Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના સરખેજમાં જૂની અદાવતમાં લોહિયાળ જંગ:બે જૂથ વચ્ચે અથડામણમાં ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકતા એક યુવકનું મોત, 3 ઇજાગ્રસ્ત

    15 hours ago

    અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં રાતના સમયે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ પર છરી વડે હુમલો કરતા ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવકને પેટમાં છરી મારતા ગંભીર ઇજાના કારણે મોત સરખેજમાં આવેલા ઠાકોરવાસમાં ગત મોડી રાતે એક એક્ટિવા પર કેટલાક લોકો આવ્યા હતા, જેમણે ત્યાંના લોકો સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ એક જ પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરાયો હતો. આ હુમલામાં કુલ ચાર લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ગણેશ ઠાકોર નામના યુવકને પેટમાં છરી મારતા ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા બનાવની જાણ થતા સરખેજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે સરખેજ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. આજે તને પતાવી દેવો છે કહી આરોપીઓએ ઘરમાં ઘૂસી છરી મારી ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસની અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ છરી સાથે આવ્યા હતા અને કહ્યું હતું કે, આશિષ ઠાકોર મહિના પહેલા મારમાંથી બચી ગયો છે. આજે તને છોડવાનો નથી તેમ કહીને જયેશ ઠાકોરના ઘરમાં પ્રવેશીને છરીના ઘા માર્યા હતા. નરેશ ઠાકોર છોડાવવા પડતા તેને પણ છરીના ઘા માર્યા હતા. આરોપી
    Click here to Read More
    Previous Article
    કાળઝાળ ગરમી વચ્ચે વોર્ડ શરૂ:સયાજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો વિશેષ ઇમર્જન્સી વોર્ડ શરૂ
    Next Article
    2 દિવસના માસૂમને તરછોડી બે યુવતી ફરાર, CCTV:સોસાયટીમાં કોઈ ન દેખાતા બાળકને પાણીપુરીની લારીમાં મુકી દીધું, બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિકોને જાણ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment