Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીટવેવના લીધે નાગરિકોના હિતમાં નિર્ણય:જનસેવા, આધાર કેન્દ્રો હવે 2 સત્રમાં, બપોરે 1થી 4 કામગીરી બંધ

    3 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા તાપમાન અને હવામાન વિભાગની હીટવેવની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી હસ્તકના તમામ જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો અને બેંક-પોસ્ટના આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અસહ્ય ગરમી અને લૂથી બચવા માટે હવે આ કેન્દ્રો પર બપોરના સમયે કામગીરી સ્થગિત રાખી, સવાર અને સાંજ એમ બે પાળીમાં અરજદારોનું કામ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આકરા ઉનાળાના આરંભ થઈ ગયો છે. સાથે હાલ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાને ધ્યાને રાખીને, નાગરિકોને હીટવેવની વિપરિત અસરોથી બચાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના કાર્યકાળના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લાની કલેક્ટર કચેરી, તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસમાં કાર્યરત તમામ આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ કેન્દ્રો સવારના 10-30થી સાંજના 6-10 કલાક સુધી કાર્યરત રહેતા હતા, પરંતુ હવે હિટવેવને પગલે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ હવે આ બધા જ કેન્દ્રો 2 સત્રમાં ચાલશે. જેમાં બપોરે 1થી 4 સુધી કામગીરી બંધ રહેશે. નવો સમય પત્રક 31-5 સુધી રહેશે નવા નક્કી કરાયેલા સમય મુજબ, હવે આ કેન્દ્રો સવારે 9થી બપોરે 1 કલાક સુધી અને ત્યારબાદ બપોર પછી 4થી સાંજના 6 કલાક સુધી જનતા માટે ખુલ્લા રહેશે. બપોરે 1થી 4 દરમિયાનના અસહ્ય તાપના સમયગાળામાં જાહેર જનતાની કામગીરી બંધ રહેશે. જેથી હીટવેવની સીધી અસરથી બચી શકાય. આ નવા સમયપત્રકની અમલવારી તા.13-3-2026થી શરૂ થઈને તા.31-5-2026 સુધી અમલમાં રહેશે - કે.આર. પટેલ, નિવાસી અધિક કલેક્ટર
    Click here to Read More
    Previous Article
    મોરબી મનપાને રેલો આવ્યો:વીજ જોડાણ કટ થાય તે પહેલાં 16.33 કરોડ ચૂકવી દીધાં
    Next Article
    ભાસ્કર ફોલોઅપ:3 ફૂટની દીવાલ ઉપર 3 ફૂટની નવી દીવાલ ચણતાં દુર્ઘટના ઘટી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment