Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શ્રી સહજાનંદ' અને 'શ્રી ગજાનંદ' ઘીના નામે સુરતીઓને ઝેર પીરસાયું:'અવસર પ્લાઝા'માં ધમધમતા નકલી ઘીના કારખાનામાંથી 2200 જેટલા નકલી ઘીના ડબ્બા જપ્ત, દોઢ વર્ષથી ચાલતું હતું કૌભાંડ

    13 hours ago

    હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં ફરી એકવાર ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક પકડાયું છે. શહેરના ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા 'અવસર પ્લાઝા'માં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને બે શખસો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી છેલ્લા દોઢ વર્ષથી સોયાબીન તેલ અને ડાલડામાં કેમિકલ ભેળવીને 'શુદ્ધ ગાયનું ઘી' કહીને લોકોના રસોડા સુધી ઝેર પીરસતી હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસની કાર્યવાહી ઉત્રાણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્લાઝાના પહેલા માળે આવેલી દુકાન નંબર 106 અને 108માં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106ને આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવી હતી, જ્યારે બાજુની દુકાન (108) નો ઉપયોગ તૈયાર માલના સંગ્રહ માટે સ્ટોર રૂમ તરીકે થતો હતો. કેવી રીતે તૈયાર થતું હતું 'ઝેરી' ઘી? આરોપીઓની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવાઓ મુજબ, આ નકલી ઘી બનાવવાની રીત અત્યંત આઘાતજનક હતી. સૌ પ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણોમાં ગરમ કરવામાં આવતું હતું. તેમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસેન્સ (કેમિકલ સિરપ) ઉમેરવામાં આવતું. ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હતો. આ મિશ્રણ તૈયાર થયા બાદ તેને 'શ્રી સહજાનંદ' અને 'શ્રી ગજાનંદ' જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરવામાં આવતું હતું. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતો પોલીસે દરોડા દરમિયાન કુલ 4,94,940 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 583 લીટર તૈયાર નકલી ઘી (કિંમત ₹3.50 લાખથી વધુ), 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા (નાની-મોટી સાઈઝના), મોટા પ્રમાણમાં સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, પેકિંગ માટેના સાધનો જેવા કે સીલિંગ મશીન, વજન કાંટો, થર્મોમીટર અને ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે. દોઢ વર્ષથી ચાલતું હતું વેચાણ: એકની ધરપકડ, એક ફરાર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 18 મહિનાથી અવિરત ચાલી રહ્યું હતું. આ કેસમાં બે મુખ્ય સૂત્રધાર સામેલ છે. નિહાર ભરતભાઈ મોવલીયા (ઉં. 32) જે તૈયાર નકલી ઘીને સુરતના સ્થાનિક બજારોમાં સપ્લાય અને સેલિંગ કરવાનું કામ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પીયૂષ વિઠ્ઠલભાઈ સાંગાણી (ઉં. 30) જે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો. તે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ટીમો રવાના કરવામાં આવી છે. તંત્રની કડક કાર્યવાહીના સંકેત હાલ પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરી છે અને જપ્ત કરાયેલા ઘીના નમૂના એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ નકલી ઘી કયા કયા વેપારીઓને વેચવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગ્રાહકોએ બજારમાંથી ઘી ખરીદતી વખતે તેના પેકિંગ, હોલોગ્રામ અને યોગ્ય બિલનો આગ્રહ રાખવો જોઈએ. ખૂબ જ સસ્તા ભાવે મળતું ઘી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    બજેટ સત્રનો બીજો તબક્કો, આજે 5મો દિવસ:LPG મુદ્દે વિપક્ષનું વિરોધ પ્રદર્શન ચાલુ; ગઈકાલે સરકારે કહ્યું- દેશમાં ઇંધણની અછત નથી
    Next Article
    વેરાવળ રેન્જમાં 8 કૃત્રિમ પાણીના પોઈન્ટ કાર્યરત:ઉનાળામાં સિંહ-દીપડા સહિત વન્યજીવોને મળશે પીવાનું પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment