Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારામારીનો મામલો:કુંભારવાડા અને ગણેશનગરમાં મારામારીના 3 બનાવ,3 ઘાયલ

    12 hours ago

    શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક જ દિવસમાં મારામારીના જુદા જુદા બે બનાવો બન્યા હતા, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસ તપાસ આગળ વધી રહી છે. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે મારામારીના બે બનાવો બન્યા હતા. પ્રથમ બનાવ ગરનાળા ચોકી પાછળ હાથીખાના વિસ્તારમાં નોંધાયો હતો. જેમાં આરીફ ગફારખાન પઠાણની ફરિયાદ મુજબ ધૂળ ઉડાડવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી વસીમ પઠાણે ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ફરિયાદીએ સમયસર ચપ્પુ છીનવી લીધું હતું. ત્યારબાદ અન્ય આરોપીઓ સાથે મળીને ફરીયાદી તથા તેના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ફરિયાદીના દિકરાને માથા તથા પગના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બીજો બનાવ ગણેશનગર વિસ્તારમાં સચ્ચિદાનંદ દુકાન નજીક નોંધાયો હતો. ફરિયાદી અરૂણભાઈ બથવારની ફરિયાદ મુજબ દુકાન સામે પેશાબ કરવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝઘડો કર્યો હતો. દરમિયાન એક આરોપીએ તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બીજા આરોપીએ ગુપ્તી વડે ઇજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ પણ ફરીયાદીને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને બનાવોમાં ચાર-ચાર આરોપીઓ સામે ગુનાઓ નોંધાયા છે. હાલ કુંભારવાડા પોલીસ દ્વારા બંને કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય સ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ:ક્રિકેટમાં RMSની ટીમે 8 વિકેટમાં નીઓટેક કોલેજને ઓલઆઉટ કરી, ચોગ્ગાથી જીતી
    Next Article
    પોલીસ કાર્યવાહી:શિક્ષિકાને સોશિયલ મીડિયા પર હેરાન કરનારો યુવક ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment