Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં સગીરે 3 પાનાની સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાધો:પિતા, દાદા, દાદી અને ફોઈના ત્રાસથી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ, પિતા રોજ દારૂ પીને મા-દીકરાને માર મારતા ટેન્શનમાં રહેતો હતો

    2 days ago

    અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં 17 વર્ષના સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સગીરના મોત બાદ બેડ નીચેથી 3 પાનાની અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેના પિતા, દાદા, દાદી અને ફોઈ ત્રાસ આપતા હતા જેના કારણે કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાણીપ પોલીસે સમગ્ર મામલે ચારેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પતિ રોજ દારૂ પીતો અને કામ ધંધેથી આવીને તેમની સાથે મારઝૂડ કરતો રાણીપમાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમને સંતાનમાં 17 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી છે. તેમનો 17 વર્ષનો દીકરો ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. પરિણીતાના લગ્ન વર્ષ 2008માં મુકેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતાનો પતિ મુકેશ રોજ દારૂ પીતો અને કામ ધંધેથી આવીને તેમની સાથે મારઝૂડ કરતો હતો. પરિણીતાના સાસુ, સસરા પણ દીકરાનું ઉપરાણું લેતા હતા. પરિણીતાએ દીકરાને જન્મ આપ્યો ત્યારબાદ તેમના નણંદ તેમને કહેતા હતા કે, તું અને તારો દીકરો મરી જાવ તો સારું. આમ સાસુ-સસરા, પતિ અને નણંદ અવારનવાર ત્રાસ આપતા હતા. પરિણીતા તેના પતિ સાથે રાણીપના એક એપાર્ટમેન્ટમાં રહેવા આવી થોડા સમય અગાઉ પરિણીતા તેમના પિયરમાં બંને સંતાન સાથે રહેવા જતા રહ્યા હતા. ત્યાં પણ તેમનો પતિ મુકેશ રાજકોટ આવ્યો હતો અને પરિણીતાના પિતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. સગીરનો ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ થતા પરિણીતા તેમના પતિ સાથે રાણીપના એક એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. પરિણીતાનો સગીર દીકરો સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. એક વખત સગીરના પિતા તેની સ્કૂલે ચપ્પુ લઈને મારવા ગયા હતા પતિ મુકેશ દારૂ પીને આવી પરિણીતા અને તેમના દીકરાની સાથે મારઝૂડ કરતો હતો. દીકરાએ આ અંગે તેમના સાસુ, સસરા અને નણંદને ફોન કરીને તેના પિતાએ કરેલી મારઝૂડ અંગે જાણ કરી તો તેમને કહ્યું હતું કે, તું અને તારી મા મરી જાવ તો શાંતિ થાય. જેને કારણે પરિણીતાનો સગીર વયનો દીકરો ટેન્શનમાં રહેતો હતો. એક દિવસ સગીરના પિતા મુકેશ તેની સ્કૂલ આગળ ચપ્પુ લઈને મારવા પણ ગયા હતા. જેના કારણે સગીર ડરી પણ ગયો હતો. બપોરના સમયે પરિણીતાએ સગીરને ફોન કર્યો પણ તેણે ઉપાડ્યો નહીં 9 માર્ચના રોજ પરિણીતા તેમના બહેનના ઘરે નરોડા ખાતે રહેવા ગઈ હતી. દરમિયાન તેમનો દીકરો ટ્યુશન ક્લાસ ચાલુ હોવાથી રાતે એકલો રાણીપ ખાતે રોકાયો હતો. 10 માર્ચના રોજ સગીરે તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે, તેણે રાત્રે મોડા સુધી અભ્યાસ કર્યો છે જેથી તે અત્યારે સુઈ જાય છે. જે બાદ બપોરના સમયે પરિણીતાએ સગીરને ફોન કર્યો તો ફોન ઉપાડ્યો ન હતો. તેથી પરિણીતા પડોશીઓને જાણ કરી હતી. રૂમના કાચની સાઇડરની બારી ખોલીને જોતા સગીરે ગળાફાંસો ખાધેલો હતો પાડોશીઓએ પરિણીતાના ઘરનો દરવાજો ખખડાવ્યો, પરંતુ સગીરે ખોલ્યો ન હતો તેથી પાડોશીઓએ રૂમના કાચની સાઇડરની બારી ખોલીને જોતા સગીરે ગળાફાંસો ખાધેલો હતો. પરિણીતા અને તેમના પરિવારના સભ્યો રાણીપ પહોંચ્યા ત્યારે સગીર મૃત હાલતમાં હતો. જે બાદ સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પિતા, દાદા, દાદી અને ફોઈના માનસિક ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ સગીરના મોત બાદ તેના બેડના નીચેથી એક સુસાઇડ નોટ મળી હતી. આ ત્રણ પાનાની સુસાઇડ નોટમાં અંગ્રેજીમાં સગીરે તેના મરવાનું કારણ તેના પિતા, દાદા, દાદી અને ફોઈના માનસિક ત્રાસનું હોવાનું લખ્યું હતું. રાણીપ પોલીસે સમગ્ર મામલે સગીરાના પિતા, દાદા, દાદી અને ફોઈ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાણીપ PI કેતન વ્યાસે જણાવ્યું હતું કે, સગીરની સ્યુસાઈડ નોટ FSLમાં મોકલવામાં આવી છે. હાલ આરોપીની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બજેટ સત્રનો બીજો તબક્કો, 7મો દિવસ:વિપક્ષના 8 સાંસદોનું સસ્પેન્શન હટાવી શકાય છે; સ્પીકર પર કાગળ ફેંકવા બદલ સસ્પેન્ડ કરાયા હતા
    Next Article
    ગુજરાતના હાઈવે રકત રંજિત, ચારનાં મોત:ગોધરામાં 4 વાહન વચ્ચેની ભીષણ ટક્કરે TRB જવાન સહિત બેનો જીવ લીધો; સાણંદ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં આગ બાદ 2 જીવતા હોમાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment