Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના માછીમારો હવે ખેડશે ઊંડો સમુદ્ર:274 જહાજોને એક્સેસ પાસ અપાયા, બ્લૂ ઇકોનોમીમાં આખા દેશમાં પ્રથમ

    2 days ago

    મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવાના ઉદ્દેશથી ગુજરાતે ડીપ-સી ફિશિંગ એટલે કે ઊંડા સમુદ્રમાં માછીમારી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સસ્ટેનેબલ હાર્નેસિંગ ઑફ ફિશરીઝ ઇન ધ એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) રૂલ્સ, 2025 (વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં માછીમારીના ટકાઉ ઉપયોગ માટેના નિયમો, 2025) જાહેર કરવામાં આવ્યા છે. જેના થકી ભારતના EEZમાં યાંત્રિક અને વિશિષ્ટ માછીમારી જહાજો કાર્યરત થઇ શકે છે. આ નિયમો હેઠળ માર્ચ 2026 સુધીમાં ગુજરાતે 274 માછીમારી જહાજો માટે એક્સેસ પાસ આપ્યા છે અને આ મામલે દેશનું ટોચનું રાજ્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) ભારતના દરિયાઈ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે, તે દેશને તેના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ સુધીના દરિયાઇ સંશાધનોનો ઉપયોગ અને સંચાલન કરવાનો અધિકાર આપે છે. આનાથી ભારત દરિયાઇ સંશાધનોનો ટકાઉ ઉપયોગ કરી શકે છે. તેના પરિણામે, ડીપ-સી ફિશિંગ એટલે કે ઊંડા સમુદ્રમાં માછીમારી એક મહત્વપૂર્ણ પદ્ધતિ તરીકે ઉભરી છે, જે માછલીની એકંદર ઉપજમાં વધારો કરે છે. માછીમારો માટે ટ્યુના અને સાશિમી-ગ્રેડ માછલી જેવી ઉચ્ચ-મૂલ્યવાળી પ્રજાતિઓ સુધીની પહોંચ સુલભ બને છે. જેની વૈશ્વિક સ્તરે ભારે માંગ છે. ગુજરાતે ડીપ-સી ફિશિંગને વેગ આપવા માટે 274 માછીમારી જહાજોને એક્સેસ પાસ આપ્યા છે. ઊંડા સમુદ્રમાં માછીમારીથી શું શું ફાયદા થશે ? આર્થિક દ્રષ્ટિએ જોઇએ તો, ઊંડા સમુદ્રમાં માછીમારી અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે, કારણકે તે નિકાસમાં વધારો કરે છે, રોજગારીઓનું સર્જન કરે છે અને ભારતની વિદેશી હૂંડિયામણની આવકને મજબૂત બનાવે છે. વધુમાં, તે રિસોર્સ-સ્પેસિફિક એટલે કે સંસાધન-આધારિત માછીમારી પ્રથાઓને પ્રોત્સાહન આપીને ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે, જેનાથી છીછરા પાણી પરનું પર્યાવરણીય દબાણ ઘટે છે તેમજ આર્થિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે લાંબા ગાળાનું સંતુલન સુનિશ્ચિત થાય છે. માછલી પકડવા સહિતની કુશળતાઓથી સજ્જ કરાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અને તેના પહેલાની બ્લૂ રિવોલ્યુશન યોજનાઓ અંતર્ગત ભારત સરકારે ઊંડા સમુદ્રમાં માછીમારી કરવા માટેના જહાજો ખરીદવા અને તેમના રૂપાંતર માટે નાણાકીય સહાય પ્રદાન કરી છે. NFDB, CIFNET અને FSI દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમો થકી હજારો માછીમારોને જહાજનું નેવિગેશન કરવા, માછલી પકડવાની પ્રક્રિયાનું સંચાલન કરવા અને સમુદ્રમાં સલામતી જાળવી રાખવા માટેની આધુનિક કુશળતાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. ગુજરાત તેની દરિયાઇ ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરવા સક્ષમ બન્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુનિશ્ચિત કર્યું છે કે, ગુજરાતના તમામ માછીમારોને કેન્દ્ર સરકારની આ પહેલોનો લાભ મળે. તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આધુનિક માછીમારી તકનીકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમની સુવિધાઓ આપી છે, જેનાથી ગુજરાત તેની દરિયાઈ ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે સક્ષમ બન્યું છે. ગુજરાતમાં મત્સ્યોદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર 20 હજાર કરોડ તાજેતરના અંદાજ મુજબ, ગુજરાતે 2024-25માં 10.42 લાખ મેટ્રિક ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન નોંધાવ્યું છે, જેમાં દરિયાઇ સ્ત્રોતોમાંથી 7.64 લાખ મેટ્રિક ટન અને આંતર્દેશીય મત્સ્યોદ્યોગમાંથી 2.78 લાખ મેટ્રિક ટનનો સમાવેશ થાય છે. નિકાસના આંકડા પર નજર નાંખીએ, તો ગુજરાતમાંથી 3.5–4 લાખ મેટ્રિક ટન માછલીની નિકાસ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ચીન, અમેરિકા, યુરોપ અને જાપાન જેવા વૈશ્વિક બજારોમાં ઝીંગા, રિબન માછલી, કટલ ફિશ અને સ્ક્વિડ જેવી માછલીઓ માટેની ધરખમ માંગ જોવા મળી છે. બહારના દેશોમાં નિકાસ અને સ્થાનિક વેચાણના આંકડાઓ ભેગા કરીએ તો ગુજરાતના મસ્ત્યોદ્યોગનું કુલ ટર્નઓવર વાર્ષિક ₹20,000 કરોડ છે, જે ભારતની ‘બ્લૂ ઇકોનોમી’માં ગુજરાતના નેતૃત્વને મજબૂત બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    લંડનમાં શીખ અને પાકિસ્તાનીઓ વચ્ચે વિવાદ:પંજાબી રેસ્ટોરન્ટના માલિકે હલાલ મીટ મળશે નહીં બોર્ડ લગાવ્યું, 100 લોકોએ હુમલો કર્યો
    Next Article
    પાટણમાં 7 લાખના ખર્ચે વાળીનાથ પ્રકૃતિ ઉદ્યાનનું લોકાર્પણ:જનભાગીદારીથી ઉકરડાની જગ્યાએ નંદનવન બન્યું, ચીફ ઓફિસરે ઉદ્ઘાટન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment