Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પોલિયો રસીકરણ અભિયાન શરૂ:2.16 લાખ બાળકોને ત્રણ દિવસમાં રસી અપાશે

    एक दिन पहले

    સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસીય પોલિયો રસીકરણ અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત જન્મથી પાંચ વર્ષ સુધીના કુલ 2.16 લાખ બાળકોને પોલિયોની રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ રસીકરણ કાર્યક્રમ શરૂ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી બી. જી. ગોહિલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ અભિયાન આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. કોઈ પણ બાળક રસીથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગે વ્યાપક આયોજન કર્યું છે. અભિયાન માટે જિલ્લામાં 1,725 આરોગ્ય ટીમો અને 863 રસીકરણ બુથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઘરે-ઘરે જઈને પણ બાળકોને પોલિયોની રસી પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને રણ વિસ્તારમાં વસવાટ કરતા અગરિયાઓ, સ્થળાંતરિત શ્રમિકો અને મુસાફરોની અવરજવરવાળા વિસ્તારોમાં બાળકો સુધી રસી પહોંચાડવા માટે 44 મોબાઈલ વાહનો અને 48 વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના પાંચ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળકને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવે. આ રીતે બાળકને પોલિયો જેવા ગંભીર રોગથી સુરક્ષિત રાખવામાં સહભાગી બને.
    Click here to Read More
    Previous Article
    રામમંદિર દાનચોરી કેસમાં 8 આરોપીઓનાં ઘરે પોલીસનાં એકસાથે દરોડા:ટીન્નુના ઘરમાં તિજોરીની તપાસ કરી, ઇન્દ્રેશે કહ્યું- દોષિતોને છોડવામાં આવશે નહીં; પડોશીઓની પૂછપરછ કરી
    Next Article
    રેડક્રોસ સુરેન્દ્રનગર દ્વારા ફર્સ્ટ એઇડ પ્રમાણપત્ર વિતરણ:પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા, SPએ માનવતાવાદી સેવાઓની પ્રશંસા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment