Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતની ભીતિ દૂર થઈ:ગુંદીયાળાના માર્ગે 500 મીટરના પુલ પર સંરક્ષણ દિવાલ બનાવાઈ

    15 hours ago

    વઢવાણ તાલુકાના અનેક ગામડાઓને જોડતા માર્ગો આવેલા છે. ગુંદીયાળા તરફનો માર્ગ પણ આમ વઢવાણ તરફ ખોલડીયાદ, માળોદ તેમજ બીજી તરફ વસ્તડી તેમજ સામા કાંઠે આવેલા મેલડી માતાના મંદિર તરફ જવા માટે રાહદારીઓ, વાહનચાલકો તેમજ ભક્તો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ગુંદીયાળા તરફના રોડ પર ભયજનક વળાંક હોવાથી તેમજ તેનાથી થોડી દુર અંદાજે 500થી વધુ મીટરનો પુલ આવેલો છે. ત્યારે આ પુલની બંને સાઇડો પર લોખંડની ગ્રીલો કે સરંક્ષણ દિવાલો ન હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. બીજી તરફ આ માર્ગ પર દિવસ -રાત લોકો આવ-જા કરી રહ્યાં છે અને ભયજનક વળાંક, સરંક્ષણ દિવાલ વગરનો પુલના કારણે લોકોને અકસ્માતનો ભય રહેતા યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યારે તંત્ર દ્વારા પુલની બંને સાઇડ સંરક્ષણ દિવલ કરતા લોકોમાં રાહત ફેલાઇ હતી. આ અંગે સુનિલ જી. રાઠોડે જણાવ્યું કે, આ રોડ પર અકસ્માતનો ભય બહુ રહેતો હતો. મારૂ જ બાઇક એક વાર સ્લીપ ખાઇ ગયુ હતુ.
    Click here to Read More
    Previous Article
    મનપાની મોટી જાહેરાત:મોરબીના લોકોને રૂ.62.42 લાખના ખર્ચે વધુ એક ઉદ્યાનની ભેટ મળશે
    Next Article
    અણઘડ આયોજનથી પ્રજાજન પરેશાન:વઢવાણમાં રેલવે મેદાનથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ ડાયવર્ઝન વગર જ શરૂ કરી દીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment