Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા એજન્સીઓની રીંગ સામે લાચાર:યોગ્ય ભાવ નહીં મળતા 3 મહિનામાં 14થી વધુ ટેન્ડરો રી-ટેન્ડર કરાયા, વિકાસ કાર્યોમાં વિલંબ-ભ્રષ્ટાચારની આશંકા

    19 hours ago

    રાજકોટ મહાનગરપાલિકામાં હાલમાં એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે વિકાસના કાર્યો થંભી ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના નાના-મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે બહાર પાડવામાં આવતા ટેન્ડરોમાં એજન્સીઓ દ્વારા ‘રીંગ’ બનાવીને ઉંચા ભાવ ભરવામાં આવતા હોવાથી તંત્ર દ્વારા છેલ્લા 3 મહિનાના ટૂંકા ગાળામાં જ 14થી વધુ ટેન્ડરોને રદ કરી ફરીથી પ્રસિદ્ધ (રી-ટેન્ડર) કરવાની ફરજ પડી છે. નવાઈની વાત એ છે કે, આ એજન્સીઓ ‘ઓન’ (વધારાના નફા) વગર કામ કરવા તૈયાર નથી, જેના કારણે શહેરના બગીચાની જાળવણી અને ડ્રોન દ્વારા પોરાનાશક જેવી મહત્વની કામગીરી અટવાઈ પડી છે. ચોક્કસ એજન્સીઓ અને પેટા કોન્ટ્રાક્ટરો અંદરોઅંદર સાંઠગાંઠ કરતા હોવાનો આક્ષેપ મહાપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે ઓવરબ્રિજ, અંડરબ્રિજ જેવા મેગા પ્રોજેક્ટથી માંડીને પેવિંગ બ્લોક નાખવા જેવા સામાન્ય કામો માટે સમયાંતરે ટેન્ડર બહાર પાડવામાં આવે છે પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલીક ચોક્કસ એજન્સીઓ અને પેટા કોન્ટ્રાક્ટરો અંદરોઅંદર સાંઠગાંઠ કરી લે છે. જ્યારે કોઈ ટેન્ડર બહાર પડે ત્યારે આ એજન્સીઓ એવી રીતે બિડિંગ કરે છે કે જેથી ભાવ ઉંચા રહે અને કામ કોઈ એક મનગમતી એજન્સીને જ મળે. જો તંત્ર દ્વારા ભાવ ઘટાડવા માટે કહેવામાં આવે તો એજન્સીઓ પીછેહઠ કરે છે. આ પરિસ્થિતિને કારણે મનપાને એક જ ટેન્ડર બીજી, ત્રીજી કે પાંચમી વખત પણ પ્રસિદ્ધ કરવું પડે છે. બાગ-બગીચાની જાળવણીમાં એજન્સીએ રસ દાખવ્યો નથી તાજેતરના અહેવાલ મુજબ સેન્ટ્રલ ઝોનમાં બગીચાની જાળવણી માટેનું ટેન્ડર બીજી વખત, જ્યારે ઈસ્ટ ઝોન માટે ત્રીજી વખત પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વેસ્ટ ઝોનમાં પણ બાગ-બગીચાની જાળવણીમાં એજન્સીએ રસ દાખવ્યો નથી. આ ઉપરાંત, શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે ડ્રોન દ્વારા પોરાનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ એજન્સીઓની આ ‘રીંગ’ ને કારણે જ અટકી છે. વૉર્ડ નં. 15 માં 80 ફૂટ રોડ પર આવેલા ચંપકભાઈ વોરા પુલની કામગીરી માટેના ટેન્ડરમાં પણ કોઈ એજન્સીએ યોગ્ય પ્રતિસાદ આપ્યો નથી. 30%થી વધુ ‘ઓન’ હોય એવા ટેન્ડરોને પણ ઘણીવાર મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવે બીજી તરફ આ મામલે અધિકારીઓ-પદાધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પોતાની માનીતી એજન્સીઓને કામ અપાવવા માટે નવી નીતિઓ અપનાવી રહ્યા છે. જો ટેન્ડર પ્રક્રિયા દરમિયાન મનગમતી એજન્સી ડિસક્વોલિફાય થાય અથવા તો નીચા ભાવે બીડ ન કરે તો તેને ટેન્ડર આપવાને બદલે જાણીજોઈને રી-ટેન્ડર કરવાનો આદેશ આપવામાં આવે છે. ટેન્ડર મૂલ્યાંકન સમિતિ દ્વારા 30%થી વધુ ‘ઓન’ હોય એવા ટેન્ડરોને પણ ઘણીવાર મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવે છે, જે તંત્રની કાર્યપદ્ધતિ પર શંકા ઉપજાવે છે. અંતે તો જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે સામાન્ય રીતે જ્યારે કોઈ કામ માટે એક જ એજન્સીનું ટેન્ડર આવે ત્યારે તેને રી-ટેન્ડર કરવાનો નિયમ છે પરંતુ, હવે એજન્સીઓ સમજી-વિચારીને ત્રણ-ચાર એજન્સી સાથે મળીને 30%થી વધુ ઉંચા ભાવ સાથે બિડ રજૂ કરે છે. આને કારણે ટેન્ડર રિવ્યુ કમિટીને પણ ઘણીવાર આ ઉંચા ભાવ ‘વ્યાજબી’ લાગે છે, જે કામોમાં માર્જિન ઓછું હોય અથવા મહેનત વધારે હોય તેવા ટેન્ડરોમાં કોઈ એજન્સી બિડ રજૂ કરતી નથી, જ્યારે લ્હાણી જેવી મલાઈદાર કામગીરીમાં એજન્સીઓ રીંગ બનાવીને તંત્રને બાનમાં લે છે. આ સમગ્ર ખેંચતાણમાં અંતે તો જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને શહેરના પાયાના વિકાસના કામો સમયસર પૂરા થતા નથી. ત્યારે હવે નવી ટર્મનાં શાસકો માટે આ એક મોટો પડકાર બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દરેક વોર્ડમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળશે:ભાવનગરમાં ભાજપના 31 વર્ષના શાસન સામે 'ભાજપાપ' ચાર્જશીટ જાહેર
    Next Article
    કાર્ડ વગર ઓપરેશનની ના પાડતા ગરીબ મહિલા રઝળ્યા.:'આયુષ્માન કાર્ડ નથી તો ઓપરેશન નહીં થાય', ફ્રેક્ચર સાથે પાંચ દિવસ સુધી શાંતિબેન ધક્કા ખાતા રહ્યા, વિપક્ષના હસ્તક્ષેપ બાદ તંત્ર જાગ્યું.કાર્ડ સિસ્ટમ માનવતા પર ભારે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment