Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ:કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી, 2 બાળકોનાં મોત

    3 days ago

    પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલોલ તાલુકાના કાછોટા ગામની 2 વર્ષીય બાળકી ઝાંસી મકવાણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને ગત 18 જુલાઈના રોજ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ આ બાળકી SSG હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે અને આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તેની હાલત સ્થિર છે. આ નવા કેસની નોંધણી સાથે જ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના કુલ પોઝિટિવ કેસનો આંકડો હવે ૩ પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 23 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ 23 શંકાસ્પદ કેસમાંથી ૩ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 20 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. નોંધનીય છે કે, 3 પોઝિટિવ કેસમાંથી 2 બાળકોના મોત નીપજ્યા છે. હાલની સ્થિતિએ જિલ્લાના કુલ 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. બીજી તરફ, કેસ સામે આવતાની સાથે જ અસરગ્રસ્ત કાછોટા ગામ અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન સર્વેલેન્સ, દવાઓનો છંટકાવ અને જરૂરી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં ઘાસચારાની અછતને લઈ માલધારી સમાજની રજૂઆત:પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર
    Next Article
    મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન: કિન્નરો-મહિલાઓએ છાજીયા લીધા:સરકાર અને અદાણી વિરુદ્ધ પ્રતીક ઉપવાસ યથાવત, વળતરની માંગ યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment