Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેકિંગ:21 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી મોબાઇલ ટેસ્ટિંગ વાન સાથે સ્થળ પર જ પનીર અને ચીઝની તપાસ

    18 hours ago

    એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ પાલનપુરમાં તંત્રએ 21 હોટલ-રેસ્ટોરન્ટમાં મોબાઇલ ટેસ્ટિંગ વાનથી પનીર-ચીઝનું સ્થળ પર જ ચેકિંગ કર્યું હતું. સંચાલકોને ગુણવત્તાયુક્ત પનીર અને રો મટીરીયલ વાપરવા સાથે સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા દૂધની જગ્યાએ વેજિટેબલ ફેટમાંથી બનતા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ બાદ પાલનપુરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે ફૂડ સેફ્ટી મોબાઇલ ટેસ્ટિંગ વાન સાથે શહેર તથા હાઇવેની 21 હોટલ-રેસ્ટોરન્ટમાં સ્થળ પર જ પનીર-ચીઝનું સઘન ચેકિંગ કર્યું હતું. હોટલ સંચાલકોને ગુણવત્તાયુક્ત પનીર-રો મટીરીયલ વાપરવા તેમજ રસોડા-પરિસરમાં સ્વચ્છતા જાળવવા સૂચના અપાઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી ટી.એન.પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં તપાસ સતત ચાલુ છે. અને અત્યાર સુધી શંકાસ્પદ પનીર મળ્યું નથી. સંચાલક અશોકભાઈ પટેલે બ્રાન્ડેડ પનીર વાપરતા હોવાનું જણાવ્યું હતું. હોટલ તડકાના અરવિંદજી ઠાકોરે જણાવ્યું હતું કે, ખુલ્લું પનીર રૂ.250-300, જ્યારે જાતે શુદ્ધ પનીર બનાવવાનો ખર્ચ રૂ.450 સુધી થાય છે, છતાં ગ્રાહકોના આરોગ્ય માટે વધારાનો ખર્ચ સ્વીકારાયો છે. ગ્રાહકો પણ ફૂડ સેફ્ટી અંગે જાગૃત બન્યા પાલનપુરની એક હોટલના કાઉન્ટર પર બેઠેલ વ્યક્તિએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે, હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોની સાથે હવે ગ્રાહકો પણ બહાર જમતી વખતે ફૂડ સેફ્ટી અને ગુણવત્તા અંગે વધુ સભાન બન્યા છે. ખાસ કરીને પનીર-ચીઝ જેવી ખાદ્ય સામગ્રીની શુદ્ધતા અંગે ગ્રાહકો સંચાલકો પાસેથી ખાતરી માગી રહ્યા છે અને ગુણવત્તાયુક્ત તથા સલામત ખોરાક પીરસાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. એનાલોગ પનીરના સ્વાસ્થ્ય પર થતા ગેરફાયદા એનાલોગ પનીરમાં દૂધના બદલે વનસ્પતિ ચરબી, સ્ટાર્ચ અને અન્ય ઘટકો વપરાય છે. વધુ પડતું સેવન શરીરમાં ચરબી અને કેલરીનું પ્રમાણ વધારે છે. તેના કારણે વજન વધવું, પાચનતંત્રની તકલીફ, કોલેસ્ટ્રોલ વધવું અને હૃદયરોગનું જોખમ વધી શકે છે. નબળી ગુણવત્તા કે અશુદ્ધ ઉત્પાદનથી ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ રહે છે.
    Click here to Read More
    Previous Article
    આજે વિશ્વ આદિવાસી દિવસ:રામપુરામાં યોજાનાર સભામાં સમાજની ઓળખ, ભાષા,સંસ્કૃતિના જતનનો સંદેશ અપાશે
    Next Article
    પ્લગ નર્સરીનું હબ બન્યું મહેસાણાનું માઢી ગામ:વર્ષે 70 કરોડથી વધુ ધરૂનું ઉત્પાદન, ₹100 કરોડનું ટર્નઓવર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment