Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!:રાત્રે એક કલાકનો બ્રેક, નાસ્ડેકે શરૂ કરી તૈયારી; જાણો રોકાણકારોને ક્યારથી મળશે નવી સુવિધા

    3 दिन पहले

    દુનિયાની કેટલીક મોટી ટેક કંપનીઓના શેર્સને ટ્રેક કરનાર નાસ્ડેકે એવી યોજના તૈયાર કરી છે જેનાથી દિવસના 24 માંથી 23 કલાક ટ્રેડિંગ થઈ શકશે. સીએનબીસી-ટીવીના રિપોર્ટ અનુસાર નાસ્ડેકની યોજના રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ET (ઈસ્ટર્ન ટાઈમ ઝોન) નવું ઓવરનાઈટ ટ્રેડિંગ સેશન શરૂ કરવાની છે. જો આ યોજના હેઠળ ટ્રેડિંગ શરૂ થાય છે તો નાસ્ડેક સ્ટોક માર્કેટમાં અઠવાડિયામાં પાંચ દિવસ લગભગ દરરોજ 23 કલાક ટ્રેડિંગ શક્ય બનશે. નવું સેશન હાલમાં 6 ડિસેમ્બર 2026 થી શરૂ થવાની અપેક્ષા છે. જોકે, હજુ આ અમેરિકી બજાર નિયામક SEC (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન)ની મંજૂરી અને SIP (સિક્યોરિટીઝ ઇન્ફોર્મેશન પ્રોસેસર)ની તૈયારીથી નક્કી થશે. અમેરિકા બહારના રોકાણકારોની માગ પ્રસ્તાવિત શેડ્યૂલ હેઠળ ટ્રેડિંગ રવિવારે રાત્રે 9 વાગ્યાથી શુક્રવારે રાત્રે 8 વાગ્યા (ET) સુધી ચાલશે. દરરોજ રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા (ET) સુધી એક કલાકનો બ્રેક હશે, જેનો ઉપયોગ પ્રોસેસિંગ અને આગામી ટ્રેડિંગ ડેમાં ટ્રાન્ઝિશન માટે કરવામાં આવશે. જ્યારે નાસ્ડેકના હાલના સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા (ET) સુધીના ટ્રેડિંગ કલાકોમાં કોઈ ફેરફાર થશે નહીં. નાસ્ડેકે આ નિર્ણય દુનિયાભરના રોકાણકારો માટે અમેરિકી સ્ટોક્સ સુધી પહોંચ વધારવાના પ્રયાસનો એક ભાગ છે. અમેરિકા બહારના રોકાણકારોની માગ સતત વધી રહી છે. રોકાણકારો માટે શું બદલાશે? નવા ઓવરનાઈટ સેશનમાં ટ્રેડિંગ કરવા માટે માર્કેટ પાર્ટિસિપન્ટ્સને ઓર્ડર એન્ટ્રી માટે નવા પોર્ટ્સ લેવા પડશે. જોકે, રેગ્યુલર ટ્રેડિંગ દરમિયાન ઓર્ડર્સના જેટલા પ્રકાર હોય છે, તે બધા રાતના સેશનમાં નહીં હોય જેમ કે માર્કેટ ઓર્ડર્સ અને કેટલાક ઓપનિંગ અને ક્લોઝિંગ ઓર્ડર્સ ઉપલબ્ધ નહીં હોય તો ઓવરનાઈટ સેશનમાં આપવામાં આવેલા જે ઓર્ડર સવારે 4 વાગ્યા (ET) સુધી પૂરા નહીં થાય, તે કેન્સલ કરી દેવામાં આવશે અને આગામી ટ્રેડિંગ સેશન શરૂ થવા પર તેમને ફરીથી દાખલ કરવા પડશે. નાસ્ડેકની યોજના ઓવરનાઈટ ટ્રેડિંગ માટે સુરક્ષા માટે વધારાના ઉપાયો પણ લાગુ કરવાની છે. જેમ કે સ્ટેટિક પ્રાઈસ બેન્ડ્સ જેના હેઠળ એક નિર્ધારિત લિમિટ બહારના ઓર્ડર્સ રદ કરી દેવામાં આવશે. જોકે, હજુ તેના પર નિયમનકારી મંજૂરી લેવી પડશે. સાથે જ નવા સેશનમાં ટ્રેડિંગ એક્ટિવિટી માટે અલગ માર્કેટ ફીડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત નાસ્ડેક સમગ્ર દિવસ દરમિયાન વધુ માર્કેટ કવરેજ આપવા માટે નાસ્ડેક પ્લસ પ્રોડક્ટ્સ પણ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. કયા એક્સચેન્જો પર લાગુ પડશે યોજના મુજબ, નાસ્ડેકનું વિસ્તૃત શેડ્યૂલ ફક્ત નાસ્ડેક સ્ટોક માર્કેટ પર જ લાગુ પડશે. નાસ્ડેક ટેક્સાસ, પીએસએક્સ અને નાસ્ડેકના ઓપ્શન્સ એક્સચેન્જો પર તે લાગુ પડશે નહીં અને તેઓ તેમના વર્તમાન ટ્રેડિંગ શેડ્યૂલ મુજબ જ કાર્ય કરતા રહેશે. નાસ્ડેકના સમય હવે પ્રસ્તાવ હેઠળ 9 PM-4 AM (ET) સુધી ઓવરનાઈટ સેશન લાવવાની યોજના છે જે પોસ્ટ-માર્કેટ અને પ્રી-માર્કેટ વચ્ચેના વર્તમાન અંતરને ભરશે. આ ઉપરાંત લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) એ ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ્સમાં ડિજિટલ અને AI ના આ યુગમાં ટ્રેડિંગને નવું પરિમાણ આપવા માટે 'લંડન સ્ટોક એક્સચેન્જ 24' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ અઠવાડિયાના 5 દિવસ લગભગ 24 કલાક સતત ટ્રેડિંગની સુવિધા આપશે. 'LSE 24' નો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક રોકાણકારોને બજારની મુખ્ય ઘટનાઓ પર તરત પ્રતિક્રિયા આપવા, અલગ-અલગ ટાઈમ ઝોનમાં લિક્વિડિટી મેળવવા અને જોખમ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાની સુવિધા આપવાનો છે. સાંજે 17:00 વાગ્યાથી સવારે 7:50 વાગ્યા સુધી કાર્યરત રહેશે જો ટ્રેડિંગના સમયની વાત કરીએ તો LSE 24 સોમવારથી શુક્રવાર સુધી સાંજે 17:00 વાગ્યાથી સવારે 7:50 વાગ્યા સુધી કાર્યરત રહેશે, જેમાં દરરોજ ક્લોઝિંગ પ્રક્રિયા માટે સાંજે 18:30 થી 19:00 વાગ્યાની વચ્ચે 30 મિનિટનો વિરામ રહેશે. જણાવી દઈએ કે, લંડન સ્ટોક એક્સચેન્જનું મુખ્ય બજાર તેના પરંપરાગત સમય (સવારે 08:00 થી સાંજે 16:30) પર જ સામાન્ય રીતે કાર્ય કરતું રહેશે. LSE 24 તેનાથી અલગ અને સ્વતંત્ર રીતે કાર્યરત રહેશે. માહિતી અનુસાર, વર્ષ 2026 ના અંત સુધીમાં ગ્રાહકો માટે ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવશે. નિયમનકારી મંજૂરી મળ્યા પછી 2027 ના પ્રથમ છ મહિનામાં 'એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સ' (ETPs) સાથે LSE 24 ની સત્તાવાર શરૂઆત થશે. લંડન પહેલાથી જ ETP નું એક મુખ્ય વૈશ્વિક કેન્દ્ર છે. ભારતમાં હાલમાં તેની શક્યતા ઓછી ભારતમાં હાલમાં આવી વ્યવસ્થા લાગુ થવાની શક્યતા ઓછી જણાય છે કારણ કે ભારતીય બજારની સંરચના અને નિયમનકારી વ્યવસ્થા તેનાથી ઘણી અલગ છે. ભારતમાં NSE અને BSEનું કેશ માર્કેટ સવારે 9:15 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી ખુલે છે. આ સમય ઘરેલું રોકાણકારોની જરૂરિયાતો અને ભારતીય બેંકિંગ વ્યવસ્થાને અનુરૂપ નક્કી કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં 24 કલાક ટ્રેડિંગ લાગુ કરવું સરળ નહીં હોય. આ માટે ફક્ત એક્સચેન્જ જ નહીં, પરંતુ ક્લિયરિંગ કોર્પોરેશન, ડિપોઝિટરી, બેંક, બ્રોકર અને જોખમ વ્યવસ્થાપન પ્રણાલીને પણ 24 કલાક સંચાલિત કરવી પડશે. તેનાથી સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. ------------------------------------- આ સમાચાર પણ વાંચો: બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ કે પછી મ્યુચ્યુઅલ ફંડ?:5 વર્ષ પછી વધારે ફાયદો શેમાં મળશે? મહેનતની કમાણીનું રોકાણ કરતાં પહેલા સમજો ગણતરી આજના સમયમાં માત્ર પૈસા કમાવવા પૂરતું નથી, પરંતુ તમારી મહેનતની કમાણીને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું પણ એટલું જ જરૂરી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની બચત સમય સાથે ઝડપથી વધે. જ્યારે રોકાણની વાત આવે છે, ત્યારે બે વિકલ્પો સૌથી વધુ લોકપ્રિય છે, ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડ. રોકાણકાર ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે તેના પૈસા ક્યાં રોકવા. ધારો કે તમારી પાસે 5 લાખ રૂપિયાની રકમ છે, જેને તમે 5 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો, તો સૌથી વધુ ફાયદો ક્યાં મળશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    ગુણોત્સવ 2.0:હાજરી, સુવિધાઓ, ગ્રાન્ટ, શિક્ષણ, ઈનોવેશન પર શાળાનું મૂલ્યાંકન થશે
    Next Article
    બે કંપનીના ચાર ડિરેક્ટર સામે તપાસની માગ:રાજસ્થાનના 3 પ્રોજેક્ટનું કામ પૂર્ણ ન કરી ₹6 કરોડની ગેરરીતિ આચરી, નોટિસ બાદ કરાર પણ રદ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment