Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરામાં આદિવાસી અધિકારના કાર્યક્રમમાં હાજરી આપશે:ચૂંટણી પહેલા આદિવાસીઓને રીઝવવાના પ્રયાસો, અમિત ચાવડા આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે

    5 days ago

    રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હવે રાજકીય પક્ષો દ્વારા ગુજરાત તરફ નજર કરવામાં આવી છે. સોમવારે કોંગ્રેસના આગેવાન અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડોદરા ખાતે આદિવાસી અધિકાર કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતમાં ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં જોમ ભરવાનું કર્યું આ કાર્યક્રમ થકી થશે. એનજીઓ, આદિવાસી આગેવાનો અને સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સંવાદ રાહુલ ગાંધી વડોદરાના આજવા રોડ ઉપર આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી એનજીઓ, આદિવાસી આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉપરાંત આદિવાસીઓના અધિકારો તેમજ તેઓ સામેના અન્યાય અંગેના મુદ્દાઓ ઉપર સભા સંબોધિત કરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટેનો આ પ્રયાસ છે. અમિત ચાવડા આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સોમવારે બપોરે આજવા રોડ ઉપર પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આવશે. આદિવાસી ક્ષેત્રમાં કામ કરી રહેલી વિવિધ સંસ્થાઓ સાથે તેઓ વાર્તાલાપ કરશે. સમગ્ર કાર્યક્રમની માહિતી આપવા માટે આજે 21 માર્ચે શનિવારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે. રાજકીય પક્ષોનું આદિવાસીઓ ઉપર ફોકસ આગામી ચૂંટણીમાં હવે તમામ રાજકીય પક્ષોનું આદિવાસી વિસ્તાર ઉપર ફોકસ વધ્યું છે. ખાસ કરીને પંચમહાલ, ગોધરા, નર્મદા, અને ભરૂચ જિલ્લામાં વસતા આદિવાસો ઉપર દરેક રાજકીય પક્ષ ફોકસ કરી રહ્યું છે. આપના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસવાનું દિવસે ને દિવસે કદ વધી રહ્યું છે તેની સામે તાજેતરમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડા જ સમયમાં ચૈતર વસાવાના ગઢમાં બે સભાઓ સંબોધિત કરી હતી. ત્યારે હવે કોંગ્રેસ પણ તે જ દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2027ની સેમિફાઇનલ! આગામી એક બે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મતદારોનો ઝોક કઈ તરફ છે તે અંદાજ આવી જશે. આગામી 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિધાનસભાની ચૂંટણીઓની સેમિફાઇનલ ગણવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હેર સલૂન ચલાવનાર બન્યો ફેમસ યોગ ગુરૂ:ધો. 12 પાસ પ્રદીપ કેન્સર-હાર્ટ બ્લોકેજ બીમારી દૂર કરતો, આશ્રમમાં જ ઓપરેશન થિયેટર; રજવાડી લાઈફ જીવવાનો શોખીન
    Next Article
    હરો ફરોને ગાંજો સપ્લાય કરોની મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી:યુવાનોને થાઈલેન્ડ ટ્રીપ, મસાજ કરાવીને ગાંજો લેતા આવોની ઓફર; ભાઈ-બહેન સહિત ચારનું કારસ્તાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment