Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ફોલોઅપ:3 ફૂટની દીવાલ ઉપર 3 ફૂટની નવી દીવાલ ચણતાં દુર્ઘટના ઘટી‎

    3 days ago

    પાટડીના કચોલીયા ગામે 7 માર્ચે સ્નાનાઘાટની દીવાલ ધરાશાઈ થતાં 38 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. દિવ્ય ભાસ્કરની તપાસમાં સામે આવ્યું હતું કે, કચોલીયામાં 3 ફૂટની જૂની દીવાલવાળા હોજ પર નવી 3 ફૂટ ઊંચી દીવાલ બનાવી, જે પાણીના પ્રેસરથી વજન ન ઝીલતા દીવાલ તૂટતાં 38 વર્ષની મહિલાનો ભોગ લેવાયો હતો. જેમાં માત્ર ઠરાવ કરીને પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કામ કરાયું હોવાનું સામે આવતા તપાસના આદેશ કરાયા છે. દિવ્ય ભાસ્કરની તપાસમાં વિગતો સામે આવી કે, અગાઉ તળિયેથી 3 ફૂટ ઊંચાઈમાં ચારે બાજુ દીવાલવાળો હોજ હતો. આ દીવાલ પર 3 ફૂટ હાઈટ ઊંચો ઉપાડવાની કામગીરી પંચાયતે કરાવી હતી. જેથી પાણીની સ્ટોરેજ કેપેસિટી ડબલ થઈ ગઈ હતી. પરંતુ નીચે જૂનું બાંધકામ હોય પાણીના પ્રેસરથી નીચેથી દીવાલો તૂટી પડી હતી. જેના કારણે ત્યાં કપડા ધોઈ રહેલી મહિલા પર દીવાલ પડતા દટાઈ જવાથી સ્થળ પર જ મહિલાનું મોત થયું હતું. FSL અધિકારીએ નમૂના લઈ ગયા છે. આ કામમાં માત્ર ઠરાવ કરીને પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કામ કરાયું હોવાનું સામે આવતા તપાસના આદેશ કરાયા છે. સામાજિક આગેવાન કિરિટ રાઠોડે જણાવ્યું કે, આ ઘટનામાં માર્ચ માસમાં ગ્રાન્ટ લેપ્સ ના જાય એટલે પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કે તાલુકા પંચાયતની મંજૂરી વગર માત્ર ઠરાવ પસાર કરીને જ આ કામ કરાયું હોવાથી 10 મુદ્દા સાથે ન્યાયિક તપાસની માંગ સાથે લેખિત આવેદનપત્ર આપ્યું હતું. નાયબ ડીડીઓ દ્વારા તપાસના આદેશ આ અંગે પાટડીના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી નિલેશભાઈ પંચાલે જણાવ્યું કે, આ કામનો પ્રાથમિક રિપોર્ટ તો કરી દેવામાં આવ્યો છે. આ કામમાં માત્ર ઠરાવ કરીને કામ કર્યું હોવાનું સામે આવ્યું છે, આ કામમાં તાલુકા પંચાયતની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી. આથી આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 3 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ કચોલીયા ગામે તળાવ પાસે આવેલા પાણીના હોજની દીવાલ પડી જવાથી મહિલાના મોત મામલે આ મિલ્કત કયારે બનાવવામાં આવેલ છે ? તથા ગ્રામ પંચાયતમાં ખર્ચ કે ઠરાવ કરેલ છે કે કેમ ? તથા આ અંગેના પ્લાન-એસ્ટિમેન્ટ / વહીવટી મંજૂરી /વર્ક ઓર્ડર મેળવેલ છે કે કેમ ? તથા આ અંગેના તમામ સાધનિક કાગળો તથા આ બનાવ કઈ રીતે બનવા પામેલ છે ? તે અંગેના રોજકામ સહિત સાધનિક કાગળો સાથેનો અહેવાલ દિન-3માં રજૂ કરવા ટીડીઓ દ્વારા તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હીટવેવના લીધે નાગરિકોના હિતમાં નિર્ણય:જનસેવા, આધાર કેન્દ્રો હવે 2 સત્રમાં, બપોરે 1થી 4 કામગીરી બંધ
    Next Article
    ડિજિટલ‎ એરેસ્ટ:ભરૂચના નિવૃત્ત કર્મીને 4 દિવસ ડિજિટલ‎એરેસ્ટ કરી ગઠિયાએ 58 લાખ પડાવ્યાં‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment