Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદના મારની શક્યતા:કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં માવઠાંની આગાહી, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે

    17 hours ago

    ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે. ખાસ કરીને 18 અને 19 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. જોકે, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી બફારા અને ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. 19 અને 20 માર્ચે આ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી 3 દિવસ એટલે કે 18થી 20 માર્ચના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચ બાદ વાતાવરણ થશે ચોખ્ખું 19 માર્ચના રોજ વરસાદની શક્યતા વધશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા અને પાટણ ઉપરાંત પંચમહાલ, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા સરહદી જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જળવાઈ રહેશે, જે બાદ વાતાવરણ ચોખ્ખું થવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્દોરમાં EV ચાર્જિંગથી આગનો વીડિયો સામે આવ્યો:આઠ લોકોના મોત, 4 ગંભીર, વીજળી ગુલ થતા ઘરનું ઈલેક્ટ્રોનિક લોક ન ખુલ્યું
    Next Article
    સુરેન્દ્રનગરમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ યોજાશે:કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને તૈયારીઓની સમીક્ષા બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment