Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગીતા વિદ્યાલયના સ્થાપકની 25મી પુણ્યતિથિ:બાળકોએ શ્રદ્ધાંજલિ આપી, શૈક્ષણિક કીટનું વિતરણ થયું

    4 days ago

    જામનગરમાં ગીતા વિદ્યાલયના સ્થાપક મનહરલાલજી મહારાજની ૨૫મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 16 જૂને મંગળવારે સાંજે 6.30 થી 8 વાગ્યા દરમિયાન ગીતા વિદ્યાલય, કે.વી. રોડ પાસે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ગીતા વિદ્યાલયના બાળકો દ્વારા ગુરુજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોએ મનહરલાલજી મહારાજના જીવનચરિત્ર અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું. આ ઉપરાંત, શ્રીમદ્ ભાગવત ગીતાના સામૂહિક પાઠ, રામચરિત માનસની ચોપાઈઓ અને વિવિધ સ્તોત્રોના શ્લોકનું પઠન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ગીતા વિદ્યાલયમાં નિયમિત આવતા બાળકોને ગુપ્ત દાતાઓ તરફથી સ્કૂલબેગ, ફૂલસ્કેપ ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. વક્તવ્ય આપનાર બાળકોને સંસ્થાના હોદ્દેદારો દ્વારા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની સમાપ્તિ પ્રાર્થના બાદ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ગીતા વિદ્યાલયના આયોજક રાજેન્દ્રભાઈ જેઠવાના અધ્યક્ષસ્થાને થયું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે બફારો:મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયું, આગામી દિવસોમાં પણ ઝાપટાંની સંભાવના
    Next Article
    હવે બાંગ્લાદેશીઓની ઓળખ સરળતાથી થશે:પ્રતિરક્ષા એપ્લિકેશનમાં ચહેરો સ્કેન કરવાથી જ વ્યક્તિની આધારકાર્ડ સહિતની તમામ વિગતો સેકન્ડમાં મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment