Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 વર્ષમાં કરેલા કાર્યક્રમોમાં રૂ.1 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો

    6 days ago

    પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષમાં જોબફેર,નિવાસી તાલીમ અને કેરીયર કાઉન્સેલરમાં રૂ.1,06,68,410નો ખર્ચે કર્યો છે તો 3 વર્ષમાં 74 જેટલા જોબફેરમાં 4204 ઉમેદવારોને રોજગારી આપી હોવાનું સામે આવ્યું છે ત્યારે રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલ ખર્ચેમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોરબંદરના જિલ્લા રોજગાર કચેરી દ્વારા સમયાંતરે જોબફેર,નિવાસી તાલીમ સહિતના વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદરના આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ ભનુભાઇ નાગાભાઇ ઓડેદરા, દ્વારા પોરબંદર જિલ્લા રોજગાર કચેરીમાં આર.ટી.આઇ.હેઠળ માહિતી માંગવામાં આવી હતી.આ આર.ટી.આઈ.ની માહિતી કચેરી દ્વારા જાહેર કરવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.01/01/2023 થી તા.15/02/2026 સુધી માં કુલ 74 ભરતીમેળાનું આયોજન કરેલ છે. જેમાં કુલ 4204 ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષમાં (જાન્યુઆરી-2023 થી જાન્યુઆરી-2025) મહેકમ ,કચેરી ખર્ચ- રૂ 81,39,793, જોબફેરમાં રૂ. 7,12,803,કેરીયર કોર્નરમાં રૂ.48,650,નીવાસી તાલીમ વર્ગમાં રૂ.5,38,138, કેરીયર કાઉન્સેલરમાં રૂ.12,15,468,એસ.ટી કુપનમાં રૂ.13,562 ૧૩,૫૬૨ મળી કુલ 1,06,68,410 રૂપિયાનો ખર્ચે કરવામાં આવ્યો છે.ત્યારે આ કચેરી દ્વારા વિવિધ કામગીરીના ખર્ચમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એક જોબફેરનો રૂ.9632 ખર્ચે કરાયો પોરબંદરની રોજગાર કચેરી દ્વારા 3 વર્ષમાં 74 જોબફેર યોજવામાં આવ્યા છે ત્યારે આ જોબફેરનો રૂ.7,12,803નો ખર્ચે કરાયો છે ત્યારે એક જોબફેરનો રૂ.9632 ખર્ચે કરાયો છે પરંતુ મોટાભાગના જોબફેર સ્કૂલ અને કોલેજના બિલ્ડીંગ થતા હોવાથી આ ખર્ચે કેવા માટે કરાયો છે તેવા પણ સવાલો ઉઠ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આયોજન:માધવપુરના લોકમેળાની સત્તાવાર રૂપરેખા જાહેર : નોર્થ- ઈસ્ટ અને ગુજરાતના ફ્યુઝન નૃત્યોની રંગત જામશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:સાયબરફ્રોડ : મહારાષ્ટ્રના CSP સેન્ટરમાંથી વગર અંગુઠે કુતિયાણા પંથકના 50થી વધુ ખેડૂતોના ખાતા સાફ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment