ શકે છે. આનાથી સોના-ચાંદીની સ્મગલિંગ વધવાની અને પ્રમાણિક વેપારીઓને નુકસાન થવાની આશંકા છે. આ વર્ષે સોનું 25 હજાર અને ચાંદી 38 હજાર મોંઘી થઈ આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 25,015 રૂપિયા અને ચાંદી 38,080 રૂપિયા મોંઘી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.58 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, ચાંદી 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.69 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાનો ઓલટાઇમ હાઇ પણ બનાવ્યો હતો. PMએ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી વડાપ્રધાને કહ્યું કે 'એક સમય હતો, જ્યારે સંકટ આવતા દેશહિતમાં લોકો સોનું દાન કરી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે એ નક્કી કરવું પડશે કે આખા વર્ષ દરમિયાન ઘરમાં કોઈ કાર્યક્રમ હોય, આપણે સોનાના ઘરેણાં નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકારી રહી છે અને આપણે આ સ્વીકારીને વિદેશી મુદ્રા બચાવવી પડશે.' આવું શા માટે કહ્યું: પીએમ મોદીએ ભારતના વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે આ અપીલ કરી હતી. ભારત તેના ઉપયોગનું લગભગ 99% સોનું વિદેશથી ખરીદે છે. 2025-26માં સોનાનું આ ઇમ્પોર્ટ બિલ લગભગ 6.4 લાખ કરોડ રૂપિયાનું હતું. વિદેશથી ખરીદવામાં આવતી વસ્તુઓના કુલ ખર્ચમાં 9% હિસ્સેદારી સાથે સોનું બીજા નંબરે છે.
    Click here to Read More
    Previous Article
    કેપ્ટન શુભમન ગિલ સેન્ચુરી ચૂક્યો:85 રન બનાવીને આઉટ થયો, 200મી IPL મેચમાં નારાયણે બીજી વિકેટ ઝડપી; બટલરની ફિફ્ટી
    Next Article
    કેન્દ્રીય મંત્રી બંદી સંજય બોલ્યા-પુત્રને પોલીસના હવાલે કર્યો:પોલીસ બોલી- સરેન્ડર નહીં, અમે પકડ્યો; પોક્સો કેસમાં લુકઆઉટ નોટિસ જારી થઈ હતી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment