Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100ટકાનો વધારો:હોટલ ઉદ્યોગ પર સંકટ, મેનૂમાં 10ટકા ભાવવધારાની શક્યતા

    2 days ago

    રાજ્યમાં ગેસના પુરવઠાની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે. છેલ્લા પાંચ દિવસમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો 100 ટકા વધારો થયો છે, જેનાથી ગ્રાહકોના ખિસ્સા પર પણ બોજ વધવાની શક્યતા છે. અગાઉ જે 21 કિલોનો ગેસનો બાટલો ₹2200માં મળતો હતો, તે હવે ₹4200 સુધી પહોંચી ગયો છે. આ ભાવવધારો હોટલ સંચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. HP અને ઇન્ડિયન જેવી મુખ્ય ગેસ કંપનીઓ પાસે હાલમાં પૂરતો સપ્લાય નથી. આ સ્થિતિમાં, અદાણીના ગેસ બાટલા ₹4200માં વેચાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ગેસની અછતને પહોંચી વળવા માટે હવે ઘણી હોટલોએ ફરી કોલસા અને ડીઝલની ભઠ્ઠીઓ પર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આનાથી સંચાલન ખર્ચમાં પણ વધારો થશે. આ ભાવવધારાની સીધી અસર ગ્રાહકો પર પડશે. HP અને ઇન્ડિયન જેવી કંપનીઓ પાસે અત્યારે કોઈ સપ્લાય કે જવાબ નથી. જે બાટલો 1800-1900 રૂપિયામાં મળતો હતો, તેની હવે દૂર-દૂર સુધી કોઈ શક્યતા દેખાતી નથી. હવે આપણે અદાણીના 2300 રૂપિયાના બદલે 4200 રૂપિયામાં બાટલા લેવા પડે છે, જેના કારણે 100 ટકા ભાવ વધારો અનિવાર્ય છે. સરકારી કંપનીઓ પાસે જવાબ નથી હોટલ એસોસિએશનના સૂત્રો અને સંચાલકો મુજબ, HP અને ઇન્ડિયન જેવી સરકારી કંપનીઓ પાસે સપ્લાય અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળી રહ્યો નથી. અગાઉ ₹1800-1900માં મળતા સિલિન્ડર હવે બજારમાંથી ગાયબ થઈ ગયા છે, જેને કારણે ખાનગી સપ્લાયર્સ મનફાવે તેમ ભાવ વધારી રહ્યા છે. આગામી દિવસોમાં શું? જો આગામી 2-3 દિવસમાં ગેસનો પુરવઠો સામાન્ય નહીં થાય, તો તમામ હોટલોએ પોતાના ભાવપત્રકમાં 10 થી 15 સુધીનો વધારો કરવો પડશે, જેની સીધી અસર સામાન્ય જનતાની થાળી પર પડશે.
    Click here to Read More
    Previous Article
    મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ:વડાળાના વાડીવિસ્તારમાં 108ની ટીમે સમયસૂચકતા દાખવી
    Next Article
    બહુચરાજી શક્તિપીઠમાં કાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ:સોની પરિવાર દ્વારા માતાજીની સવારીઓનું પ્રક્ષાલન કરાયું; 31 માર્ચથી પૂનમનો ભવ્ય મેળો ભરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment