Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 2.5 લાખથી વધુ બાળકોને કૃમિનાશક દવા અપાઈ:રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગે સ્વચ્છતાની અપીલ કરી

    1 day ago

    મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં ૧ થી ૧૯ વર્ષના ૨.૫ લાખથી વધુ બાળકોને કૃમિનાશક દવા આપવામાં આવી હતી. આ અભિયાનમાં શાળાએ જતા અને ન જતા તમામ બાળકોને અલ્બેન્ડાઝોલની ગોળી આપવામાં આવી હતી. આ દવા બાળકોના શરીરમાંથી કૃમિનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કૃમિના કારણે બાળકોમાં કુપોષણ અને એનિમિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે, જે તેમના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે. કૃમિનાશક દવાના સેવનથી પોષણ સ્તરમાં સુધારો થાય છે, એનિમિયા ઘટે છે અને બાળકોની ભણવા-રમવાની ક્ષમતા વધે છે. મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બાળકોને કૃમિથી બચાવવા માટે કેટલીક અપીલ કરી હતી. તેમાં જમતા પહેલાં અને બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવા, સ્વચ્છ પાણી પીવું, શૌચાલયનો ઉપયોગ કરવો, ઉઘાડા પગે ન ફરવું, ફળો-શાકભાજી સ્વચ્છ પાણીથી ધોઈને વાપરવા અને નખ સાફ તથા નાના રાખવાનો સમાવેશ થાય છે. આસપાસના વાતાવરણમાં સ્વચ્છતા જાળવવા પણ ખાસ અનુરોધ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    'તારી છાતી પર ચૂડેલ બેસી ગઈ, તાંત્રિક વિધિ કરવી પડશે':વડોદરામાં સ્ટુડિયો મેનેજર યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી, શારીરિક માંગણી કરનાર 'બાપુ' સામે ફરિયાદ
    Next Article
    મોરબી કલેક્ટરે નગર નિયોજક કચેરીની આકસ્મિક તપાસ કરી:હાજરી પત્રક, ડેડ સ્ટોક રજીસ્ટર તપાસ્યા; સમયસર કામ કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment