Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર દેખાયા

    1 day ago

    ચોમાસાની શરૂઆત સાથે ભાવનગર જિલ્લાના વેળાવદર ખાતે આવેલું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન લીલાછમ ઘાસની હરિયાળી છવાઈ જાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનના ઘાસિયા મેદાનમાં કાળિયાર અને નીલગાયની સાથે હાલ એક વિશેષ મહેમાન એવા ખડમોરનું પણ આગમન થયું છે. પરંપરાગત રીતે ચોમાસામાં પ્રજનન માટે ગુજરાત આવતા ખડમોર પક્ષીઓ પર વન વિભાગ અને સંશોધકોની ખાસ નજર છે ત્યારે ખડમોરની કરાયેલી વાર્ષિક ગણતરીમાં ભાવનગરના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર નોંધાયા છે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વર્ષ-2026 માટે તાજેતરમાં ગત તા.18 અને 19 ઓગસ્ટના રોજ વન વિભાગની 15 ટીમોની મદદથી બે દિવસ ખડમોરની ગણતરી કરવામાં આવી હતી. ગણતરી દરમિયાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તથા આસપાસના વિસ્તારમાં 22 નર અને 6 માદા મળી કુલ 28 ખડમોર નોંધાયા હતા. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને તેની આસપાસના વિસ્તારોમાં કરાયેલ ગણતરીમાં 22 પક્ષીઓ ઉદ્યાનની બાઉન્ડરી અંદર અને 6 ઉદ્યાનની નજીકના વિસ્તારોમાં નોંધાયાં હતાં. ગુજરાતમાં વરસાદ બાદ ઘાસના મેદાન ખડમોરને પ્રજનન માટે સાનુકૂળ હોવાથી દર વર્ષે દક્ષિણ ભારતથી આવે છે ખડમોરનો ગુજરાત પ્રવાસ મુખ્યત્વે ચોમાસાની ઋતુ અને પ્રજનન સાથે જોડાયેલો છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ બાદ ઘાસ ઊગી નીકળે છે, કીટકોની સંખ્યા વધે છે અને માનવીય પ્રવૃત્તિ પ્રમાણમાં ઓછી રહે છે. આ સ્થિતિ ખડમોર માટે પ્રજનન માટે અનુકૂળ બને છે. 2020થી 2025 દરમિયાન વન વિભાગ, ધ કોર્બેટ ફાઉન્ડેશન અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સંશોધકોએ ખડમોરના ઋતુપ્રવાસનો અભ્યાસ કર્યો હતો. આ માટે 2020માં બે અને ત્યારબાદ 2021-22માં અન્ય 10 નર ખડમોરને સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા હતા. અહેવાલ તૈયાર કરીને વડી કચેરીએ મોકલી અપાયો છે વન વિભાગ દ્વારા ખડમોરની દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ગણતરી કરવામાં આવે છે. આ વખતેની ગણતરીના આંકડાઓનો અહેવાલ તૈયાર કરીને વડી કચેરીએ મોકલી અપાયો છે. > એન.એન.જોષી, મદદનીશ વનસંરક્ષક, વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
    Click here to Read More
    Previous Article
    PGVCLના દરોડામાં 163 જોડાણની તપાસમાં 36માં ગેરરીતિ મળી:જેસર અને બગદાણા પંથકમાંથી 11.88 લાખની વીજચોરી ઝડપાઇ
    Next Article
    નેપાળની હોનારતની અસર ઉ.ગુ. ટૂરિઝમ પર પડશે‎:દિવાળી વેકેશનની 1,500થી વધારે પ્રવાસીઓની નેપાળની ટૂર પર સંકટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment