Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની વરસાદી કેનાલમાં ગટરના પાણી ભળતા રહીશો પરેશાન:સમસ્યા ઉકેલવા તંત્રને 3 દિવસનું અલ્ટીમેટમ અપાયું

    2 days ago

    પાટણના ગાયત્રી મંદિરથી વત્રાસર તળાવ સુધીની વરસાદી કેનાલમાં ગટરના ગંદા પાણી ભળતા સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લાલેશ ઠક્કર અને વિસ્તારના કોર્પોરેટરે નગરપાલિકાની ટેકનિકલ ટીમ સાથે સ્થળ તપાસ કરી હતી. તેમણે ત્રણ દિવસમાં ગટરના જોડાણો બંધ કરી સમસ્યા હલ કરવા કડક સૂચના આપી છે. પાટણ શહેરના આ વોર્ડ વિસ્તારમાં ગાયત્રી મંદિરથી વંશરાસર તળાવ સુધી જતી વરસાદી પાણીની કેનાલમાં લાંબા સમયથી ગટરના ગંદા પાણી વહેતા હોવાની ફરિયાદો હતી. આ ગંદા પાણીને કારણે આસપાસના રહીશો અને દુકાનદારો દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે. નગરપાલિકાની ચૂંટણી સમયે પણ સ્થાનિકોએ આ મુદ્દે રજૂઆતો કરી હતી, ત્યારે ચૂંટણી પ્રક્રિયા બાદ સમસ્યાનો નિકાલ લાવવાની ખાતરી અપાઈ હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે આપેલા વચન મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લાલેશ ઠક્કર અને વિસ્તારના કોર્પોરેટરે નગરપાલિકાની ભૂગર્ભ અને બાંધકામ શાખાની ટીમને સ્થળ પર બોલાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં નાખેલી ભૂગર્ભ ગટરની લાઈનમાં ઉદ્ભવેલી ફરિયાદોના નિરાકરણને બદલે, ક્યાંક ટેકનિકલ ખામીના કારણે અથવા અન્ય કારણોસર ગટરના પાણી સીધા વરસાદી કેનાલમાં જોડી દેવામાં આવ્યા છે. આ ગેરરીતિને કારણે વરસાદી પાણીના નિકાલ માટે બનેલી લાઈન ગટર લાઈનમાં ફેરવાઈ ગઈ છે. સ્થળ પર હાજર નગરપાલિકાની ભૂગર્ભ શાખાની ટીમના ભાવેશભાઈ, દશરથભાઈ અને બાંધકામ શાખાની ટીમના કનુભાઈને લાલેશ ઠક્કર દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ હતી. તેમને ગંદા પાણીના સ્ત્રોત શોધી કાઢી તાત્કાલિક સમારકામ શરૂ કરવા અને ભૂગર્ભ ગટરના પાણીને મુખ્ય ગટર લાઈનમાં વાળવા જણાવ્યું હતું, જેથી વરસાદી કેનાલ ગંદકીમુક્ત બને. અધિકારીઓએ આગામી ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે. પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને તંત્ર દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નસવાડીના ધારસીમેલ ગામે મકાનમાં ભીષણ આગ:રાત્રિ દરમિયાન ઘરવખરી, અનાજ સહિતનો સામાન ભસ્મીભૂત
    Next Article
    જંગલેશ્વરમાં ડિમોલિશનના બે માસ બાદ રોડ બન્યો નહીં:ચોમાસામાં પૂરનો ભય, આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે: મ્યુનિસિપલ કમિશનર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment