Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વિકારતા કોંગ્રેસે 'વિજ્યોત્સવ' મનાવ્યો:વેરાવળમાં રેલી કાઢવાનો પ્રયાસ કરતા 25થી વધુ કાર્યકરો ડિટેઈન, પુંજા વંશે પોલીસ પર પક્ષપાતનો આક્ષેપ કર્યો

    8 hours ago

    વિદ્યાર્થીઓના આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે તેમજ સરકાર દ્વારા વિવિધ માંગણીઓ સ્વીકારવામાં આવી છે. જેને પગલે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા શનિવારે વેરાવળના ટાવર ચોક ખાતે 'વિજ્યોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ઉજવણી બાદ રેલી કાઢવાનો પ્રયાસ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશ સહિત 25થી વધુ કોંગ્રેસી આગેવાનો તથા કાર્યકરોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યક્રમની શરૂઆત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોએ એકબીજાને પેંડા ખવડાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો. આ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશે સ્થળ પર ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓને પણ આગ્રહપૂર્વક પેંડા ખવડાવ્યા હતા. શરૂઆતમાં સીટી પી.આઈ. પટેલ સહિતના અધિકારીઓએ મીઠાઈ લેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ભારે આગ્રહ બાદ તેમણે પેંડા સ્વીકાર્યા હતા. ઉજવણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા રેલી કાઢવાનો પ્રયાસ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે જિલ્લા પ્રમુખ પુંજા વંશ સહિત 25થી વધુ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જઈ ડિટેઇન કર્યા હતા. ઘટનાને પગલે ટાવર ચોક વિસ્તારમાં થોડા સમય માટે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ડિટેઇન થયા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશે પોલીસ પર આકરા શબ્દોમાં પક્ષપાતનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરે ત્યારે પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બની રહે છે, જ્યારે કોંગ્રેસ પ્રજાના હિતમાં અવાજ ઉઠાવે ત્યારે તરત જ કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે પોલીસની કામગીરીને લોકશાહી વિરોધી ગણાવી હતી. પુંજા વંશે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અગાઉ સત્યાગ્રહ અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારી લેતા આંદોલનની જીતના પ્રતિકરૂપે વિજ્યોત્સવ યોજવાનો નિર્ણય લેવાયો હતો. તેમણે દાવો કર્યો હતો કે, શિક્ષણ પ્રધાનના રાજીનામા સહિતની માંગણીઓ સ્વીકારવામાં આવી હોવાથી આ લોકશાહીની જીત છે. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓની જાહેરમાં માફી માગે તેવી માંગ પણ પુનરોચ્ચાર કરી હતી. સમગ્ર ઘટનાને પગલે વેરાવળમાં રાજકીય માહોલ ગરમાયો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં રાત્રે ધોધમાર વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તાઓ જળમગ્ન બનતા વાહનચાલકોને હાલાકી
    Next Article
    AMC એસ્ટેટ વિભાગ હવે જાગ્યું:શહેરમાં ચાલુ બાંધકામ સાઈટો પર દિવાલ પડવાની ઘટના બાદ તપાસ, 11 સાઇટો પર રજાચિઠ્ઠી સ્થગિત કરી કામગીરી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment