Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરાવથી તિલકવાડા વચ્ચેના હંગામી પુલની નબળી ગુણવત્તા:લોકફાળાથી રૂા.25 લાખમાં બનતો પુલ કદી ન તૂટ્યો, ‎એજન્સીએ 2 કરોડના ખર્ચથી બનાવ્યો પણ ન ટક્યો‎

    2 days ago

    આગામી ગુરૂવારના રોજથી નર્મદાની પંચકોશી પરિક્રમા શરૂ થઇ રહી છે પણ તે પહેલાં શહેરાવ અને તિલકવાડા વચ્ચે નર્મદા નદી પર બનાવેલાં હંગામી પુલનો શહેરાવ તરફ 25 થી 30 ફૂટનો ભાગ પાણીના વહેણમાં ધોવાઇ ગયો છે. વર્ષોથી પરિક્રમાવાસીઓની સરળતા માટે સ્થાનિકો લોકફાળો ઉઘરાવીને રૂા. 25 લાખની આસપાસના ખર્ચે હંગામી પુલ બનાવતાં હતાં અને તેના પરથી પરિક્રમાવાસીઓ સરળતાથી પસાર થઇ શકતાં હતાં. 3 વર્ષ પહેલાં શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પાર કરવા માટે સ્થાનિકો લોકફાળો ઉઘરાવી તથા સખાવતીઓ પાસેથી નાણા મેળવીને ભુંગળા અને પથ્થરોની મદદથી હંગામી પુલ બનાવતાં હતાં. પરિક્રમાવાસીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાને રાખી છેલ્લા 3 વર્ષથી તંત્રએ હંગામી પુલ બનાવવા માટે કોન્ટ્રાકટ આપવાની શરૂઆત કરી છે. ગત વર્ષે અંદાજે 2.64 કરોડથી વધુના ખર્ચથી પુલ તૈયાર કરાયો હતો. ચાલુ વર્ષે પુલ બનાવવા માટે પણ એજન્સીઓને આમંત્રિત કરવામાં આવી હતી. જેમાં વડોદરાની એજન્સીએ 40 ટકા ઓછો ભાવ મળતાં તેણે 2.16 કરોડના અંદાજીત ખર્ચથી 800 મીટર લાંબો બ્રિજ બનાવ્યો હતો. રવિવારના રોજ શહેરાવ તરફના છેડા પર 20 થી 25 ફૂટ જેટલો પુલનો હિસ્સો પાણીના સામાન્ય વહેણમાં ધોવાઇ ગયો હતો. ગેરહાજર અધિકારીનો જિલ્લા કલેકટરે ઉઘડો લીધો 19મી તારીખથી નર્મદાની પંચકોશી પરિક્રમા શરૂ થઇ રહી છે. રવિવારે પરિક્રમા સંદર્ભમાં કલેકટરે અગત્યની બેઠક બોલાવી હતી પણ તેમાં જિલ્લાના 10 થી 12 જેટલા ઉચ્ચ અધિકારીઓ રવિવારના રજાના મૂડમાં ગેરહાજર રહ્યા હોવાથી જિલ્લા કલેક્ટર સંજય મોદી એમની પર ગુસ્સે ભરાયા હતા. ગેરહાજર રહેલા અધિકારીઓ પાસે લેખિતમાં જવાબ માંગ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાસ્કર ઇનસાઇડ ગત વર્ષના જ ભૂંગળાનો ઉપયોગ કરી દેવાયો વડોદરાની એજન્સીએ 800 મીટરનો હંગામી પુલ બનાવવામાં બેદરકારી દાખવી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવે તો પણ પુલ ડૂબી ન જાય તે માટે ભુંગળાના બે સ્તર તૈયાર કરવામાં આવ્યાં છે. ભુંગળાઓને મજબુતાઇ આપવા માટે તેની વચ્ચે પથ્થર નાખવા જરૂરી છે. ગત વર્ષે પુલના નિર્માણ માટે ભુંગળાઓની વચ્ચે પથ્થરની સાથે પતરાઓ પણ મુકવામાં આવ્યાં હતાં. વડોદરાની એજન્સીએ પુલનો કોન્ટ્રાકટ મેળવવા માટે 40 ટકા ઓછા ભાવથી ટેન્ડર ભર્યું હતું અને પુલ બનાવવા માટે જુના ભુંગળાઓનો જ ઉપયોગ કર્યો હતો. પુલ તૂટવાની ઘટના બાબતે કલેકટર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવા છતાં તેમણે કઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. ગત વર્ષના અમૂક પૈસા ચૂકવવાના હજી બાકી છે ગયા વખતે બનાવેલા હંગામી પુલના નિર્માણ બાદ અમુક રકમ હજી અમને ચૂકવવામાં આવી નથી. ગત વર્ષના ટેન્ડરમાં 1,800 મીમી ડાયામીટરના ભુંગળા નાખવાની શરત હતી પણ અમે 2200 ડાયામીટરના ભુંગળા નાંખ્યા હતાં. પુલની સાઇડમાં રેલિંગ લગાવી અને લોકોને સુરક્ષા પ્રદાન કરી હતી. જે બાદ પાણી ઉતર્યું છતાં બ્રિજ એવો ને એવો જ હતો > પરેશ પટેલ, જૂના કોન્ટ્રાકટર
    Click here to Read More
    Previous Article
    નિર્ણય:દ્વારકા પાલિકા સંચાલિત પ્રિતમ મંદિર માત્ર વ્યાયામ માટે અનામત
    Next Article
    400 Killed, Around 250 Injured In Pakistan Strike On Kabul Hospital: Taliban

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment