Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં:ગાયનેકોલોજી વોર્ડમાં દર્દીના પરિવારજનો સાથે નર્સના ઉદ્ધત વર્તનથી ભારે હોબાળો, 3 અધિકારીઓની તપાસ કમિટી; કડક કાર્યવાહીની ખાતરી આપી

    5 days ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં સપડાઈ છે. હોસ્પિટલના ગાયનેકોલોજી વોર્ડમાં ફરજ બજાવતી એક નર્સ દ્વારા દર્દીના પરિવારજનો સાથે અત્યંત ઉદ્ધત અને અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્સના આ પ્રકારના વ્યવહારને કારણે દર્દીના સગાંઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા જ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. કોસંબાના મહિલા દર્દી એક અઠવાડિયાથી દાખલ સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, સુરત જિલ્લાના કોસંબા ખાતે રહેતા 48 વર્ષીય પિંકીદેવી ચૌધરીને ગાયનેક સંબંધિત ગંભીર સમસ્યા હોવાથી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ગાયનેકોલોજી વોર્ડમાં એડમિટ છે અને તેમની સારવાર ચાલી રહી છે. દર્દીની દેખરેખ માટે પરિવારના સભ્યો પણ હોસ્પિટલમાં હાજર રહે છે. 'બે મિનિટ માટે અંદર ગયો અને નર્સે જોરજોરથી બૂમો પાડવા માંડી' પીડિત પરિવારના સભ્યએ પોતાના આક્રોશ સાથે જણાવ્યું હતું કે, વોર્ડમાં જ્યારે સાફ-સફાઈ ચાલી રહી હતી, ત્યારે નર્સે બહાર ઊભા રહેવા કહ્યું હતું. પરંતુ મને અત્યંત જરૂરી કામ હોવાથી હું માત્ર બે મિનિટ માટે જ વોર્ડની અંદર ગયો હતો. આટલી નાની વાતમાં ત્યાં ફરજ પર હાજર નર્સે પિત્તો ગુમાવ્યો હતો અને મારી પર જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. ચક્કર આવતા હોવાની ફરિયાદ કરવા ગયેલા પિતાને કહ્યું- 'અહીંથી ભાગો' પરિવારજનોએ નર્સ પર વધુ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, વોર્ડમાં દાખલ પિંકીદેવીને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા. આથી ચિંતાતુર બનેલા તેમના વૃદ્ધ પિતા તાત્કાલિક ત્યાં હાજર નર્સ પાસે દોડી ગયા હતા અને દર્દીની તબિયત અંગે રજૂઆત કરી હતી. જોકે, સેવાભાવ ભૂલેલી નર્સે માનવતા નેવે મૂકીને વૃદ્ધ સાથે અત્યંત ગુસ્સામાં ઉદ્ધત વર્તન કર્યું હતું અને 'અહીંથી ભાગો' કહીને કાઢી મૂક્યા હતા. નર્સના આવા અપમાનજનક વલણથી આખો પરિવાર ભારે માનસિક તણાવમાં આવી ગયો હતો અને આખરે તેમણે સ્મીમેરના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ગેરસમજ થઈ હોઈ શકે, છતાં તપાસ ચાલુ છે: નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ આ સમગ્ર મામલે સ્મીમેર હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ સુરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, તે સમયે વોર્ડમાં સફાઈ ચાલી રહી હતી અને દર્દીના સંબંધી અંદર પ્રવેશતા હોવાથી નર્સે તેમને ટોક્યા હતા. સફાઈ દરમિયાન ગંદકીના કારણે દર્દીને ઇન્ફેક્શન લાગવાનો ભય રહે છે. આ બાબતે કદાચ દર્દીના સંબંધીઓને ગેરસમજ થઈ હોઈ શકે છે. તેમ છતાં, તમામ નર્સિંગ સ્ટાફને દર્દીઓ અને તેમના પરિવારો સાથે હંમેશા યોગ્ય અને નમ્ર વર્તન કરવા કડક સૂચના આપવામાં આવી છે. 3 નર્સિંગ અધિકારીઓની કમિટી તપાસ કરશે, કસૂરવાર સામે પગલાં લેવાશે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તાત્કાલિક અસરથી ત્રણ નર્સિંગ અધિકારીઓની એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે. જો તપાસમાં નર્સ કસૂરવાર સાબિત થશે, તો તેની સામે નિયમ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Out on bail, Raushan Anand links brother’s death to ‘conspiracy’, accuses Khan Sir’s guards of ‘pressuring’ him
    Next Article
    મહાનગરપાલિકાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી યોજાઈ:રૂ.101 કરોડના 142 કાર્યો કાર્યોને બહાલી અપાઈ, ઈ-બસનું માસિક પાસના ભાવ માં ધટાડો કરી 300, દિવ્યાંગોને માત્ર રૂ.100 માં માસિક પાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment