Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ વિધાનસભા સત્રમાં ગ્લૂ ટ્રેપ બિલ આવવાની શક્યતા નહીવત:હાઈકોર્ટમાં કાર્યવાહી હવે 27 માર્ચે, ગૃહ અને ઇન્ડસ્ટ્રી વિભાગ વચ્ચે ચર્ચાઓ ચાલુ

    2 days ago

    ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ, ઉત્પાદન સામે BNSની ધારા અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી અંગે રાજ્ય સરકાર દ્વારા ચાલુ બજેટ સત્રમાં બિલ મુકાશે કે કેમ તે અંગે સરકારી વકીલે આજે હાઇકોર્ટ સમક્ષ જવાબ આપ્યો હતો કે મેટર અંગે ગૃહ વિભાગ અને ઉદ્યોગ વિભાગ વચ્ચે ચર્ચા થઈ રહી છે. જ્યારે કોર્ટના અગાઉના આદેશ મુજબ પ્રિન્સિપલ સેક્રેટરીની એફિડેવિટ ફાઇલ કરવા વધુ સમય માંગવામાં આવ્યો હતો. ચાલુ સત્રમાં બિલ આવવાની શક્યતા નહિવત આ અંગે હાઇકોર્ટે આગામી સુનાવણી 27 માર્ચના રોજ નક્કી કરી છે. જ્યારે વિધાનસભા સત્ર 25 માર્ચે પૂર્ણ થવાનું છે. આમ હવે ચાલુ વિધાનસભા સત્રમાં ગ્લુ ટ્રેપ ઉપર બિલ આવવાની શકયતા નહીવત છે. વળી કોર્ટ પર સરકાર ઉપર બિલ લાવવા પ્રેશર કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે અગાઉ ચોમાસુ સત્રમાં આ બિલ મૂકવાની વાત થઈ હતી. પરંતુ સત્ર માત્ર બે દિવસ ચાલ્યું હોવાથી બિલ મુકી શકાય નહોતું. વળી અરજદારે જણાવ્યું હતું કે કલેકટર દ્વારા ગ્લુ ટ્રેપ ઉપર પ્રતિબંધનું જાહેરનામું 60 દિવસ જ અસ્તિત્વ ધરાવતું હોવાથી તે જાહેરનામું નિષ્ક્રિય થતા જ ગ્લુ ટ્રેપનું વેચાણ બજારમાં થઈ રહ્યું છે. પ્રાણીઓ પરની ક્રૂરતાનો કાયદો કેન્દ્ર સરકારનો અગાઉ આ મુદ્દે હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે પ્રાણીઓ પરની ક્રૂરતાનો કાયદો કેન્દ્ર સરકારનો છે અને સમવર્તી યાદીમાં હોવાથી રાજ્ય સરકારે કેટલાક સંશોધન કરવાની જરૂર છે. જે માટે સંબંધિત વિભાગોની એક બેઠક મળી હતી. જેમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, ઉત્પાદન અને વેચાણને BNSની ધારા-325 હેઠળ ગુનો ગણવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવને ગૃહ વિભાગ દ્વારા લેજીસ્લેટિવ અને પાર્લામેન્ટ્રી ડિપાર્ટમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેથી કરીને વિધાનસભામાં નવું સંશોધન અમલી બની શકે. પાર્લામેન્ટ્રી વિભાગ દ્વારા કેટલાક સુધારા કરવા પ્રસ્તાવ ગૃહ વિભાગને પરત મોકલવામાં આવ્યો હતો. ગ્લુ ટ્રેપથી કેવી રીતે મોતને ભેટે છે પ્રાણી-પક્ષી? ગુજરાત રાજ્ય અને સંપૂર્ણ દેશમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે. પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 અંતર્ગત PETAની અરજી ઉપર ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા 05 સપ્ટેમ્બર, 2023ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેના કડક અમલીકરણ માટે આ અરજી કરવામાં આવી છે. ગ્લુ ટ્રેપ પર ઉંદર, ખિસકોલી પક્ષીઓ વગેરે ચોંટી જાય છે. જેથી તેઓ ભૂખ, તરસથી રિબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શકતા પોતાના જ અંગોને બચકાં ભરે છે. જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે. ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળાની તૈયારીઓ શરૂ:સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 'એરેના ટાઇપ સ્ટેડિયમ', લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો, મનોરંજન માટે આનંદનગરી
    Next Article
    કાર ભાડેથી લીધા બાદ બરોબાર બીજાને આપી દીધી:વડોદરામાં કાર ભાડે લઈને પરત ન કરીને વેપારી સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરી, તાંદલજાના શખ્સ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment