Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વરસાદનું પાણી આફત લઇને આવ્યું:3 દિવસથી ક્લોરિનેશન વગર જ પાણી આપવામાં આવતું હોવા છતાં પાણી પુરવઠા બોર્ડ અને મનપાનું ચલકચલાણું

    13 hours ago

    મોરબીમાં એક જ રાઉન્ડમાં વરસાદે અપાર મહેર કરી મચ્છુ 2 ડેમ ઓવરફ્લો કરી આખા વર્ષનું જળસંકટ તો દૂર કરી દીધું પરંતુ ડેમ ભરાયો ત્યારથી આખા શહેરમાં પીવા માટે દુષિત પાણીનું વિતરણ થઇ રહ્યું હોઇ, લોકોમાં દેકારો મચી ગયો છે.લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે આ પાણી પીવા માટે તો ચાલે તેમ જ નથી, વપરાશમાં પણ લઇ શકાય તેમ નથી. આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જવાબદારી સ્વીકારમાંથી હાથ ઉંચા કરી દીધા તો મનપાના અધિકારીઓએ પણ ફિલ્ટર પ્લાન્ટ પાણી પુરવઠા વિભાગ હસ્તક હોવાનું ગાણું ગાઇ હાથ ઉંચા કરી દીધા હતા. બન્ને તંત્ર વચ્ચેના ચલકચલાણામાં લોકોનું આરોગ્ય રામભરોસે મુકાઇ ગયું છે. હજુ બે ત્રણ દિવસ દૂષિત પાણી આવશે‎ નજરબાગ પાસેનો ફિલ્ટર પ્લાન્ટ વિસ્તાર મહાનગર પાલિકામાં ભળી ગયો છે. ચોમાસાં કારણે વરસાદી પાણી ડેમમાં આવતું હોય છે જેથી માટી પણ પાણીમાં ભળતી હોવાથી ડહોળું દેખાય છે. હાલ અમે ત્યાં ક્લોરીનેશન કરીને જ પાણી આપીએ છીએ. છતાં હજુ બે ત્રણ દિવસ આવું દૂષિત પાણી આવશે. બાદમાં ફરી ચોખ્ખું પાણી મળતું થશે. - મહેશ દામા, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા વિભાગ મનપાનું નમૂના લઈને તપાસ કરવાનું રટણ દુષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળી છે, અમે પાણીના નમૂના લીધા છે અને તેની યોગ્ય તપાસ થશે. હાલ લીલાપર તરફના ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે. સામાકાંઠાનો ફિલ્ટર પ્લાન્ટ હજુ પાણી પુરવઠા વિભાગ હસ્તક છે. - પ્રશાંત કંઝારિયા, વોટર વર્કસ ઇજનેર, મહાપાલિકા. વરસાદી માહોલમાં પાણી જન્ય બીમારી થવાની શક્યતા વરસાદી માહોલ દરમિયાન પાણી જન્ય બીમારીની શક્યતા વધી શકે છે. ગંદુ પાણી પીવાથી ડાયેરિયા, ઉલટી, હિપેટાઇટિસ, કોલેરા જેવી બીમારી થવાની સંભાવના રહે છે. આ પ્રકારની બીમારીથી બચવા પીવાનું પાણી હંમેશા ઉકાળીને પીવું. પીવાનું અને ઘર વપરાશનું પાણી ઢાંકીને રાખવું. જમતા પહેલા કે બહારથી ઘરમાં આવો ત્યારે સાબુથી હાથ ધોવાનો આગ્રહ રાખવો. ખુલ્લામાં મળતો ખોરાક કે પ્રવાહી લેવાનું ટાળો. જે સ્થળે પાણી ભરાઈ રહેતું હોય તે સ્થળની સફાઈ રાખો. - ડો.વિપુલ કારોલીયા, ઇન્ચાર્જ એપેડમિક મેડિકલ ઓફિસર, જિલ્લા આરોગ્ય વિભાગ.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ‘હોર્ન’નો હલ્લો:હોસ્પિટલની નજીક 100 મીટરમાં 79.5, રહેણાંકમાં 78.8 ડેસિબલનું ધ્વનિ પ્રદૂષણ
    Next Article
    બિસ્માર રસ્તાઓથી લોકો કંટાળ્યા‎:મોરબીના વોર્ડ 2માં સામાન્ય વરસાદે રસ્તાની સિકલ જ બદલી નાખી, મોટા વાહનો ફસાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment