Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતાને ટીબી, બાળકમાં પણ લક્ષણ હોવાની આશંકા:ભાયલીના 3 વર્ષના બાળકને તાવ અને ખેંચ સાથે ચાંદીપુરાનાં લક્ષણ,રિપોર્ટ નેગેટિવ આવતાં રાહત

    2 days ago

    મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર એક્શન મોડમાં છે. ખાસ કરીને 15 વર્ષથી નાનાં બાળકો ઝપટમાં આવતાં હોવાથી આરોગ્ય તંત્ર તાત્કાલિક પગલાં લઈ રહ્યું છે. દરમિયાન ભાયલીમાં શ્રમજીવી નાયકા પરિવારના 3 વર્ષના બાળકને તાવ-ખેંચ સાથે ચાંદીપુરાનાં શંકાસ્પદ લક્ષણ દેખાતાં તેને ગોત્રી GMERS હૉસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકનાં સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયાં હતાં અને તેને 4 દિવસ સારવાર હેઠળ રખાયો હતો. જોકે રવિવારે રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, બાળકના પિતા ટીબી હોવાથી આ રોગ બાળકમાં ટ્રાન્સફર થયો હોય અને ટીબી મેનિન્જાઈટીસ (મગજનો ટીબી)ને કારણે પણ આવાં લક્ષણો દેખાયાં હોવાની શંકા છે. 2024માં જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ મળ્યા હતા, જ્યારે 2025માં એક પણ કેસ નોંધાયો નહોતો. 500 મકાનનો સરવે કરાયો, કંઈ શંકાસ્પદ ન મળ્યું સરકારની સૂચના છે કે જે બાળકમાં ચાંદીપુરાનાં લક્ષણ દેખાય તો સૌપ્રથમ ટેસ્ટ કરવો. આ બાળકનો ટેસ્ટ કરવા સાથે તે રહે છે ત્યાંનાં 85 કાચાં મકાન અને આસપાસની સોસાયટીનાં 500 મકાનનો સરવે કર્યો હતો. જોકે કંઈ શંકાસ્પદ મળ્યું નથી. > જયશ્રી ખૂબચંદાણી, આરોગ્ય ઓફિસર, પાલિકા શહેરી વિસ્તારમાં સેન્ડ ફ્લાય જોવા મળતી નથી
    Click here to Read More
    Previous Article
    60 વર્ષ પહેલાં કૂવા-વાવથી ધબકતું ભુજ, નક્ષત્રો જોઈ પાણી સંગ્રહાતું:ભુજ શહેરના દરેક વોર્ડમાં હતા જીવંત કૂવા અને વાવ, મોટી પોષાળમાં આજે પણ વાવનું પાણી
    Next Article
    ગેરરિતી:વડોદરા ઝાલા ગામમાં સ્વભંડોળની ગ્રાન્ટનાં કામમાં ગેરરિતી થયાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment