Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકવાડાના ચન્દ્રોદય પાર્કમાં તસ્કરો ત્રાટક્યા:ત્રણ બંધ મકાનમાં તાળા તોડી 2 લાખથી વધુ રોકડની ચોરી

    14 hours ago

    ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટકતા ત્રણ મકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિકો પરિવાર સાથે બહાર ગયેલા હોવાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તાળા તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરી ત્રણ મકાનમાંથી 2 લાખથી વધુ રોકડ રકમ ચોરી કરી હતી. સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા પૈસા ગાયબ હતાં ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, અકવાડા ચન્દ્રોદય પાર્કમાં રહેતા મયુર ગનુભાઈ હળવદીયાએ ફરિયાદ નોંધાવી છે કે 9 માર્ચના રોજ કુંભારવાડામાં રહેતા તેમના સગાના દીકરીની સગાઈના પ્રસંગે તેઓ માતા-પિતા સાથે અકવાડા સ્થિત પોતાના મકાનને તાળું મારી કુંભારવાડા ગયા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ ત્યાં જ રોકાઈ ગયા હતા. દરમિયાન 11 માર્ચની વહેલી સવારે પડોશીએ ફોન કરીને જાણ કરી હતી, કે તેમના ઘરના દરવાજે લગાવેલું તાળું તૂટેલું છે અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો છે. ત્યારબાદ મયુરભાઈ પરિવાર સાથે તાત્કાલિક અકવાડા ચન્દ્રોદય પાર્ક સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ઘરનું તાળું તૂટેલું અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા આશરે રૂ.30,000 રોકડ રૂપિયા ચોરાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતું. અન્ય બે ઘરમાં પણ ચોરી થયાનું સામે આવ્યું આ દરમિયાન સોસાયટીના ગેટ નં.3 પ્લોટ નં.44 માં રહેતા મનસુખમકવાણાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પણ તાળું તોડી ચોરી કરવામાં આવી હતી અને ઇલેક્ટ્રિક સામાન ખરીદવા માટે મંદિરના ખાનામાં રાખેલા રૂ.1,25,000 લાખ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ગેટ નં.2 પ્લોટ નં.465 માં રહેતા અંકિત વાઘેલાના ઘરના દરવાજાનો મીજાગરો તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરાયો હતો અને જેમની ડાયાલિસીસની સારવાર માટે સેટીમાં રાખેલા રૂ.70,000 પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આમ સોસાયટીના ત્રણ મકાનમાં ચોરીની ઘટના સામે આવતા ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ BNS કલમ 331(3), 331(4) અને 305 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હનીટ્રેપ કરતી ગેંગ ઝડપાઇ:હોટલમાં નિવૃત્ત શિક્ષક પાસે બળજબરીથી શરીરસંબંધ બંધાવ્યો, ફોટા-વીડિયો ઉતારી 12 લાખ પડાવ્યા
    Next Article
    વ્હાઇટ LED લાઇટ લગાવનાર સામે RTOની તવાઈ:2 મહિનામાં 1021 સામે કાર્યવાહી અને 10 લાખથી વધુનો દંડ વસૂલ્યો, નિયમ વિરુદ્ધ લાઇટ લગાવનારના લાયસન્સ સસ્પેન્ડ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment