Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાથ સોઓગે નહીં તો રિપ્લેસ કર દેંગે':22 વર્ષની 'છાવા' ફેમ સંચિતા ઉગલેની આત્મહત્યા બાદ ટીવી એક્ટ્રેસ આંચલ ખુરાનાએ ઇન્ડસ્ટ્રીને એક્સપોઝ કરી

    13 hours ago

    22 વર્ષીય ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેના કથિત આત્મહત્યાના કેસ પછી એક્ટ્રેસ આંચલ ખુરાનાએ ટીવી ઇન્ડસ્ટ્રી પર સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા એક્ટ્રેસે કહ્યું- ‘એક અભિનેતાએ આત્મહત્યા કરી લીધી. ચેનલને ટીઆરપી જોઈએ છે, પ્રોડ્યુસરને બજેટ બચાવવું છે અને દર્શકોને મનોરંજન જોઈએ છે. પરંતુ આની પાછળ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક અભિનેતા કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે?’ એક્ટ્રેસે આગળ કહ્યું, ‘એક નાની વાત પર રિપ્લેસમેન્ટ, કોઈની સાથે સમાધાન નહીં કરો તો રિપ્લેસમેન્ટ, કોઈની સાથે દલીલ કરશો તો રિપ્લેસમેન્ટ, આત્મસન્માન બચાવશો તો રિપ્લેસમેન્ટ.’ ચેનલને ફક્ત ટીઆરપીની ચિંતા છે: આંચલ આંચલ ખુરાનાએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી ચેનલ અને પ્રોડ્યુસર્સની વાત છે, તે સૌથી સ્વાર્થી લોકો છે. તેમને પોતાના નફા અને ફાયદાથી ઉપર કંઈ દેખાતું નથી. વિશ્વાસ કરો, મારી સાથે પણ આવું થયું છે. જો તમારું ઓડિશન સારું છે, તમે એક સારા પર્ફોર્મર છો, તો પણ તેઓ તમને ફક્ત 1000 રૂપિયા માટે રિજેક્ટ કરી દેશે. 1000 રૂપિયા માટે. અથવા તમે કોઈને લાઇન નથી આપી રહ્યા. તમે કોઈની સાથે કંઈ પણ કરવા તૈયાર નથી. તેઓ તમને બદલી નાખશે. તેમના માટે આ ખૂબ જ સરળ છે. મુશ્કેલ સમયમાં પરિવારનો સહારો લેવા જણાવ્યું વીડિયોમાં આંચલે કલાકારોને કહ્યું કે જ્યારે પરિસ્થિતિઓ ખૂબ જ મુશ્કેલ લાગે ત્યારે પોતાના પરિવાર અને ઘરનો સહારો લેવો જોઈએ. આંચલના મતે, તે પોતે પણ ડિપ્રેશન અને સ્ટ્રેસના સમયગાળામાંથી પસાર થઈ ચૂકી છે અને આવા સમયે કામ કરતાં પોતાના લોકોનો સાથ વધુ મહત્વનો હોય છે. ટીવી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’થી જાણીતી બનેલી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ રવિવારે રાત્રે આત્મહત્યા કરી લીધી. તે 22 વર્ષની હતી. પોલીસે જણાવ્યું કે અભિનેત્રીનો મૃતદેહ ઘરમાં સીલિંગ ફેન પર લટકતો મળ્યો. તેમણે સાડીનો ફંદો બનાવીને ફાંસી લગાવી હતી. મુંબઈ પોલીસે મીડિયાને જણાવ્યું, ‘અમારી ટીમ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી. ત્યાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. ઘટના સમયે તેઓ ઘરમાં એકલા હતા. તેમના પિતાએ દીકરીના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.’ આત્મહત્યા કરી ત્યારે એક્ટ્રેસ ઘરે એકલી હતી સંચિતા પોતાના માતા-પિતા સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી હતી. રવિવારે સાંજે લગભગ 5:30 વાગ્યે તેની બહેન અંજલિ ઘરની બહાર ગઈ હતી. તે સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. આ દરમિયાન સંચિતાએ પોતાના બેડરૂમના સીલિંગ ફેન પર સાડીના સહારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેને તરત જ મહાનગરપાલિકાની તુલિંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કરી. તે ટીવી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ અને ‘વાગલે કી દુનિયા’માં જોવા મળી હતી. પોલીસે તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે. મોતનાં થોડા કલાકો પહેલાં વીડિયો પોસ્ટ કર્યો સંચિતાના નિધનનાં બરાબર થોડા કલાકો પહેલાં જ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક રીલ પોસ્ટ કરવામાં આવી હતી. વીડિયોમાં એક્ટ્રેસ 'ડફલી વાલે, ડફલી બજા' ગીત પર લિપસિંક કરતી જોવા મળી હતી. આ વીડિયોના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું હતું, ‘મેં નાચું, તું નચા.’ કોમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસના ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને સતત પોસ્ટ કરતી રહેતી હતી. તેના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ 39 હજાર ફોલોઅર્સ છે. સંચિતા અનેક ટીવી શો અને ફિલ્મોનો ભાગ રહી છે સંચિતા ઉગલેએ અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તે લોકપ્રિય ટીવી શો 'કુમકુમ ભાગ્ય', 'વાગલે કી દુનિયા' જેવા અનેક શોનો ભાગ રહી ચૂકી હતી. છેલ્લે તે દંગલ ટીવી ચેનલના શો ‘સાજન ઘર મેં’માં જોવા મળી હતી. તે લોકપ્રિય શો ‘દિલવાલી દુલ્હા લે જાયેગી’માં સૌરભ બેદી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. સંચિતાએ ફિલ્મ 'છાવા'માં પણ કામ કર્યું હતું. તેમાં તે તારાબાઈના પાત્રમાં જોવા મળી હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં વિકી કૌશલ અને અક્ષય ખન્ના જોવા મળ્યા હતા. આ ઉપરાંત સંચિતાએ મનોજ બાજપેયી સાથે 'સાયલન્સ 2: ધ નાઈટ આઉલ બાર શૂટઆઉટ'માં પણ કામ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ચાંદી ₹4,421 ઘટીને ₹2.47 લાખ પર આવી:સોનું ₹552 ઘટીને ₹1.50 લાખનું 10 ગ્રામ થયું, કેરેટ મુજબ કિંમત જુઓ
    Next Article
    ભરૂચમાં સીએમ હસ્તે મિયાવાકી વનનું લોકાર્પણ:GNFCનો સુવર્ણ જયંતી મહોત્સવ; ભવ્ય વિકાસયાત્રાની ઉજવણીમાં મંત્રીઓ અને મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment