Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવપોઢી એકાદશીએ તહેવારોની શૃંખલા ખૂલશે:25મીએ મોળાવ્રત, 27મીએ જયાપાર્વતી વ્રતનો ઉમંગભેર પ્રારંભ

    1 day ago

    પવિત્ર અષાઢ માસની શરૂઆત સાથે જ હિન્દુ ધર્મમાં તહેવારો અને વ્રતોની ભક્તિમય શૃંખલાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. અષાઢી દેવપોઢી એકાદશીના પવિત્ર દિવસથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ યોગનિદ્રામાં લીન થશે અને તેની સાથે જ પવિત્ર ચાતુર્માસના દ્વાર ખૂલશે. આ ધાર્મિક મહોત્સવમાં આગામી તા.25 જુલાઈ, શનિવારથી કુમારિકાઓ માટેના આસ્થાના પર્વ ગૌરીવ્રત (મોળાવ્રત) નો પ્રારંભ થઈ રહ્યો છે, જ્યારે તા.27 જુલાઈથી જયાપાર્વતી વ્રત શરૂ થશે. અષાઢી ચોમાસાના આ સોહામણા માહોલમાં દીકરીઓ શિવ-પાર્વતીની ભક્તિના રંગે રંગાવાની સાથે ધરતી અને પર્યાવરણના સાચા મૂલ્યોને પણ સમજશે. લોકજીવનમાં ગૌરીવ્રત ‘મોળાવ્રત’ કે ‘મોળાકત’ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. તહેવારોની આ મોસમમાં સામાન્ય રીતે 6થી 14 વર્ષની બાળાઓ સળંગ 5 દિવસ સુધી મોળું એટલે કે મીઠા વગરનું (અલૂણા) ભોજન ગ્રહણ કરીને કઠોર વ્રત રાખે છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે જે કઠોર આરાધના કરી હતી, આ વ્રત તેનું જ એક પવિત્ર પ્રતીક છે. કુમારિકાઓ પોતાના જીવનમાં અખંડ સૌભાગ્ય, સુખ-સમૃદ્ધિ અને મનગમતા ભવિષ્યની પ્રાપ્તિ કાજે શિવ-પાર્વતીની પૂજા-અર્ચના કરે છે. ધાન્ય (જવારા)નું પૂજન કરી બાળપણથી જ પ્રકૃતિના મહત્ત્વને આત્મસાત કરાય છે આ વ્રતની સૌથી સુંદર અને આકર્ષક ફ્લેવર જવારાનું પૂજન છે. અષાઢ સુદ પાંચમના પવિત્ર દિવસે કન્યાઓ ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને ચોખા એમ સાત પ્રકારના ધાન્યને પવિત્ર માટીમાં વાવે છે. રોજ તેમાં શ્રદ્ધાપૂર્વક જળ ચડાવવામાં આવે છે, જેનાથી અષાઢી એકાદશી સુધીમાં આ જવારા હરિયાળા ખીલી ઊઠે છે. શાસ્ત્રોમાં જવારાને સાક્ષાત માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ પરંપરા દ્વારા દીકરીઓ બાળપણથી જ પ્રકૃતિ, વાવણી, ધરતી અને આપણી કૃષિ સંસ્કૃતિના વાસ્તવિક મહત્ત્વને આત્મસાત કરે છે. જુલાઈ માસમાં આવતા મહત્ત્વના તહેવાર 25 જુલાઈ: દેવપોઢી એકાદશી-મોળાવ્રતનો પ્રારંભ 27 જુલાઈ: જયાપાર્વતી વ્રતનો પ્રારંભ 29 જુલાઈ: ગુરુપૂર્ણિમા, મોળાવ્રતનું જાગરણ 31 જુલાઈ: જયાપાર્વતી વ્રતનું જાગરણ શાસ્ત્રોક્ત મહત્ત્વ અને જાગરણનો મહિમા જ્યોતિષીય ગણતરી મુજબ, સળંગ 5 વર્ષ સુધી ગૌરીવ્રત કર્યા બાદ અન્ય 5 વર્ષ સુધી જયાપાર્વતી વ્રત કરવાની વર્ષો જૂની પ્રણાલી છે. વ્રતના અંતિમ દિવસે કન્યાઓ આખી રાત જાગરણ કરીને શિવભક્તિના ભજનો અને સાંસ્કૃતિક રમતો રમે છે. પાંચ દિવસની આ કઠોર ભક્તિ બાદ જવારાને પવિત્ર જળાશયમાં વિસર્જિત કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક તહેવારોમાં કન્યાઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
    Click here to Read More
    Previous Article
    માથાની નસ ફાટી જવાથી મોત થયાનું તારણ બહાર આવ્યું:મિત્ર સાથે મસ્તી મજાક કરતી વખતે પાળી ઉપરથી પટકાતાં સગીરનું મોત
    Next Article
    સિટી એન્કર:મહિલા નાયબ મામલતદારને ડિવોર્સ બાદ પૂર્વ પતિ મધરાતે ઘરે ધસી આવ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment