Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમની જળસપાટી 24 કલાકમાં 10 સેમી વધી:ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી, વીજ ઉત્પાદનમાં પણ વધારો

    4 days ago

    મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉપરવાસ વિસ્તારોમાં સતત વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં ડેમમાં ઉપરવાસમાંથી 33,700 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેના પરિણામે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. પાણીની વધતી આવકને પગલે સરદાર સરોવર ડેમની જળસપાટી 126.19 મીટર સુધી પહોંચી છે. પાણીની ઉપલબ્ધતા વધતા ડેમના કેનાલ હેડ પાવર હાઉસ (CHPH)ના તમામ પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યા છે, જેના પરિણામે વીજ ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ઉપરવાસમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે આગામી દિવસોમાં ડેમમાં પાણીની આવક વધુ વધવાની શક્યતા છે. સંબંધિત તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં જૂની બિલ્ડિંગનો રવેશ ધડાકાભેર પડ્યો:બે બાઇકને નુકસાન, નગરપાલિકા દ્વારા 82 જર્જરિત બિલ્ડિંગને નોટિસ અપાઈ હતી
    Next Article
    સુરતમાં પહેલીવાર હાઇટેક રથમાં નીકળશે રથયાત્રા:ઉંચાઈ વધ-ઘટ કરી શકાશે, ઈસ્કોન મંદિર માટે મુંબઈથી તૈયાર થઈને આવ્યો રથ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment