Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરનો ચકચારી ઋષભ પટેલ આત્મહત્યા કેસ:ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 3 વોન્ટેડ આરોપીઓનું નેપાળ કનેક્શન ખુલ્યું, પોલીસ હવે ઇન્ટરનેશનલ પ્લાનિંગ સાથે ધરપકડ કરશે

    10 hours ago

    ગાંધીનગરના સુઘડમાં રહેતા સાનિધ્ય બિલ્ડરના 25 વર્ષીય ઋષભ પટેલના આપઘાત કેસમાં જાન્યુઆરી મહિનાથી વોન્ટેડ ત્રણ આરોપીઓ નેપાળમાં આશરો લઇ રહ્યા હોવાનું ઇન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેના પગલે હવે ગાંધીનગર પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે નેપાળ પોલીસના સંલકનમાં રહી માઇક્રો પ્લાનિંગ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવાની છે. ઋષભ 25 જાન્યુઆરીએ સાઈટ પર જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો ગાંધીનગર કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલની આત્મહત્યા કેસમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને મૃતકના પિતા પ્રવિણભાઈએ ચાર શખસોના નામજોગ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સુઘડ ખાતે અપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવિણભાઈ પટેલના લગ્ન તા. 12 જાન્યુઆરીના રોજ થયા હતા. લગ્નના 13 દિવસ બાદ એટલે કે 25 જાન્યુઆરીના રોજ તે સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી-નર્મદા કેનાલમાંથી મળ્યો દરમિયાન 26 જાન્યુઆરીના રોજ ઋષભની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના, મોબાઈલ અને રોકડ રકમની સાથે બે પેજની અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. 28 જાન્યુઆરીના રોજ ઋષભનો મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. ઋષભે સ્યુસાઇડ નોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખસના માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું હતું કે હેલી બેટા (પત્ની)… ખુશ રહેજે, મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે, તેમને સજા અપાવજે. ઋષભના મોત બાદ ત્રણેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થતા જ કલ્પેશ ઉર્ફ તલાટી અંબાલાલ પટેલ (હાલ રહેવાસી એ/802, નેસ્ટ રેસીડન્સી, કેરાહેજા રોડ કોબા) મનિષ ઉર્ફ સ્પલેન્ડર સોમાભાઇ પટેલ (રહે. બી/101, શિખર રેસીડન્સી, નાના ચિલોડા), ક્રિશાલ અરવિંદભાઇ ઉર્ફ વિકમભાઇ પટેલ (રહે.સી/702, બેવરલી હિલ્સ, નાના ચિલોડા) અને મહિપાલસિંહ રાઠોડ (તાબુંલ પાર્ન પાર્લર બેવરલી કોમ્પલેક્ષ, રહે.નાના ચિલોડા) ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ક્રિકેટ સટ્ટાના રૂપિયાની લેતીદેતીનું કારણ બહાર આવ્યું બાદમાં પોલીસના હાથમાં મહિપાલસિંહ રાઠોડ આવી ગયો હતો. જેણે પોલીસ રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતા સમગ્ર પ્રકરણ ક્રિકેટ સટ્ટા બેટિંગના રૂપિયાની લેતીદેતીનું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલના પુત્ર મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ, ક્રિશાલ પટેલ દ્વારા સટ્ટાના 70થી 80 લાખની ઉઘરાણી કરવામાં આવતી હતી. મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર અને સાણંદ ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતો કલ્પેશ ઉર્ફે તલાટી જે આઇડીથી ઋષભ સટ્ટો રમતો હતો એ આઇડી પાસવર્ડ આરોપીઓ તરફથી આપવામાં આવેલું હતું. જે સટ્ટા બેટિંગ પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. મૃતકની પત્નીએ પતિના આપઘાત માટે જવાબદાર ન હોવાનો દાવો કર્યો જોકે ઋષભ પૈસા ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતો હોવાથી તેને માર મારી ટોર્ચર કરાયો હતો. આખરે ઋષભે કેનાલમાં આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે ઋષભની પત્ની હેલીની પણ પૂછતાછ કરતાં પારિવારિક સંબંધોના લીધે કલ્પેશ ઉર્ફે તલાટીને તે મામા કહીને બોલાવતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સમક્ષ હેલીએ મામા કલ્પેશ તલાટી પતિના આપઘાત માટે જવાબદાર નહિ હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ ઋષભ પટેલ જે પૈસા સટ્ટામાં હારી ગયો હતો. એ પૈસા આગળ ચૂકવવા માટે કલ્પેશ ઉર્ફે તલાટીએ તેનું માણસા નું મકાન પણ અંદાજિત 65 લાખમાં વેચી માર્યું હતું. તેમ છતાં ઋષભ પૈસા પરત કરવાની કોઈ દરકાર કરતો નહોતો. વધુમાં પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છેકે ભૂતકાળમાં ઋષભ નકલી માર્કશીટ કેસમાં સંડોવાયેલો હતો. આરોપીઓ નેપાળમાં છુપાયું હોવાનું બહાર આવ્યું જોકે આ સમગ્ર મામલે ગુનો દાખલ થતાં જ મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, કલ્પેશ ઉર્ફે તલાટી અને ક્રિશાલ પટેલને પકડવા ઇન્ફોસિટી પીઆઇ વી આર ખેરની ટીમોએ ત્રણેયના આશ્રય સ્થાનો પર દરોડા પાડી પરિવાજનોની પણ પૂછતાછ હાથ ધરી હતી. પરંતુ કોઈ ફળદાયી હકીકત મળી આવી હતી. ત્યારે પોલીસે એક પછી એક કડીઓ જોડીને તપાસનો દોર ચાલુ રાખતા આરોપીઓ નેપાળમાં છુપાયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વિશ્વસનીય સુત્રોએ કહ્યુ કે, આરોપીઓ નેપાળમાં નજીકના પરિચિત મારફતે આશરો મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નેપાળ વિઝા ફ્રી હોવાથી ત્રણેય ત્યાં છુપાઈને બેસી ગયા છે. જેના પગલે નેપાળ પોલીસના સંકલનમાં રહીને ત્રણેયને ઝડપી લેવા તખ્તો ગોઠવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 'ઊંટના નહીં, પાલિકાના અઢારે વાંકા':પાણીના વાલ્વના હોલમાં ઊંટનો પગ ફસાયો; લોકોએ કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢ્યો
    Next Article
    Surat Crime News | એક તબીબના એસિડ એટેકથી વકીલોમાં ડરનો માહોલ | Family Court | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment