Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-3માં પ્રવેશ્યું:મોરબીમાં 14 જુલાઈએ મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા, રાજ્યભરના ખેડૂતો અને મહિલાઓને જોડાવા આહ્વાન

    1 day ago

    મોરબી જિલ્લાના જેતપર ગામેથી ખાનગી વીજ કંપનીઓ દ્વારા ઉભા કરાયેલા વીજપોલ અને વીજ વાયર સામે યોગ્ય વળતરની માંગ સાથે શરૂ કરાયેલું ખેડૂતોનું આંદોલન હવે પાર્ટ-3માં પ્રવેશ્યું છે. આંદોલનના આગામી તબક્કા તરીકે આગામી 14 જુલાઈ (મંગળવાર)ના રોજ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આંદોલન સમિતિએ માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો અને મહિલાઓને આ પદયાત્રામાં જોડાવા માટે અપીલ કરી છે. ઓછા વળતર સામે ખેડૂતોમાં નારાજગી રાજ્યભરમાં વિવિધ ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ લાઈનો પાથરવાની કામગીરી દરમિયાન ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેમજ વીજ વાયરના કોરિડોર પસાર કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેની સામે મળતું વળતર અત્યંત ઓછું હોવાથી તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ મુદ્દે ખેડૂતોમાં લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો છે. 19 દિવસના ઉપવાસ બાદ હવે આંદોલનનો ત્રીજો તબક્કો વળતરની માંગને લઈને જેતપર ગામે ખેડૂતો દ્વારા અગાઉ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. હવે આંદોલનના ત્રીજા તબક્કા હેઠળ સરકાર દ્વારા વીજ લાઈન અને વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આ પરિપત્ર તેમને સ્વીકાર્ય નથી અને તેને પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર સમક્ષ માંગ ઉઠાવાશે આંદોલન સમિતિના જણાવ્યા મુજબ પદયાત્રા દરમિયાન ખેડૂતો શાંતિપૂર્ણ રીતે કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર સુપરત કરશે અને વીજપોલ તથા વીજ લાઈન માટે યોગ્ય અને ન્યાયસંગત વળતર નક્કી કરવાની માંગ કરશે. આંદોલનને રાજ્યવ્યાપી સમર્થન મળે તે માટે સમગ્ર ગુજરાતના ખેડૂતો અને મહિલાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માંગરોળના માછીમારને ભારત સરકાર તરફથી LOA મળતા ગૌરવ:​માછીમારો હવે આંતરરાષ્ટ્રીય દરિયામાં કરી શકશે ફિશિંગ, ઉપરાષ્ટ્રપતિના હસ્તે મંડળીને મળ્યો સ્પેશિયલ લેટર ઓફ ઓથોરાઈઝેશન
    Next Article
    બે સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:બીજા દિવસે પણ ભાવનગર 37.6°C સાથે સૌથી ગરમ, ભારે પવનની સંભાવનાથી માછીમારો માટે એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment