Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડામાં બસ અકસ્માત: એકનું મોત, 21 ઘાયલ:યાત્રાળુઓ ભરેલી બસે પલટી મારી, ગોધરા સિવિલમાં સારવાર ચાલુ

    5 days ago

    ખેડા જિલ્લાના સેવાલીયા રોડ પર લહેરીપુરા ગામ નજીક યાત્રાળુઓ ભરેલી એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 21 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા 21 લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બસમાં કુલ 45થી વધુ મહિલા યાત્રાળુઓ સવાર હતા. આ તમામ યાત્રાળુઓ સાણંદ જિલ્લાના ઇયાવા ગામના રહેવાસી હતા. તેઓ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના દર્શન કરીને ગળતેશ્વર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, સેવાલીયા રોડ પર લહેરીપુરા પાસે બસના ચાલકે રિવર્સ લેતી વખતે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ભોગ બનેલા મોટાભાગના યાત્રાળુઓ સિનિયર સિટીઝન હતા. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે વધારાના તબીબો અને નર્સિંગ સ્ટાફને ઇમરજન્સી વિભાગમાં તૈનાત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'કાજલ હિન્દુસ્તાની વિનુ મોરડિયાને પર્સનલી ટાર્ગેટ કરે છે':ભાજપના મહિલા નેતા ધારાસભ્યના બચાવમાં ઉતર્યા, કહ્યું- 'કોઈ ઘૂસણખોર કે જેહાદીને સમર્થન આપ્યું નથી'
    Next Article
    વાપી RPFએ મોબાઈલ ચોર ઝડપ્યો:UPના શખસ ટ્રેનમાં બોરીવલીથી ઉમરગામ જતા હતા ત્યારે મોબાઈલ ચોરાયા, મુસાફરને ₹12 હજારનો ફોન પરત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment