Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કોમર્શિયલ ગેસના બાટલાના અભાવે પોરબંદરમાં 25 ટકા રેસ્ટોરન્ટ બંધ થયા

    11 hours ago

    અમેરિકા અને ઈરાન વચ્ચેના યુધ્ધને પગલે ગેસની અછત સર્જાતા પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલા મળતા બંધ થવાને કારણે 25 ટકા રેસ્ટોરન્ટ બંધ થયા છે બાકીના 22 રેસ્ટોરન્ટ પાસે દોઢ થી 2 દિવસ ચાલે તેટલો ગેસ છે, જ્યારે 12 જેટલી ખાણીપીણીની લારીઓ બંધ થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધને પગલે એલપીજી ગેસની કટોકટી પોરબંદરમાં વર્તાઈ છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક ન હોવાને કારણે રેસ્ટોરન્ટ ધારકો અને ખાણીપીણીના લારી ધારકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધંધાઓ ચોપટ થઈ રહ્યા છે. ધંધાર્થીઓ પાસે હવે કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક પણ ન હોવાને કારણે રજા રાખવી પડે તેવી સ્થિતિ સર્જાણી છે. તેવા સંજોગોમાં હાલ પોરબંદરના 25 ટકા રેસ્ટોરન્ટ કોમર્શિયલ ગેસના બાટલા ન હોવાથી બંધ કર્યા છે. અને જે 22 રેસ્ટોરન્ટ ખુલ્લા છે તે રેસ્ટોરન્ટ પણ ગેસના બાટલાનો સ્ટોક ન હોવાથી દોઢ થી બે દિવસમાં બંધ થવાની કગાર પર ઉભા છે. રેસ્ટોરન્ટના સંચાલકે જણાવ્યું હતુ કે, હવે શનિવારે એક જ બાટલો હોવાથી સાંજે રેસ્ટોરન્ટ ખુલશે નહીં તેવી સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે ખાણીપીણીના લારી ધારકો પાસે પણ કોમર્શિયલ ગેસનો બાટલો પૂરો થતા 12 જેટલી લારી બંધ કરી છે. લારી ધારકોએ જણાવ્યું હતુ કે ગેસનો બાટલો ખાલી થતા ફરજિયાત પણે લારી બંધ કરી દેવાનો વારો આવ્યો છે. કોમર્શિયલ ગેસની અછતના કારણે ખાણીપીણીના લારી ધારકો અને રેસ્ટોરન્ટ ધારકો ચિંતિત બન્યા છે. રેસ્ટોરન્ટ ધારકોએ જણાવ્યું હતુ કે, કેટલાક રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ અને ગુજરાતી વાનગી બંધ કરી દેવામાં આવી છે તો લારી ધારકો પણ પોતાની લારીમાં ખાણીપીણીની આઇટમ અને જથ્થો ઘટાડી દેવામાં આવ્યો છે. બાટલા લખાવ્યા હોવાથી આવે ત્યારે રેસ્ટોરન્ટ ચાલુ કરી દેવાશે પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલાની કટોકટી સર્જાતા હાલ 8 જેટલા રેસ્ટોરન્ટ બંધ કર્યા છે અને જે રેસ્ટોરન્ટ ખાતે બાટલા છે તે પૂરા થશે ત્યારે બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય એ છે કે રેસ્ટોરન્ટમાં બાટલાના કનેક્શન વધુ આપેલા હોય છે. કટોકટી સર્જાતા ધારકોએ બાટલા લખાવ્યા છે જેથી બાટલા આવશે ત્યારે રેસ્ટોરન્ટ તાકીદે શરૂ કરી દેવામાં આવશે તેવું રેસ્ટોરન્ટના ધારકોએ જણાવ્યું હતું. એકટાણું શરૂ કરશે‎ પોરબંદરમાં કોમર્શિયલ ગેસના બાટલાનો સ્ટોક પૂરો‎થતા કેટલાક રેસ્ટોરન્ટ ખાતે હયાત સ્થિતિને પગલે‎બપોરે રેસ્ટોરન્ટ ચાલુ અને રાત્રે બંધ રાખવામાં‎આવે તે પ્રકારે એકટાણું રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં‎આવશે તેવું રેસ્ટોરન્ટના ધારકોએ જણાવ્યું છે.‎
    Click here to Read More
    Previous Article
    હુમલાની ઘટના આવી સામે:સરદારપરામાં થાર લઈને આવેલી મહિલાએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સરકારે ગામડા અને શહેરની વચ્ચે ભેદ પાડી દીધો,‎બાટલાનું બુકીંગ શહેરમાં 25, ગ્રામ્યમાં 45 દિવસે !‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment